ગોધરા: રૂપિયા 2.79 કરોડના ચકચારી કૌભાંડના બે આરોપીની ધરપકડ.
ગોધરા: રૂપિયા 2.79 કરોડના ચકચારી કૌભાંડના બે આરોપીની ધરપકડ.
Published on: 09th June, 2026

પંચમહાલ જિલ્લા સમગ્ર શિક્ષા અભિયાન વિભાગમાં રૂા. ૨.૭૯ કરોડની ઉચાપતના કૌભાંડમાં ગોધરા બી ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા શિક્ષણ સમિતિના હિસાબી અધિકારી આર.કે. રાઠોડ દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે મુખ્ય બે આરોપીઓ—તત્કાલિન હિસાબી અધિકારી પૂજન રમેશચંદ્ર જોષી અને નિતિનકુમાર જયંતીભાઈ પટેલની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ પર સરકારી ધારાધોરણ મુજબ ખરીદી પ્રક્રિયા કર્યા વિના, બનાવટી બિલોના આધારે એજન્સીઓને નાણાં ચૂકવી કુલ રૂા. ૨,૭૯,૫૯,૮૧૬ની ઉચાપત કરવાનો આરોપ છે. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ૩ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.