અમરેલીમાં કાર-બસ અકસ્માતમાં 3ના મોત, શબવાહિની ન મળતા ટ્રેક્ટરમાં લઈ જવાયા મૃતદેહો.
અમરેલીમાં કાર-બસ અકસ્માતમાં 3ના મોત, શબવાહિની ન મળતા ટ્રેક્ટરમાં લઈ જવાયા મૃતદેહો.
Published on: 24th May, 2026

અમરેલી જિલ્લાના લાઠી નજીક કાર અને બસ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ દુઃખદ ઘટના બાદ મૃતદેહોને હોસ્પિટલ લઈ જવા માટે લાઠીમાં શબવાહિની ઉપલબ્ધ નહોતી. આ કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભારે લાચારી વચ્ચે મૃતદેહોને ટ્રેક્ટરમાં લઈ જવાની ફરજ પડી હતી, જેના કારણે વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. અમરેલી જિલ્લામાં બે સાંસદો અને સ્થાનિક ધારાસભ્ય હોવા છતાં આવી સુવિધાનો અભાવ ચિંતાનો વિષય છે.