પાટણ આનંદ સરોવરમાં જળકુંભીનો પ્રકોપ.
પાટણ આનંદ સરોવરમાં જળકુંભીનો પ્રકોપ.
Published on: 24th May, 2026

પાટણના આનંદ સરોવરમાં જળકુંભીનો વ્યાપક ફેલાવો ચિંતાનો વિષય બન્યો છે. આસપાસની સોસાયટીઓમાંથી આવતા ગટરના ગંદા પાણીને કારણે આ ઝેરી વેલ બેફામ રીતે ફેલાઈ રહી છે, જેના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને સ્થાનિક રહીશોમાં રોગચાળાની દહેશત ફેલાઈ છે. નગરપાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ગંદા પાણીનો આવરો સદંતર બંધ કરવાની માંગ ઉઠી છે. શહેરની શાન સમાન ગણાતા આ આનંદ સરોવરમાં જળકુંભીની લીલી ચાદર પથરાઈ જતાં પાણી દૂષિત બન્યું છે, જેથી નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે.