શબ્દની ખેતી, અર્થના ઉતારા: ભાવકો મૂર્ખ નથી, કવિતાને કવિતાના સ્વરૂપે પ્રગટ કરો.
શબ્દની ખેતી, અર્થના ઉતારા: ભાવકો મૂર્ખ નથી, કવિતાને કવિતાના સ્વરૂપે પ્રગટ કરો.
Published on: 09th June, 2026

જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા માસિક સાહિત્યિક ઉપક્રમે ‘સાહિત્ય કલરવ’ અંતર્ગત કાર્યક્રમ ક્રમાંક ૫૧નું સફળ આયોજન કરાયું હતું, જેમાં ભાવનગર અને રાજકોટથી પણ સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય વક્તા અને જાણીતા વિવેચક ડૉ. ગુણવંત વ્યાસે ‘શબ્દની ખેતી ને અર્થના ઉતારા’ વિષય પર પ્રેરણાદાયી વ્યાખ્યાન આપતા જણાવ્યું કે, શબ્દ એ માનવચેતનાની સંવેદનાઓનો વાહક છે અને દરેક સર્જકે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી ચીલાચાલુથી અલગ નવી કેડી કંડારવી જોઈએ. આ પ્રસંગે કવિઓએ પ્રેમ, પ્રકૃતિ અને સામાજિક વિષયો પર પોતાની આગવી શૈલીમાં રજૂ કરેલી કાવ્યપંક્તિઓને શ્રોતાઓએ ભારે ઉત્સાહથી વધાવી લીધી હતી.