સુરત સ્મીમેરમાં 16 વર્ષથી સેવા: 20 મિનિટમાં 600 દર્દીઓને ફ્રૂટ વિતરણ
સુરત સ્મીમેરમાં 16 વર્ષથી સેવા: 20 મિનિટમાં 600 દર્દીઓને ફ્રૂટ વિતરણ
Published on: 08th June, 2026

સુરત સંસ્કારદીપ યુવા મંડળ સંસ્થા છેલ્લા 16 વર્ષથી વ્યસન મુક્તિ, પર્યાવરણ જાળવણી અને જન જાગૃતિ સહિતની સેવા પ્રવૃત્તિ કરે છે. દર રવિવાર અને ગુરુવારે, 50 સભ્યોની ટીમ સવારે 5 વાગ્યાથી હોસ્પિટલ પહોંચી જાય છે. 15 મણ ફ્રૂટ લઈ જવાની સુવિધા ધરાવતા ખાસ સ્ટ્રેચર વડે, લગભગ 600 દર્દીઓને 20 મિનિટમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવે છે. આ સેવા માટે એક દિવસનો ખર્ચ 17 થી 18 હજાર રૂપિયા સુધીનો થાય છે, જે દાતાઓ દ્વારા પૂરો પાડવામાં આવે છે.