નર્મદા: સરકારે 3 મહિનાથી ઇન્સેન્ટિવ આપ્યુ નહીં હોવાથી આશા વર્કરોમાં રોષ.
નર્મદા: સરકારે 3 મહિનાથી ઇન્સેન્ટિવ આપ્યુ નહીં હોવાથી આશા વર્કરોમાં રોષ.
Published on: 09th June, 2026

નર્મદા જિલ્લાની આશા વર્કર બહેનોએ આજે રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્રિત થઈને ઇન્સેન્ટિવ વધારાની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આશા બહેનોના જણાવ્યા મુજબ, તેમને માત્ર રૂ. ૨,૦૦૦નું ઇન્સેન્ટિવ મળે છે, જે પણ છેલ્લા ત્રણ મહિનાથી મળ્યું નથી. આ ઉપરાંત, અતિ જોખમી સગર્ભા બહેનોની ડિલિવરી કરાવા અંગેનું અને ચૂંટણીની કામગીરી માટેનું મહેનતાણું હજી સુધી ચૂકવવામાં આવ્યું નથી. આશા બહેનોએ સમયસર પગાર, ભથ્થાંમાં ૫૦ ટકાનો વધારો અને બાકી નાણાં ચૂકવવાની માગ કરી છે અને ચેતવણી આપી છે કે જો તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે, તો તેઓ તમામ આરોગ્યલક્ષી કામગીરીથી અળગી રહેશે.