સરકારનો મોટો નિર્ણય, ઉજ્જવલા યોજનામાં હવે ફક્ત 4 LPG સિલિન્ડર મળશે.
સરકારનો મોટો નિર્ણય, ઉજ્જવલા યોજનામાં હવે ફક્ત 4 LPG સિલિન્ડર મળશે.
Published on: 09th June, 2026

ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં ₹૨૯ ના વધારા બાદ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) ના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે લાભાર્થીઓને વાર્ષિક ૯ સબસિડીવાળા સિલિન્ડરના બદલે માત્ર ૪ સિલિન્ડર પર જ ₹૩૦૦ ની સબસિડી (DBT) મળશે. મંત્રાલયના જણાવ્યા મુજબ, આ નિર્ણય પરિવારોના વાસ્તવિક સરેરાશ વપરાશને આધારે લેવાયો છે. કિંમતો વધતાં દિલ્હીમાં સિલિન્ડર ₹૯૪૨ નું થયું છે, જેથી સબસિડી બાદ લાભાર્થીઓને પ્રથમ ચાર સિલિન્ડર ₹૬૪૨ માં પડશે. આ ફેરફારથી ગરીબ પરિવારો પર આર્થિક બોજ વધશે.