ઈઝરાયલમાં ગૂંજશે 'જય ભવાની': છત્રપતિ શિવાજી મહારાજની લાગશે ભવ્ય પ્રતિમા
ઈઝરાયલમાં ગૂંજશે 'જય ભવાની': છત્રપતિ શિવાજી મહારાજની લાગશે ભવ્ય પ્રતિમા
Published on: 09th June, 2026

ભારત અને ઈઝરાયલ વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવતા સમાચાર મુજબ ટૂંક સમયમાં ઈઝરાયલમાં છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે. આ પાછળ મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં વસતા પ્રાચીન યહૂદી સમુદાય ‘બેને ઈઝરાયલ’નો મહત્વપૂર્ણ ઇતિહાસ જોડાયેલો છે. આ સમુદાયના અનેક લોકોએ શિવાજી મહારાજની સેના અને વહીવટી તંત્રમાં યોગદાન આપ્યું હતું. બાદમાં ઘણા લોકો ઈઝરાયલમાં સ્થાયી થયા, છતાં તેઓ પોતાની મરાઠી ઓળખ જાળવી રાખે છે. પ્રતિમા સ્થાપના આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોનું સન્માન માનવામાં આવે છે.