દાહોદમાં પુસ્તકની પરબ: જ્ઞાનની જ્યોત જગાવવાનો અનોખો પ્રયાસ.
દાહોદમાં પુસ્તકની પરબ: જ્ઞાનની જ્યોત જગાવવાનો અનોખો પ્રયાસ.
Published on: 09th June, 2026

દાહોદ શહેરમાં સાહિત્યપ્રેમીઓની એક ટીમ દ્વારા યુવા પેઢીમાં પુસ્તક સંસ્કૃતિને પુનઃજીવિત કરવા માટે 'પુસ્તક પરબ'નો પ્રશંસનીય પ્રારંભ કરાયો છે. ગોધરા રોડ સ્થિત દેસાઈવાડામાં દર મહિનાના પ્રથમ રવિવારે સવારે ૮ થી ૧૦:૩૦ દરમિયાન યોજાતા આ પરબમાં વાચકોને કોઈપણ શુલ્ક વિના પુસ્તકો ઘરે વાંચવા માટે આપવામાં આવે છે, જે વાંચીને પરત કરવાના રહે છે. આ ઉપરાંત, અહીં પુસ્તકોનું દાન પણ સ્વીકારવામાં આવે છે. આધુનિક યુગમાં સ્ક્રીન ટાઈમ ઘટાડી સમાજમાં વાંચનનું વાતાવરણ ઊભું કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી આ પહેલ પાછળ નીલમ જાદવ, અમીષાબેન પંચાલ, જહુરુદીન શેખ, રવિન્દ્રભાઈ પ્રજાપતિ, રમેશભાઈ પરમાર અને રીતેશભાઈ સોનીની ટીમ નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છે.