દેશના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ IAS અધિકારી પ્રાંજલ પાટીલની પ્રેરણાદાયી યાત્રા.
દેશના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ IAS અધિકારી પ્રાંજલ પાટીલની પ્રેરણાદાયી યાત્રા.
Published on: 24th May, 2026

મહારાષ્ટ્રના જલગાંવમાં જન્મેલા પ્રાંજલ પાટીલ, છ વર્ષની ઉંમરે દૃષ્ટિ ગુમાવી દીધી. આમ છતાં, તેમણે હિંમત હાર્યા વિના અનેક પડકારોનો સામનો કર્યો. ‘કમલા મહેતા અંધશાળા’ અને ‘સેન્ટ ઝેવિયર્સ કોલેજ’માં અભ્યાસ દરમિયાન તેમણે સ્ક્રીન રીડિંગ સોફ્ટવેરની મદદથી જ્ઞાન મેળવ્યું. સમાજની ઉપેક્ષા અને દયા ભાવના વચ્ચે પણ તેમણે પોતાની મહેનત અને આત્મવિશ્વાસ જાળવી રાખ્યો. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) માં અનુસ્નાતક કર્યા બાદ, ૨૦૧૬માં પ્રથમ પ્રયાસે સિવિલ સેવા પરીક્ષા ઉત્તીર્ણ કરી, પરંતુ દિવ્યાંગ હોવાને કારણે રેલવેમાં નિમણૂક મળી નહીં. બીજા પ્રયાસમાં, ઓલ ઇન્ડિયા રેન્ક ૧૨૪ સાથે, પ્રાંજલ દેશના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ IAS અધિકારી બન્યા.