ભરૂચના ચાસવડ આશ્રામશાળામાં વેદમૂર્તિઓએ કર્યું વેદોનું પઠન
ભરૂચના ચાસવડ આશ્રામશાળામાં વેદમૂર્તિઓએ કર્યું વેદોનું પઠન
Published on: 08th June, 2026

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે આવેલી કસ્તુરબા આશ્રામશાળામાં શુક્લ યજુર્વેદ મધ્યનંદિન શાખાના ઘન પારાયણ કરનાર વેદમૂર્તિઓએ મુલાકાત લીધી. આ પ્રસંગે, વેદમૂર્તિઓએ ગીર ગાયોને ગોળ ખવડાવ્યો, ઔષધિ બાગની મુલાકાત લીધી અને સમગ્ર આશ્રામશાળાનું નિરીક્ષણ કર્યું. સમૂહમાં વેદોના પઠનથી વાતાવરણ ભક્તિમય બની ગયું. ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ખુમાનસિંહ વાંસીયાએ આશ્રામશાળાના વિવિધ પ્રોજેક્ટ્સ વિશે વેદમૂર્તિઓને માહિતગાર કર્યા.