વડોદરાની પાદરા વિઠ્ઠલનાથજી હવેલીમાં 1100 કિલો કેરી મનોરથ
વડોદરાની પાદરા વિઠ્ઠલનાથજી હવેલીમાં 1100 કિલો કેરી મનોરથ
Published on: 08th June, 2026

અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે પાદરાની વિઠ્ઠલનાથજી હવેલી ખાતે ભવ્ય કેરી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભગવાન શ્રી ગોવર્ધનનાથજીને 1100 કિલો કેસર કેરી અને 5000 વિવિધ જાતની કેરીઓ અર્પણ કરવામાં આવી હતી. મહાપુરુષ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ પધરાવી, ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. મુખ્યાજી જીતુભાઈના માર્ગદર્શન હેઠળ સમીર શાહ, ધવલ ચોકસી, નિકુંજ ચોકસી, શિલ્પન ચોકસી, જીગ્નેશ ચોકસી અને વૈષ્ણવ યુવા સંગઠન ટીમ દ્વારા આ મનોરથ સંપન્ન થયો. શરણમકુમાર મહોદય પણ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવોએ દર્શનનો લાભ લીધો.