PM મોદીના ઇંધણ બચાવવાના સંદેશને ડિજિટલ માધ્યમથી પ્રચાર.
PM મોદીના ઇંધણ બચાવવાના સંદેશને ડિજિટલ માધ્યમથી પ્રચાર.
Published on: 23rd May, 2026

હરિપ્રબોધમ પરિવાર દ્વારા ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના 92માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે 23 મેના રોજ કારેલીબાગમાં ગુરુભક્તિ મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવમાં 5000 Gen-Z ને વ્યસન અને સોશિયલ મીડિયાના વળગણમાંથી મુક્ત કરવા સંકલ્પ લેવડાવાશે. 10 હજાર યુવાનો અને ભક્તો પ્રત્યક્ષ ઉપસ્થિત રહેશે, જ્યારે 1.50 લાખથી વધુ ભક્તો ડિજિટલ માધ્યમથી જોડાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇંધણ બચાવવાના સંદેશને અનુસરીને, વડીલ સંતો દ્વારા સામૈયો ડિજિટલ માધ્યમથી નિહાળવાની વ્યવસ્થા કરાઈ છે.