અમેરિકાના નવા પ્રમુખ કોણ બનશે, જે. ડી. વાન્સ કે માર્કો રૂબિયો ?
Donald Trump બાદ 2028ની અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં Republican Partyના ઉમેદવાર કોણ બનશે તે મુદ્દે આંતરિક રાજકારણ ગરમાયું છે. માર્કો રૂબિયો અને ઉપપ્રમુખ જે. ડી. વાન્સ વ્હાઇટ હાઉસમાં સતત પ્રેસ બ્રિફિંગ સંભાળી રહ્યા છે, જેને 2028ની દાવેદારી માટેનું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. વાન્સે મીડિયા સામે ટ્રમ્પની નીતિઓનું મજબૂત સમર્થન કર્યું. જ્યારે ટ્રમ્પે બંને નેતાઓમાંથી કોઈ એકને સમર્થન આપવા બાબતે હાલ તટસ્થ રહેવાનું પસંદ કર્યું છે.
અમેરિકાના નવા પ્રમુખ કોણ બનશે, જે. ડી. વાન્સ કે માર્કો રૂબિયો ?
કેનેડા ક્રિકેટ ચીફ અરવિંદર ખોસાનાં ઘર પર ગોળીબાર, ખંડણીની શંકા.
બ્રિટિશ કોલંબિયાના સરેમાં કેનેડા ક્રિકેટ ચીફ અરવિંદ ખોસાના ઘર પર વહેલી સવારે અંધાધૂંધ ગોળીબાર થયો. આ ઘટના ખંડણીની વસુલાત સાથે સંકળાયેલી હોવાની પ્રાથમિક શંકા છે. સ્પેશ્યલ પોલીસ સર્વિસ (SPS) અને ઇન્ટીગ્રેટેડ ફોરેન્સિક આઈડેન્ટીફીકેશન સર્વિસીઝ (IFIS) તપાસ કરી રહ્યા છે. ક્રિકેટ કેનેડામાં ચાલી રહેલા આંતરિક વિખવાદ અને ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે આ ઘટના બની છે.
કેનેડા ક્રિકેટ ચીફ અરવિંદર ખોસાનાં ઘર પર ગોળીબાર, ખંડણીની શંકા.
‘NEET પેપર લીક થયું ન હતું, CBI કહેશે ત્યારે જ માનીશું’, સંસદીય સમિતિ સમક્ષ NTA ચીફનું નિવેદન
National Testing Agencyના અધિકારીઓએ સંસદીય સમિતિ સમક્ષ દાવો કર્યો કે NEET-UG 2026નું પેપર તેમની સિસ્ટમમાંથી લીક થયું નહોતું. વિરોધ પક્ષના નેતાઓએ સવાલ કર્યો કે જો લીક ન થયું હોય તો પરીક્ષા રદ કેમ કરાઈ, પરંતુ અધિકારીઓ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહોતા. મામલાની તપાસ હાલમાં Central Bureau of Investigation કરી રહી છે. પેપર લીકના આરોપો બાદ પરીક્ષા રદ થઈ હતી અને હવે 21 જૂને ફરી યોજાશે. તપાસમાં રાજસ્થાનથી મહારાષ્ટ્ર સુધી ફેલાયેલા નેટવર્ક અને કરોડોની ઉઘરાણીના ખુલાસા થયા છે.
‘NEET પેપર લીક થયું ન હતું, CBI કહેશે ત્યારે જ માનીશું’, સંસદીય સમિતિ સમક્ષ NTA ચીફનું નિવેદન
40 હજાર કરોડના ખર્ચે 742 કિ.મી. લાંબો એક્સપ્રેસ વે.
હજ યાત્રાના કારણે ટળ્યું મોટું વિશ્વયુદ્ધ!
સાઉદી અરેબિયા અને UAEના હસ્તક્ષેપથી અમેરિકા-ઈરાન વચ્ચેનું સંભવિત યુદ્ધ ટળ્યું. હજ યાત્રા અને મુસ્લિમોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલાના બદલે વાતચીતનો માર્ગ અપનાવ્યો, જેથી મધ્ય-પૂર્વમાં શાંતિ જાળવી શકાય. અમેરિકા અને ઈઝરાયલે રમઝાન મહિનામાં 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલો કર્યો હતો. ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈની હત્યા પણ રમઝાન મહિનામાં કરાઈ હતી. એટલું જ નહીં, બંને દેશોએ ઈદના દિવસે પણ ઈરાન પર હુમલા ચાલુ રાખ્યા હતા.
હજ યાત્રાના કારણે ટળ્યું મોટું વિશ્વયુદ્ધ!
બાવળામાં નશાનો કારોબાર 3 ઝડપાયા, જુહાપુરાની મહિલા ફરાર.
અમદાવાદ ગ્રામ્ય SOG અને કેરાળા GIDC પોલીસે ચિયાડા ગામેથી REXCRON-T કફ સિરપની 153 બોટલો (કિંમત 24,235 રૂપિયા) અને મોબાઇલ ફોન સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા. જુહાપુરાની આશીયાના યુનુસ ઘાંચી નામની મહિલા વોન્ટેડ છે. NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચાલુ.
બાવળામાં નશાનો કારોબાર 3 ઝડપાયા, જુહાપુરાની મહિલા ફરાર.
શમી અંગે પૂર્વ ક્રિકેટરનો પસંદગી સમિતિ પર પ્રહાર.
વસીમ જાફરે મોહમ્મદ શમીને ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર રાખવાના નિર્ણયની આકરી ટીકા કરી છે. તેમણે મુખ્ય પસંદગીકાર Ajit Agarkarની ફિટનેસ અંગેની દલીલને “બકવાસ” ગણાવી હતી. જાફરે સવાલ ઉઠાવ્યો કે જો આવા જ માપદંડ અપનાવવામાં આવે તો ભવિષ્યમાં જસપ્રીત બુમરાહ સાથે પણ આવું જ થશે? અગરકરે કહ્યું હતું કે શમી T20 માટે ફિટ છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટનો લાંબો ભાર સહન કરવા માટે હજુ સંપૂર્ણ તૈયાર નથી.
શમી અંગે પૂર્વ ક્રિકેટરનો પસંદગી સમિતિ પર પ્રહાર.
હાર્દિક પંડ્યા કોના પર ભડક્યો?
MIને KKR સામે રોમાંચક મેચમાં હારનો સામનો કરવો પડ્યો. પાવરપ્લે સુધી મુંબઈએ માત્ર 46 રનમાં 4 મહત્વની વિકેટ ગુમાવી હતી અને આખી મેચમાં મોટાભાગની ભાગીદારી 20 રનથી ઓછી રહી હતી. ફિલ્ડિંગમાં થયેલી ચૂક અંગે નારાજગી વ્યક્ત કરતા હાર્દિકે કહ્યું, "મને સમજાતું નથી કે ફિલ્ડિંગમાં ક્યાં ભૂલ થઈ રહી છે. આ આખી સીઝન દરમિયાન અમારું ફિલ્ડિંગ પ્રદર્શન ઘણું નબળું રહ્યું છે. અમે ઘણા કેચ છોડ્યા છે, જે અલબત્ત કોઈ જાણી જોઈને કરતું નથી. પરંતુ રમતની આ સ્થિતિમાં તમે સત્ય છુપાવી શકતા નથી."
હાર્દિક પંડ્યા કોના પર ભડક્યો?
PM મોદીએ UAE શાસકને આપી કેસર કેરી, કચ્છનું પેઇન્ટિંગ સહિત અનોખી ભેટ.
PM મોદીએ UAE ની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને ગુજરાતની કેસર કેરી, કચ્છનું રોગન પેઇન્ટિંગ, મેઘાલયના અનાનસ, મણિપુરના બ્લેક રાઇસ, મધ્ય પ્રદેશનું મહેશ્વરી સિલ્ક, તેલંગાણાનું ફિલિગ્રી બોક્સ, બિહારનું મિથિલા મખાના અને રાજસ્થાનની કોફ્તગરી કટાર જેવી ભારતીય સંસ્કૃતિ અને હસ્તકલાની અનોખી ભેટ આપી.
PM મોદીએ UAE શાસકને આપી કેસર કેરી, કચ્છનું પેઇન્ટિંગ સહિત અનોખી ભેટ.
ઇતિહાસમાં પહેલીવાર RBI સરકારને 3.5 લાખ કરોડ જમા કરાવશે.
Reserve Bank of India FY26 માં સરકારને 2.7 થી 3.5 લાખ કરોડ રૂપિયા સુધીનું અત્યાર સુધીનું સૌથી મોટું સરપ્લસ ડિવિડન્ડ ટ્રાન્સફર કરી શકે છે. આનાથી સરકારને વિકાસ કાર્યો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને રાજકોષીય ખાધને અંકુશમાં રાખવામાં મદદ મળશે. રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને વિદેશી ચલણની સંપત્તિનું વધેલું મૂલ્ય RBI ની આટલી મોટી કમાણીનું મુખ્ય કારણ છે.
ઇતિહાસમાં પહેલીવાર RBI સરકારને 3.5 લાખ કરોડ જમા કરાવશે.
ગુજરાતના આ જિલ્લાઓમાં બે દિવસ વરસાદની આગાહી.
India Meteorological Department મુજબ ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે આગામી 22 અને 23 મે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા-નગર હવેલીમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. સાથે જ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગુજરાતના આ જિલ્લાઓમાં બે દિવસ વરસાદની આગાહી.
ટ્રમ્પ ઈઝરાયલના PM બની શકે? જાણો શું કહે છે કાયદો.
ડોનાલ્ડ ટ્રમ્પ જો ઈઝરાયલના વડાપ્રધાન બનવાની વાત કરે, તો શું તે શક્ય છે? ઈઝરાયલના કાયદા મુજબ, કોઈ પણ વિદેશી નાગરિક, જે યહૂદી હોય અને ઈઝરાયલની નાગરિકતા મેળવી શકે, તે સાંસદ બનીને PM બની શકે છે. ટ્રમ્પ પોતે યહૂદી નથી, પરંતુ તેમની પુત્રી ઈવાન્કા ટ્રમ્પે યહૂદી ધર્મ અપનાવ્યો છે. જો ટ્રમ્પ ઈઝરાયલની નાગરિકતા મેળવે, તો સૈદ્ધાંતિક રીતે PM બની શકે છે.
ટ્રમ્પ ઈઝરાયલના PM બની શકે? જાણો શું કહે છે કાયદો.
ટ્રમ્પ-તાઇવાન પ્રમુખ વાતચીત, 47 વર્ષ જૂનો પ્રોટોકોલ તોડવાની તૈયારી.
1979 બાદ પહેલીવાર અમેરિકી-તાઇવાન ટોચના નેતાઓ વચ્ચે વાતચીતના સંકેત. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ તાઇવાનના રાષ્ટ્રપ્રમુખ લાઈ ચિંગ-તે સાથે વાત કરવા તૈયાર. આ 47 વર્ષ જૂનો રાજદ્વારી પ્રોટોકોલ તોડશે, જે ચીનને ઉશ્કેરી શકે છે. ટ્રમ્પે કહ્યું, "હું દરેક સાથે વાત કરું છું." અમેરિકા તાઇવાનને $14 બિલિયનના હથિયારો વેચી રહ્યું છે, જે ચીન સાથે Bargaining Chip બની શકે છે. તાઇવાન ચીનને શાંતિ ભંગ કરનાર ગણાવે છે.
ટ્રમ્પ-તાઇવાન પ્રમુખ વાતચીત, 47 વર્ષ જૂનો પ્રોટોકોલ તોડવાની તૈયારી.
ઇબોલાના ખૌફને કારણે India-Africa Summit મોકૂફ.
આફ્રિકામાં ફેલાતા ઇબોલા વાઈરસના કારણે ચોથી 'India-Africa Forum Summit' છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી આ નિર્ણય લીધો છે. આ સમિટ 10 વર્ષ બાદ યોજાવાની હતી. દેશના એરપોર્ટ અને બંદરો પર ખાસ તપાસ શરૂ કરાઈ છે, ખાસ કરીને કોંગો, યુગાન્ડા અને સુદાન જેવા દેશોમાંથી આવતા મુસાફરો માટે. ભારત આફ્રિકાને મદદ માટે તૈયાર છે.
ઇબોલાના ખૌફને કારણે India-Africa Summit મોકૂફ.
રોહિત અને હાર્દિકની ICC વર્લ્ડ કપમાં રમવા પર પ્રશ્નાર્થ: BCCIની ચિંતા.
આગામી ICC વનડે વર્લ્ડ કપમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને BCCI ચિંતિત છે. રોહિતની તાજેતરની હેમસ્ટ્રિંગ ઈજા અને વધતી ઉંમર પર પસંદગીકારો સવાલ ઉઠાવી રહ્યા છે. હાર્દિકની 10 ઓવર બોલિંગ કરવાની ક્ષમતા પણ ચર્ચાનો વિષય છે. આ પરિસ્થિતિમાં, BCCI નવા ઓપનર તરીકે યશસ્વી જયસ્વાલને તૈયાર કરવાની યોજના ધરાવે છે.
રોહિત અને હાર્દિકની ICC વર્લ્ડ કપમાં રમવા પર પ્રશ્નાર્થ: BCCIની ચિંતા.
PM મોદીએ પાંચ દેશોના પ્રવાસ દરમિયાન વૈશ્વિક નેતાઓને ભારતની સંસ્કૃતિ અને કળાની અનોખી ભેટો આપી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઈ, ઇટાલી સહિત પાંચ દેશોના પ્રવાસ દરમિયાન વૈશ્વિક નેતાઓને ભારતની સંસ્કૃતિ અને કળાની અનોખી ભેટો આપી. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને ‘મેલોડી ટોફી’, આસામનું મુગા સિલ્ક અને મણિપુરનું શિનરુઈ લિલી સિલ્ક સ્ટોલ ભેટ મળ્યા. ઇટાલીના રાષ્ટ્રપતિ સર્જિયો મેટારેલાને પિએટ્રા ડુરા કળાવાળું માર્બલ બોક્સ અપાયું. UAEના રાષ્ટ્રપતિને કેસર કેરી ભેટ આપી ભારતની કલા, વારસો અને ‘વોકલ ફોર લોકલ’ને વૈશ્વિક ઓળખ અપાઈ. આ ભેટો ભારતની કલા, સંસ્કૃતિ અને સ્વાદની ઓળખ કરાવે છે.
PM મોદીએ પાંચ દેશોના પ્રવાસ દરમિયાન વૈશ્વિક નેતાઓને ભારતની સંસ્કૃતિ અને કળાની અનોખી ભેટો આપી.
પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ પાકિસ્તાનમાં માર્યો ગયો.
2019 પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ, જૈશ-એ-મોહમ્મદ કમાન્ડર હમઝા બુરહાનની પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં તેની ઓફિસમાં અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી દીધી. ISI દ્વારા સુરક્ષા મળવા છતાં, હુમલાખોરો ત્યાં પહોંચી ગયા અને ફાયરિંગ કર્યું, જેનાથી ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું. હમઝા, જે મૂળ જમ્મુ-કાશ્મીરનો હતો, ભારતથી ભાગીને પાકિસ્તાનમાં છુપાઈ ગયો હતો અને ત્યાં 'શિક્ષક' તરીકે ઓળખાતો હતો. પુલવામા હુમલા બાદ પણ તે PoKમાં આતંકીઓને ટ્રેનિંગ આપતો હતો અને ગેરકાયદેસર ઘૂસણખોરીનું સંચાલન કરતો હતો.
પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ પાકિસ્તાનમાં માર્યો ગયો.
ઉનાળામાં લૂ થી બચવા આ 8 વસ્તુઓનું સેવન કરો.
ઉનાળામાં તાપમાન વધવાને કારણે અને ગરમ પવનોને લીધે શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે. લૂ લાગવાને કારણે ચક્કર આવવા, માથાનો દુખાવો, ઉલ્ટી અને વધુ પડતી તરસ લાગવી જેવી સમસ્યાઓ થઈ શકે છે. આથી જ આ ઋતુમાં ખાનપાન પર ખાસ ધ્યાન આપવું અત્યંત મહત્ત્વનું છે. ઉનાળાની ગરમીમાં શરીરને લૂ થી બચાવવા માટે 8 સુપરફૂડ્સ: તરબૂચ, ખીરા, છાસ, નાળિયેર પાણી, ડુંગળી, આમ પન્ના, દહીં અને બીલી. આ વસ્તુઓ શરીરને ઠંડક, તાજગી અને Energy પૂરી પાડે છે.
ઉનાળામાં લૂ થી બચવા આ 8 વસ્તુઓનું સેવન કરો.
ગોવિંદાના કાર્યક્રમમાં બબાલ, મેનેજરે માફીના અહેવાલો નકાર્યા.
બોલિવૂડ અભિનેતા ગોવિંદા મુંબઈની એક ઇવેન્ટમાં વિવાદમાં ફસાયા. સિક્યોરિટી ટીમ અને ફોટોગ્રાફર્સ વચ્ચે ઝપાઝપી થઈ. મીડિયા રિપોર્ટ્સમાં ગોવિંદાએ માફી માગી હોવાનો દાવો થયો, પરંતુ તેમના મેનેજર શશિ સિંહાએ આ અહેવાલોને ખોટા ગણાવ્યા. તેમણે જણાવ્યું કે ગોવિંદાની કોઈ ભૂલ નહોતી અને સિક્યોરિટી સ્ટાફ પોતાની ફરજ બજાવી રહ્યો હતો.
ગોવિંદાના કાર્યક્રમમાં બબાલ, મેનેજરે માફીના અહેવાલો નકાર્યા.
રાણીપમાં BRTS બસ અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવક લોહીલુહાણ, ડ્રાઈવર ફરાર.
અમદાવાદના રાણીપમાં ડી-માર્ટ પાસે BRTS બસ અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત થયો. પુરપાટ ઝડપે આવતી બસે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર બે યુવકો ગંભીર રીતે ઘાયલ થઈ લોહીલુહાણ બન્યા. અકસ્માત સર્જી BRTS બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો, જોકે બાદમાં police સમક્ષ હાજર થયો. બંને યુવકોને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયા.
રાણીપમાં BRTS બસ અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવક લોહીલુહાણ, ડ્રાઈવર ફરાર.
‘જયેશભાઈ જોરદાર’નો ગુજરાતી એક્ટર હત્યાનો વૉન્ટેડ આરોપી નીકળ્યો!
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઘી કાંટા મેટ્રો સ્ટેશન પાસેથી હેમંત મોદી નામના આજીવન કેદના ફરાર આરોપીની ધરપકડ કરી છે. 2005માં નરોડામાં હત્યા કર્યા બાદ તેને સજા થઈ હતી, પરંતુ 2014માં પેરોલ દરમિયાન તે ભાગી ગયો હતો. ત્યારબાદ મુંબઈમાં “સ્પંદન મોદી” નામે સ્ટ્રગલિંગ એક્ટર બની ફિલ્મો અને સીરિયલોમાં કામ કરતો રહ્યો. ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ અને ‘જયેશભાઈ જોરદાર’ જેવી ફિલ્મોમાં પણ દેખાયો હતો. ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે આખરે તેને ઝડપી લીધો.
‘જયેશભાઈ જોરદાર’નો ગુજરાતી એક્ટર હત્યાનો વૉન્ટેડ આરોપી નીકળ્યો!
કાલુપુર બ્રિજ બુલેટ ટ્રેન કામગીરી અંતર્ગત રાત્રિ દરમિયાન બંધ રહેશે.
અમદાવાદ શહેરમાં વાહનચાલકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં શહેરના વ્યસ્ત ગણાતા કાલુપુર બ્રિજ એટલે કે શ્રી મનુભાઈ પરમાર ઓવરબ્રિજ પર આગામી તારીખ 22/05/2026થી તારીખ 25/05/2026 સુધી રાત્રિના સમયે ટ્રાફિક ડાયવર્ઝન અમલી રાખવામાં આવ્યું છે. અમદાવાદ શહેર પોલીસ તંત્ર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડીને નાગરિકોને રાત્રિ દરમિયાન વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
કાલુપુર બ્રિજ બુલેટ ટ્રેન કામગીરી અંતર્ગત રાત્રિ દરમિયાન બંધ રહેશે.
ઈંધણ આપવાની ના પાડનારા પેટ્રોલ પંપો પર સરકારનો કડક આદેશ!
સરકારના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ અછત નથી. Indian Oil Corporation સહિતની સરકારી ઓઇલ કંપનીઓના પેટ્રોલ પંપ પર સતત પુરવઠો જળવાઈ રહે તે માટે કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. ઈંધણ આપવાનો ઇનકાર કરનાર પંપો સામે કાર્યવાહી પણ થઈ રહી છે. લણણીની સીઝન અને ખાનગી કંપનીઓના વધેલા ભાવને કારણે સરકારી પંપ પર માંગ વધી છે. ઉપરાંત રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત યથાવત રાખીને સપ્લાય ચેન જાળવવામાં આવી રહી છે.
ઈંધણ આપવાની ના પાડનારા પેટ્રોલ પંપો પર સરકારનો કડક આદેશ!
Appleએ સાયબર ઠગો પર કર્યો સર્જિકલ સ્ટ્રાઈક, ₹18 હજાર કરોડનું ફ્રોડ ટ્રાન્ઝેક્શન રોક્યું.
Appleએ 2025માં App Store પર 2.22 બિલિયન ડોલર, એટલે કે ₹18 હજાર કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન રોકી લાખો યુઝર્સને બચાવ્યા. છેલ્લા 6 વર્ષમાં 11.2 બિલિયન ડોલરથી વધુના ફ્રોડ ટ્રાન્ઝેક્શન અટકાવ્યા. AI અને હ્યુમન એક્સપર્ટ્સ દ્વારા 91 લાખથી વધુ એપ સબમિશન ચકાસ્યા, 20 લાખથી વધુ રદ કરી. 110 કરોડ નકલી એકાઉન્ટ્સ બનાવવાની કોશિશ નિષ્ફળ બનાવી. 59 હજારથી વધુ છેતરપિંડી કરતી એપ્સ દૂર કરી.
Appleએ સાયબર ઠગો પર કર્યો સર્જિકલ સ્ટ્રાઈક, ₹18 હજાર કરોડનું ફ્રોડ ટ્રાન્ઝેક્શન રોક્યું.
'કોકરોચ જનતા પાર્ટી'નું X એકાઉન્ટ ભારતમાં બૅન!
CJI ની ટિપ્પણી બાદ બનેલ 'કોકરોચ જનતા પાર્ટી'નું X એકાઉન્ટ ભારતમાં Ban કરાયું. આશ્ચર્યની વાત એ છે કે, ગુરુવારે જ આ પેજે ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા મામલે ભારતીય જનતા પાર્ટી (BJP) ને પાછળ છોડી દીધી હતી. ફાઉન્ડર અભિજિત દીપકે આને ડિજિટલ સેન્સરશિપ ગણાવી. CJI એ સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઈશારો 'નકલી ડિગ્રી ધારકો' તરફ હતો.
'કોકરોચ જનતા પાર્ટી'નું X એકાઉન્ટ ભારતમાં બૅન!
RBI નો મોંઘવારી ઘટાડવાનો કડક અભિગમ: રેપો રેટ વધારાના સંકેત.
RBI રૂપિયાના ડોલર સામેના સતત ઘટાડાને લઈને ચિંતિત બન્યું છે. અહેવાલો મુજબ RBI હવે રૂપિયાને સ્થિર કરવા માટે વ્યાજદરોમાં વધારો સહિતના કડક પગલાં પર વિચાર કરી રહી છે. સંજય મલ્હોત્રા સહિતના ટોચના અધિકારીઓએ આ મુદ્દે મહત્વપૂર્ણ બેઠકો કરી છે. રૂપિયો ડોલર સામે આશરે 97ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચ્યો છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને RBI જરૂર પડે તો 5 જૂનની MPC બેઠક પહેલાં પણ ઇમરજન્સી નિર્ણય લઈ શકે છે.
RBI નો મોંઘવારી ઘટાડવાનો કડક અભિગમ: રેપો રેટ વધારાના સંકેત.
ફેક 'નોટ સેલિબ્રેશન' કરી ભારતના સ્ટાર ક્રિકેટરે યુવા ખેલાડીઓની મજાક ઉડાવી?
IPL 2026માં Mumbai Indians અને Kolkata Knight Riders વચ્ચેની મેચ દરમિયાન દીપક ચાહરનું અનોખું ‘ફેક નોટ સેલિબ્રેશન’ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. ફિન એલનની વિકેટ બાદ દીપકે ખિસ્સામાંથી કલ્પિત ચિઠ્ઠી બતાવવાની સ્ટાઈલમાં સેલિબ્રેશન કર્યું, જેને યુવા ખેલાડીઓના લોકપ્રિય ‘નોટ સેલિબ્રેશન’ ટ્રેન્ડની મજાક તરીકે જોવામાં આવી રહ્યું છે. મેચમાં KKRએ મુંબઈને 4 વિકેટે હરાવી પ્લેઓફની આશા જીવંત રાખી હતી.
ફેક 'નોટ સેલિબ્રેશન' કરી ભારતના સ્ટાર ક્રિકેટરે યુવા ખેલાડીઓની મજાક ઉડાવી?
પ્રશાંત કિશોર હવે 'આશ્રમ'માંથી કરશે રાજકારણ, નવા ચૂંટણી અભિયાનની જાહેરાત.
ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરે 'જન સુરાજ પાર્ટી'ની સ્થાપના બાદ હવે પટણા બહારના એક 'આશ્રમ'માંથી રાજકીય કાર્ય કરવાનું નક્કી કર્યું છે. તેઓ આગામી વિધાનસભા ચૂંટણી સુધી ત્યાં રહેશે, જેથી તેમની પાર્ટી ચૂંટણીમાં પોતાનું સ્થાન બનાવી શકે. ભૂતપૂર્વ JD(U) ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે નીતિશ કુમાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે તેઓ પલાયન રોકવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે બિહારના મતદારોને જાતિ, ધર્મ કે પૈસાના બદલે પોતાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વોટ આપવાની અપીલ કરી છે. પશ્ચિમ એશિયાના સંઘર્ષથી ઉદ્ભવતા આર્થિક પડકારો અને સરકારી ખર્ચ અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી છે.
પ્રશાંત કિશોર હવે 'આશ્રમ'માંથી કરશે રાજકારણ, નવા ચૂંટણી અભિયાનની જાહેરાત.
હાર્દિક પંડ્યા MI છોડી KKRમાં જોડાશે? દિગ્ગજે સૂચવ્યો આઈડિયા.
IPL 2026માં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના ખરાબ પ્રદર્શન બાદ હાર્દિક પંડ્યાના ભવિષ્ય અંગે અટકળો તેજ બની છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉએ હાર્દિક અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે મોટી ટ્રેડ ડીલનો વિચાર રજૂ કર્યો છે. 2024માં મુંબઈમાં પરત ફર્યા બાદ હાર્દિકની કેપ્ટનશીપ હેઠળ ટીમ સતત નિષ્ફળ રહી છે, જેના કારણે હવે તેમને કેપ્ટનશીપ અને ટીમમાંથી દૂર કરવાની માંગ ઉઠી રહી છે.
હાર્દિક પંડ્યા MI છોડી KKRમાં જોડાશે? દિગ્ગજે સૂચવ્યો આઈડિયા.
આમિરના IPLમાં પ્રવેશનો માર્ગ ખુલ્યો!
પાકિસ્તાની સ્ટાર બોલર મોહમ્મદ આમિર હવે IPLમાં રમી શકે છે. રાજકીય કારણોસર પ્રતિબંધ હોવા છતાં, બ્રિટિશ નાગરિકતા મળવાને કારણે તે IPL 2027 Auction માટે Eligible બન્યો છે. તેની પત્ની બ્રિટિશ હોવાથી તેણે UK પાસપોર્ટ મેળવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બે વાર નિવૃત્ત થયેલા આમિર પાસે T20 લીગનો અનુભવ છે. તેની Swing બોલિંગ અને Death Oversમાં રન રોકવાની ક્ષમતા ટીમો માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.