Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
Trending icon મારું ગુજરાત icon ઈરાન-ઇઝરાયલ યુદ્ધ icon IPL 2026 icon દેશ icon Crime icon દુનિયા icon રાજકારણ icon રમત-જગત icon હવામાન icon કૃષિ icon વેપાર icon સ્ટોક માર્કેટ icon પર્સનલ ફાઇનાન્સ icon Science & Technology icon મનોરંજન icon બોલીવુડ icon Career icon Education icon જાણવા જેવું icon સ્વાસ્થ્ય icon ધર્મ
‘અમારા નવા હથિયારથી હાર્ટએટેક આવી જશે’, ઈરાને ફરી અમેરિકા-ઈઝરાયલના ધબકારા વધાર્યા
‘અમારા નવા હથિયારથી હાર્ટએટેક આવી જશે’, ઈરાને ફરી અમેરિકા-ઈઝરાયલના ધબકારા વધાર્યા

વેસ્ટ એશિયાની જંગમાં ભલે અત્યારે હુમલા અટક્યા હોય, પરંતુ તણાવ હજુ પણ યથાવત છે. શાંતિના પ્રયાસો માટે થઈ રહેલી તમામ વાટાઘાટો લાંબી ખેંચાઈ રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યાર સુધી કોઈ સહમતી સધાઈ નથી. આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેહરાનના નવા પ્રસ્તાવને ફગાવી દેવાતા તણાવ વધી ગયો છે. હવે આ માહોલ વચ્ચે ઈરાની સેનાએ નવા દાવા સાથે સૌને ચોંકાવી દીધા છે. આર્મીએ જણાવ્યું છે કે, તે ટૂંક સમયમાં જ નવા 'હથિયાર' વિશે ખુલાસો કરશે, જેનાથી અમારા દુશ્મનો ફફડી ઉઠશે.

Published on: 30th April, 2026
Read More at ગુજરાત સમાચાર
‘અમારા નવા હથિયારથી હાર્ટએટેક આવી જશે’, ઈરાને ફરી અમેરિકા-ઈઝરાયલના ધબકારા વધાર્યા
Published on: 30th April, 2026
વેસ્ટ એશિયાની જંગમાં ભલે અત્યારે હુમલા અટક્યા હોય, પરંતુ તણાવ હજુ પણ યથાવત છે. શાંતિના પ્રયાસો માટે થઈ રહેલી તમામ વાટાઘાટો લાંબી ખેંચાઈ રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યાર સુધી કોઈ સહમતી સધાઈ નથી. આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેહરાનના નવા પ્રસ્તાવને ફગાવી દેવાતા તણાવ વધી ગયો છે. હવે આ માહોલ વચ્ચે ઈરાની સેનાએ નવા દાવા સાથે સૌને ચોંકાવી દીધા છે. આર્મીએ જણાવ્યું છે કે, તે ટૂંક સમયમાં જ નવા 'હથિયાર' વિશે ખુલાસો કરશે, જેનાથી અમારા દુશ્મનો ફફડી ઉઠશે.
Read More at ગુજરાત સમાચાર
'જરાક એ દર્દ અને અપમાનની કલ્પના કરો...' દુષ્કર્મ પીડિત બાળકીના ગર્ભપાત મામલે CJI ભાવુક
'જરાક એ દર્દ અને અપમાનની કલ્પના કરો...' દુષ્કર્મ પીડિત બાળકીના ગર્ભપાત મામલે CJI ભાવુક

સુપ્રીમ કોર્ટે 15 વર્ષની દુષ્કર્મ પીડિતાના 30 અઠવાડિયાના ગર્ભપાત મામલે સુનાવણી કરતા માનવીય સંવેદનાઓને સ્પર્શે તેવું વલણ અપનાવ્યું છે. AIIMS દ્વારા દાખલ કરવામાં આવેલી ક્યુરેટિવ પિટિશન પર સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, કોઈ પણ સ્ત્રી પર અનિચ્છનીય ગર્ભાવસ્થા થોપી શકાય નહીં. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું હતું કે પીડિતા પોતે એક બાળકી છે. જે ઉંમરે તેણે ભણવું જોઈએ, તે ઉંમરે તેને મા બનવા માટે મજબૂર કરવામાં આવી રહી છે. તેણે જે પીડા અને અપમાન સહન કર્યું છે તેની કલ્પના કરો. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે અંતિમ નિર્ણય પીડિતા અને તેના માતા-પિતાનો જ હોવો જોઈએ.

Published on: 30th April, 2026
Read More at ગુજરાત સમાચાર
'જરાક એ દર્દ અને અપમાનની કલ્પના કરો...' દુષ્કર્મ પીડિત બાળકીના ગર્ભપાત મામલે CJI ભાવુક
Published on: 30th April, 2026
સુપ્રીમ કોર્ટે 15 વર્ષની દુષ્કર્મ પીડિતાના 30 અઠવાડિયાના ગર્ભપાત મામલે સુનાવણી કરતા માનવીય સંવેદનાઓને સ્પર્શે તેવું વલણ અપનાવ્યું છે. AIIMS દ્વારા દાખલ કરવામાં આવેલી ક્યુરેટિવ પિટિશન પર સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, કોઈ પણ સ્ત્રી પર અનિચ્છનીય ગર્ભાવસ્થા થોપી શકાય નહીં. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું હતું કે પીડિતા પોતે એક બાળકી છે. જે ઉંમરે તેણે ભણવું જોઈએ, તે ઉંમરે તેને મા બનવા માટે મજબૂર કરવામાં આવી રહી છે. તેણે જે પીડા અને અપમાન સહન કર્યું છે તેની કલ્પના કરો. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે અંતિમ નિર્ણય પીડિતા અને તેના માતા-પિતાનો જ હોવો જોઈએ.
Read More at ગુજરાત સમાચાર
એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા

ચીનમાં ૪૦ વર્ષીય પુરુષનું હૃદય અચાનક બંધ થઈ જતાં ડૉક્ટરોએ અત્યાધુનિક 'એક્મો' (ECMO) મશીન દ્વારા તેને નવજીવન આપ્યું છે. ઇલેક્ટ્રિક આંચકા છતાં હૃદય શરૂ ન થતા, આ મશીને શરીરની બહાર રહીને કૃત્રિમ હૃદય અને ફેફસાંની જેમ કાર્ય કર્યું હતું. તે દર્દીના લોહીમાં ઓક્સિજન ભેળવીને લોહી પમ્પ કરતું રહ્યું, જેનાથી લોહીનું પરિભ્રમણ જળવાઈ રહ્યું હતું. આ સફળ તબીબી પ્રક્રિયાએ સાબિત કર્યું કે આધુનિક ટેકનોલોજી હૃદય બેસી જવાના ગંભીર કિસ્સાઓમાં પણ જીવ બચાવવા માટે અત્યંત કારગત નીવડી શકે છે.

Published on: 30th April, 2026
Read More at ગુજરાત સમાચાર
એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
Published on: 30th April, 2026
ચીનમાં ૪૦ વર્ષીય પુરુષનું હૃદય અચાનક બંધ થઈ જતાં ડૉક્ટરોએ અત્યાધુનિક 'એક્મો' (ECMO) મશીન દ્વારા તેને નવજીવન આપ્યું છે. ઇલેક્ટ્રિક આંચકા છતાં હૃદય શરૂ ન થતા, આ મશીને શરીરની બહાર રહીને કૃત્રિમ હૃદય અને ફેફસાંની જેમ કાર્ય કર્યું હતું. તે દર્દીના લોહીમાં ઓક્સિજન ભેળવીને લોહી પમ્પ કરતું રહ્યું, જેનાથી લોહીનું પરિભ્રમણ જળવાઈ રહ્યું હતું. આ સફળ તબીબી પ્રક્રિયાએ સાબિત કર્યું કે આધુનિક ટેકનોલોજી હૃદય બેસી જવાના ગંભીર કિસ્સાઓમાં પણ જીવ બચાવવા માટે અત્યંત કારગત નીવડી શકે છે.
Read More at ગુજરાત સમાચાર
'ખાડિયામાં ઉમેદવાર પસંદગીમાં પાર્ટીની ભૂલ, મને પૂછ્યું જ નહીં..', ભૂષણ ભટ્ટે ભાજપ માથે હારનું ઠીકરું ફોડ્યું
'ખાડિયામાં ઉમેદવાર પસંદગીમાં પાર્ટીની ભૂલ, મને પૂછ્યું જ નહીં..', ભૂષણ ભટ્ટે ભાજપ માથે હારનું ઠીકરું ફોડ્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારે બહુમતી સાથે ભાજપે વિજય હાંસલ કર્યો છે. પરંતુ 54 વર્ષના ઇતિહાસમાં ભાજપે ખાડિયા બેઠક ગુમાવવી પડી હતી. જેથી ગઢ આલા, સિંહ ગેલા જેવો ઘાટ સર્જાયો છે. જોકે, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ખાડિયાની હારનું ઠીકરું ભાજપ પ્રદેશ નેતાગીરી પર ફોડ્યું હતું. તેમનો આક્ષેપ છે કે, ખાડિયામાં ઉમેદવારોની પસંદગીમાં પક્ષે ભૂલ કરી છે અને અમારું પૂછ્યું જ નથી. ખાડિયા બેઠકમાં ભાજપની હાર સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની રહી છે. બેઠક ગુમાવતા પ્રદેશ નેતાગીરી જ નહીં, દિલ્હી હાઈકમાન્ડે પણ ગંભીર નોંધ લીધી છે.

Published on: 30th April, 2026
Read More at ગુજરાત સમાચાર
'ખાડિયામાં ઉમેદવાર પસંદગીમાં પાર્ટીની ભૂલ, મને પૂછ્યું જ નહીં..', ભૂષણ ભટ્ટે ભાજપ માથે હારનું ઠીકરું ફોડ્યું
Published on: 30th April, 2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારે બહુમતી સાથે ભાજપે વિજય હાંસલ કર્યો છે. પરંતુ 54 વર્ષના ઇતિહાસમાં ભાજપે ખાડિયા બેઠક ગુમાવવી પડી હતી. જેથી ગઢ આલા, સિંહ ગેલા જેવો ઘાટ સર્જાયો છે. જોકે, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ખાડિયાની હારનું ઠીકરું ભાજપ પ્રદેશ નેતાગીરી પર ફોડ્યું હતું. તેમનો આક્ષેપ છે કે, ખાડિયામાં ઉમેદવારોની પસંદગીમાં પક્ષે ભૂલ કરી છે અને અમારું પૂછ્યું જ નથી. ખાડિયા બેઠકમાં ભાજપની હાર સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની રહી છે. બેઠક ગુમાવતા પ્રદેશ નેતાગીરી જ નહીં, દિલ્હી હાઈકમાન્ડે પણ ગંભીર નોંધ લીધી છે.
Read More at ગુજરાત સમાચાર
વીડિયો કોન્ફરન્સ દ્વારા છૂટાછેડા લઈ શકાશે, NRI પતિની વર્ચ્યુઅલ હાજરીને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી
વીડિયો કોન્ફરન્સ દ્વારા છૂટાછેડા લઈ શકાશે, NRI પતિની વર્ચ્યુઅલ હાજરીને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી

ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે એનઆરઆઈ પતિને પરસ્પર સંમતિથી છૂટાછેડાના કેસમાં વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવાની મંજૂરી આપી હતી. ફેમિલી કોર્ટ દ્વારા એનઆરઆઈ પતિની ફિઝિકલ હાજરીના આગ્રહને વધુ પડતો ટેકનિકલ અભિગમ ગણાવી હાઈકોર્ટે જણાવ્યું કે, ટેકનોલોજી ખરેખર ન્યાયમાં મદદ કરે છે, તેને અવરોધે નહીં. ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાથી વિદેશમાં રહેતા પક્ષકારો બિનજરૂરી મુશ્કેલીઓથી બચી શકશે. તેમજ વૈવાહિક તકરારના કેસોમાં ડિજિટલ વિકલ્પ અપનાવી વર્ચ્યુઅલ હાજરી મારફતે છૂટાછેડાની પ્રક્રિયા સરળ બનશે.

Published on: 30th April, 2026
Read More at ગુજરાત સમાચાર
વીડિયો કોન્ફરન્સ દ્વારા છૂટાછેડા લઈ શકાશે, NRI પતિની વર્ચ્યુઅલ હાજરીને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી
Published on: 30th April, 2026
ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે એનઆરઆઈ પતિને પરસ્પર સંમતિથી છૂટાછેડાના કેસમાં વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવાની મંજૂરી આપી હતી. ફેમિલી કોર્ટ દ્વારા એનઆરઆઈ પતિની ફિઝિકલ હાજરીના આગ્રહને વધુ પડતો ટેકનિકલ અભિગમ ગણાવી હાઈકોર્ટે જણાવ્યું કે, ટેકનોલોજી ખરેખર ન્યાયમાં મદદ કરે છે, તેને અવરોધે નહીં. ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાથી વિદેશમાં રહેતા પક્ષકારો બિનજરૂરી મુશ્કેલીઓથી બચી શકશે. તેમજ વૈવાહિક તકરારના કેસોમાં ડિજિટલ વિકલ્પ અપનાવી વર્ચ્યુઅલ હાજરી મારફતે છૂટાછેડાની પ્રક્રિયા સરળ બનશે.
Read More at ગુજરાત સમાચાર
મુસ્લિમ વિસ્તારોમાં કેવી રીતે ખીલ્યું 'કમળ'!
મુસ્લિમ વિસ્તારોમાં કેવી રીતે ખીલ્યું 'કમળ'!

આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે લઘુમતી ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. મહાનગરપાલિકામાં નહીં પણ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતમાં 250થી વધુ લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપી ભાજપે રાષ્ટ્રવાદી લઘુમતી કાર્ડ ખેલ્યું હતું જે સ્થાનિક સ્તરે સફળ થયું છે. ભાજપે લઘુમતીઓને ટિકિટ આપી કોંગ્રેસની વોટબેન્કમાં ગાબડું પાડ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઘણાં લઘુમતી ઉમેદવારો વિજયી બન્યા છે. અમદાવાદ જિલ્લામાં ભાજપે વિરમગામ, ધોળકા, બારેજા નગરપાલિકા ઉપરાંત સાણંદ, ધંધુકા તાલુકા પંચાયતમાં કુલ 9 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી.

Published on: 30th April, 2026
Read More at ગુજરાત સમાચાર
મુસ્લિમ વિસ્તારોમાં કેવી રીતે ખીલ્યું 'કમળ'!
Published on: 30th April, 2026
આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે લઘુમતી ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. મહાનગરપાલિકામાં નહીં પણ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતમાં 250થી વધુ લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપી ભાજપે રાષ્ટ્રવાદી લઘુમતી કાર્ડ ખેલ્યું હતું જે સ્થાનિક સ્તરે સફળ થયું છે. ભાજપે લઘુમતીઓને ટિકિટ આપી કોંગ્રેસની વોટબેન્કમાં ગાબડું પાડ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઘણાં લઘુમતી ઉમેદવારો વિજયી બન્યા છે. અમદાવાદ જિલ્લામાં ભાજપે વિરમગામ, ધોળકા, બારેજા નગરપાલિકા ઉપરાંત સાણંદ, ધંધુકા તાલુકા પંચાયતમાં કુલ 9 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી.
Read More at ગુજરાત સમાચાર
અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે પાકિસ્તાન બરબાદ થયું, ખુદ શાહબાઝ શરીફે દુનિયા સામે કબૂલ્યું
અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે પાકિસ્તાન બરબાદ થયું, ખુદ શાહબાઝ શરીફે દુનિયા સામે કબૂલ્યું

દેવાના બોજ તળે દબાયેલું પાકિસ્તાન હવે સંપૂર્ણપણે આર્થિક પાયમાલીના આરે આવી ગયું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સૌથી ગંભીર અસર પાકિસ્તાનની અર્થતંત્ર પર પડી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતે વિશ્વ સમક્ષ કબૂલાત કરી છે કે ઈરાન યુદ્ધે દેશની અર્થતંત્રને લકવાગ્રસ્ત કરી દીધી છે. બુધવારે (29મી એપ્રિલ) આપેલા એક નિવેદનમાં શરીફે જણાવ્યું હતું કે પાકિસ્તાને છેલ્લા બે વર્ષમાં જે પણ આર્થિક સુધારા કર્યા હતા, તે યુદ્ધને કારણે ધૂળમાં મળી ગયા છે. પાકિસ્તાન દર અઠવાડિયે ઓઈલ પર આશરે 30 કરોડ US ડોલર ખર્ચતું હતું. આજે, આ રકમ વધીને 80 કરોડ US ડોલર થઈ ગઈ છે.

Published on: 30th April, 2026
Read More at ગુજરાત સમાચાર
અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે પાકિસ્તાન બરબાદ થયું, ખુદ શાહબાઝ શરીફે દુનિયા સામે કબૂલ્યું
Published on: 30th April, 2026
દેવાના બોજ તળે દબાયેલું પાકિસ્તાન હવે સંપૂર્ણપણે આર્થિક પાયમાલીના આરે આવી ગયું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સૌથી ગંભીર અસર પાકિસ્તાનની અર્થતંત્ર પર પડી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતે વિશ્વ સમક્ષ કબૂલાત કરી છે કે ઈરાન યુદ્ધે દેશની અર્થતંત્રને લકવાગ્રસ્ત કરી દીધી છે. બુધવારે (29મી એપ્રિલ) આપેલા એક નિવેદનમાં શરીફે જણાવ્યું હતું કે પાકિસ્તાને છેલ્લા બે વર્ષમાં જે પણ આર્થિક સુધારા કર્યા હતા, તે યુદ્ધને કારણે ધૂળમાં મળી ગયા છે. પાકિસ્તાન દર અઠવાડિયે ઓઈલ પર આશરે 30 કરોડ US ડોલર ખર્ચતું હતું. આજે, આ રકમ વધીને 80 કરોડ US ડોલર થઈ ગઈ છે.
Read More at ગુજરાત સમાચાર
નેપાળ એરલાઈન્સની ઉદ્ધતાઈ: જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો હિસ્સો બતાવતો નકશો મૂક્યો
નેપાળ એરલાઈન્સની ઉદ્ધતાઈ: જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો હિસ્સો બતાવતો નકશો મૂક્યો

ભારત અને નેપાળ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોમાં ખટાશ ઊભી કરી શકે તેવી એક ઘટનામાં, નેપાળની રાષ્ટ્રીય એરલાઈન્સ (Nepal Airlines) એ ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પાકિસ્તાનના નકશામાં દર્શાવ્યા છે. નેપાળ એરલાઈન્સે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પ્રમોશનલ ગ્રાફિક અથવા રૂટ મેપ શેર કર્યો હતો. આ નકશામાં ભારતીય સરહદોનું ખોટું ચિત્રણ કરવામાં આવ્યું હતું. સૌથી વધુ વાંધાજનક બાબત એ હતી કે, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વિસ્તારોને ભારતના બદલે પાકિસ્તાનના ભૂ-ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા.

Published on: 30th April, 2026
Read More at ગુજરાત સમાચાર
નેપાળ એરલાઈન્સની ઉદ્ધતાઈ: જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો હિસ્સો બતાવતો નકશો મૂક્યો
Published on: 30th April, 2026
ભારત અને નેપાળ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોમાં ખટાશ ઊભી કરી શકે તેવી એક ઘટનામાં, નેપાળની રાષ્ટ્રીય એરલાઈન્સ (Nepal Airlines) એ ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પાકિસ્તાનના નકશામાં દર્શાવ્યા છે. નેપાળ એરલાઈન્સે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પ્રમોશનલ ગ્રાફિક અથવા રૂટ મેપ શેર કર્યો હતો. આ નકશામાં ભારતીય સરહદોનું ખોટું ચિત્રણ કરવામાં આવ્યું હતું. સૌથી વધુ વાંધાજનક બાબત એ હતી કે, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વિસ્તારોને ભારતના બદલે પાકિસ્તાનના ભૂ-ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
Read More at ગુજરાત સમાચાર
LPGથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી... 1 મેથી દેશમાં થઈ રહ્યા છે 5 મોટા ફેરફાર
LPGથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી... 1 મેથી દેશમાં થઈ રહ્યા છે 5 મોટા ફેરફાર

૧ મે, ૨૦૨૬થી દેશમાં અનેક આર્થિક ફેરફારો અમલી બનશે, જેની સીધી અસર સામાન્ય જનતાના બજેટ પર પડશે. ઓઈલ કંપનીઓ LPG, CNG અને ATFના નવા ભાવ જાહેર કરશે, જેમાં ફેરફારની શક્યતા છે. SBI કાર્ડધારકો માટે લેટ પેમેન્ટ ચાર્જ અને એન્યુઅલ ફીના નિયમો બદલાશે. આ ઉપરાંત, ઓનલાઇન ગેમિંગ માટે નવા સરકારી નિયમો લાગુ થશે અને બેન્ક ગ્રાહકો માટે e-KYC પૂર્ણ કરવાની અંતિમ તારીખ હોવાથી તે અપડેટ કરાવવું અનિવાર્ય બનશે, અન્યથા નાણાકીય વ્યવહારો અટકી શકે છે.

Published on: 30th April, 2026
Read More at ગુજરાત સમાચાર
LPGથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી... 1 મેથી દેશમાં થઈ રહ્યા છે 5 મોટા ફેરફાર
Published on: 30th April, 2026
૧ મે, ૨૦૨૬થી દેશમાં અનેક આર્થિક ફેરફારો અમલી બનશે, જેની સીધી અસર સામાન્ય જનતાના બજેટ પર પડશે. ઓઈલ કંપનીઓ LPG, CNG અને ATFના નવા ભાવ જાહેર કરશે, જેમાં ફેરફારની શક્યતા છે. SBI કાર્ડધારકો માટે લેટ પેમેન્ટ ચાર્જ અને એન્યુઅલ ફીના નિયમો બદલાશે. આ ઉપરાંત, ઓનલાઇન ગેમિંગ માટે નવા સરકારી નિયમો લાગુ થશે અને બેન્ક ગ્રાહકો માટે e-KYC પૂર્ણ કરવાની અંતિમ તારીખ હોવાથી તે અપડેટ કરાવવું અનિવાર્ય બનશે, અન્યથા નાણાકીય વ્યવહારો અટકી શકે છે.
Read More at ગુજરાત સમાચાર
 શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 286 પોઈન્ટનો કડાકો
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 286 પોઈન્ટનો કડાકો

આજે સવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ધોવાણ જોવા મળ્યું હતું. મળેલી વિગતો અને લેટેસ્ટ ડેટા મુજબ સેન્સેક્સ 927.83 પોઈન્ટ (1.20%) ગબડીને 76,568.53 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બજાર 77,014.21 ના સ્તરે ખુલ્યા બાદ સતત નીચે ગયું હતું. જ્યારે નિફ્ટી 50 માં પણ 286.70 પોઈન્ટ (1.19%) નો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી અત્યારે 23,890.95 ના સ્તર પર આવી ગઈ છે. શેરબજારમાં આજે આવેલા આ પ્રચંડ ઘટાડા પાછળ કેટલાક વૈશ્વિક અને આર્થિક પરિબળો જવાબદાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તામાં પડેલા ગતિરોધને કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે.

Published on: 30th April, 2026
Read More at ગુજરાત સમાચાર
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 286 પોઈન્ટનો કડાકો
Published on: 30th April, 2026
આજે સવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ધોવાણ જોવા મળ્યું હતું. મળેલી વિગતો અને લેટેસ્ટ ડેટા મુજબ સેન્સેક્સ 927.83 પોઈન્ટ (1.20%) ગબડીને 76,568.53 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બજાર 77,014.21 ના સ્તરે ખુલ્યા બાદ સતત નીચે ગયું હતું. જ્યારે નિફ્ટી 50 માં પણ 286.70 પોઈન્ટ (1.19%) નો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી અત્યારે 23,890.95 ના સ્તર પર આવી ગઈ છે. શેરબજારમાં આજે આવેલા આ પ્રચંડ ઘટાડા પાછળ કેટલાક વૈશ્વિક અને આર્થિક પરિબળો જવાબદાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તામાં પડેલા ગતિરોધને કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે.
Read More at ગુજરાત સમાચાર
ગરમીથી આંશિક રાહત: ભેજવાળા પવનથી તાપમાનમાં ઘટાડો, 7 શહેરમાં 40°C પાર.
ગરમીથી આંશિક રાહત: ભેજવાળા પવનથી તાપમાનમાં ઘટાડો, 7 શહેરમાં 40°C પાર.

ગુજરાતના નાગરિકો અસહ્ય ગરમીમાંથી રાહત અનુભવશે. ભેજવાળા પવન ફૂંકાવાથી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે, જેથી આકરો તાપ સહન નહીં કરવો પડે. જોકે, 7 શહેરોમાં તાપમાન હજુ પણ 40°C ની ઉપર છે. આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે.

Published on: 30th April, 2026
Read More at દિવ્ય ભાસ્કર
ગરમીથી આંશિક રાહત: ભેજવાળા પવનથી તાપમાનમાં ઘટાડો, 7 શહેરમાં 40°C પાર.
Published on: 30th April, 2026
ગુજરાતના નાગરિકો અસહ્ય ગરમીમાંથી રાહત અનુભવશે. ભેજવાળા પવન ફૂંકાવાથી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે, જેથી આકરો તાપ સહન નહીં કરવો પડે. જોકે, 7 શહેરોમાં તાપમાન હજુ પણ 40°C ની ઉપર છે. આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે.
Read More at દિવ્ય ભાસ્કર
ચૂંટણી પૂર્ણ: મોદીએ ઝાલમુડી, મમતાએ સ્કૂટી, રાહુલે સાયકલ ચલાવી.
ચૂંટણી પૂર્ણ: મોદીએ ઝાલમુડી, મમતાએ સ્કૂટી, રાહુલે સાયકલ ચલાવી.

પાંચ રાજ્યોમાં ચૂંટણી સંપન્ન. 4 મેના રોજ પરિણામો. 51 દિવસના પ્રચારમાં અનેક memorable moments. PM મોદીએ બંગાળમાં ઝાલમુડીનો સ્વાદ માણ્યો, મમતાએ સ્કૂટી ચલાવી. રાહુલ ગાંધી કેરળમાં સાયકલ અને બસમાં ફર્યા.

Published on: 30th April, 2026
Read More at દિવ્ય ભાસ્કર
ચૂંટણી પૂર્ણ: મોદીએ ઝાલમુડી, મમતાએ સ્કૂટી, રાહુલે સાયકલ ચલાવી.
Published on: 30th April, 2026
પાંચ રાજ્યોમાં ચૂંટણી સંપન્ન. 4 મેના રોજ પરિણામો. 51 દિવસના પ્રચારમાં અનેક memorable moments. PM મોદીએ બંગાળમાં ઝાલમુડીનો સ્વાદ માણ્યો, મમતાએ સ્કૂટી ચલાવી. રાહુલ ગાંધી કેરળમાં સાયકલ અને બસમાં ફર્યા.
Read More at દિવ્ય ભાસ્કર
કોહિનૂર હીરો ભારતને પાછો આપો: ન્યૂયોર્કના મેયરની અપીલ.
કોહિનૂર હીરો ભારતને પાછો આપો: ન્યૂયોર્કના મેયરની અપીલ.

ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાની ફરી એકવાર પોતાના નિવેદનને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ III અને ક્વીન કેમિલા ન્યૂયોર્કની મુલાકાતે છે, જ્યાં મેમોરિયલ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવા દરમિયાન મેયર મમદાનીએ કોહિનૂર હીરાનો મુદ્દો ઉઠાવશે તેવું જણાવ્યું હતું. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મમદાનીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જો તેમને કિંગ ચાર્લ્સ સાથે અંગત વાતચીત કરવાની તક મળશે, તો તેઓ ભારતનો અમૂલ્ય 'કોહિનૂર' હીરો પરત કરવાની માંગ કરશે. તેમણે ઉમેર્યું કે, "કોહિનૂર માત્ર એક પથ્થર નથી, પરંતુ તે ભારતના ગૌરવશાળી ઈતિહાસ અને બ્રિટિશ શાસન દરમિયાન થયેલા શોષણનું પ્રતીક છે."

Published on: 30th April, 2026
Read More at સંદેશ
કોહિનૂર હીરો ભારતને પાછો આપો: ન્યૂયોર્કના મેયરની અપીલ.
Published on: 30th April, 2026
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાની ફરી એકવાર પોતાના નિવેદનને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ III અને ક્વીન કેમિલા ન્યૂયોર્કની મુલાકાતે છે, જ્યાં મેમોરિયલ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવા દરમિયાન મેયર મમદાનીએ કોહિનૂર હીરાનો મુદ્દો ઉઠાવશે તેવું જણાવ્યું હતું. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મમદાનીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જો તેમને કિંગ ચાર્લ્સ સાથે અંગત વાતચીત કરવાની તક મળશે, તો તેઓ ભારતનો અમૂલ્ય 'કોહિનૂર' હીરો પરત કરવાની માંગ કરશે. તેમણે ઉમેર્યું કે, "કોહિનૂર માત્ર એક પથ્થર નથી, પરંતુ તે ભારતના ગૌરવશાળી ઈતિહાસ અને બ્રિટિશ શાસન દરમિયાન થયેલા શોષણનું પ્રતીક છે."
Read More at સંદેશ
સુરેન્દ્રનગરની કેનાલમાં કાર ખાબકતા મહિલાનું મોત
સુરેન્દ્રનગરની કેનાલમાં કાર ખાબકતા મહિલાનું મોત

ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર કોંઢ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતા હળવદના દંપતી પૈકી પત્નીનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. પતિનો ચમત્કારિક બચાવ થયો છે. ફાયર વિભાગ અને સ્થાનિકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું.

Published on: 30th April, 2026
Read More at સંદેશ
સુરેન્દ્રનગરની કેનાલમાં કાર ખાબકતા મહિલાનું મોત
Published on: 30th April, 2026
ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર કોંઢ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતા હળવદના દંપતી પૈકી પત્નીનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. પતિનો ચમત્કારિક બચાવ થયો છે. ફાયર વિભાગ અને સ્થાનિકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું.
Read More at સંદેશ
સુરત: ધનાઢ્ય પરિવારમાં મિત્રતાનો ગુનો, પુત્રવધુની આપવીતી.
સુરત: ધનાઢ્ય પરિવારમાં મિત્રતાનો ગુનો, પુત્રવધુની આપવીતી.

સુરતમાં એક ધનાઢ્ય પરિવારમાં પુત્રવધુ બનીને ગયેલી મહિલાની કહાણી ચોંકાવનારી હતી. પતિના મિત્રો સાથે વાતચીત કરવી પણ ગુનો ગણાતો હતો. શંકાને કારણે પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મુકતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જોકે, મહિલા વકીલના પ્રયાસોથી સુખદ સમાધાન થયું.

Published on: 30th April, 2026
Read More at સંદેશ
સુરત: ધનાઢ્ય પરિવારમાં મિત્રતાનો ગુનો, પુત્રવધુની આપવીતી.
Published on: 30th April, 2026
સુરતમાં એક ધનાઢ્ય પરિવારમાં પુત્રવધુ બનીને ગયેલી મહિલાની કહાણી ચોંકાવનારી હતી. પતિના મિત્રો સાથે વાતચીત કરવી પણ ગુનો ગણાતો હતો. શંકાને કારણે પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મુકતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જોકે, મહિલા વકીલના પ્રયાસોથી સુખદ સમાધાન થયું.
Read More at સંદેશ
બીમાર સિંહબાળને બચાવી માતા સાથે મિલન, વન વિભાગની પ્રશંસનીય કામગીરી.
બીમાર સિંહબાળને બચાવી માતા સાથે મિલન, વન વિભાગની પ્રશંસનીય કામગીરી.

વેરાવળ વન વિભાગે બીમાર સિંહબાળને બચાવી, ઇન્ટેન્સિવ સારવાર આપી, માતા સાથે સફળતાપૂર્વક મિલન કરાવ્યું. આ કામગીરી વન્યજીવો પ્રત્યેની વિભાગની સંવેદનશીલતા અને ફરજ નિષ્ઠા દર્શાવે છે, જે પ્રકૃતિપ્રેમીઓ માટે આનંદદાયક છે.

Published on: 30th April, 2026
Read More at દિવ્ય ભાસ્કર
બીમાર સિંહબાળને બચાવી માતા સાથે મિલન, વન વિભાગની પ્રશંસનીય કામગીરી.
Published on: 30th April, 2026
વેરાવળ વન વિભાગે બીમાર સિંહબાળને બચાવી, ઇન્ટેન્સિવ સારવાર આપી, માતા સાથે સફળતાપૂર્વક મિલન કરાવ્યું. આ કામગીરી વન્યજીવો પ્રત્યેની વિભાગની સંવેદનશીલતા અને ફરજ નિષ્ઠા દર્શાવે છે, જે પ્રકૃતિપ્રેમીઓ માટે આનંદદાયક છે.
Read More at દિવ્ય ભાસ્કર
NEET અને TAT પરીક્ષા: 3 મેના રોજ રાજકોટ અને દેશભરમાં પરીક્ષાઓ.
NEET અને TAT પરીક્ષા: 3 મેના રોજ રાજકોટ અને દેશભરમાં પરીક્ષાઓ.

3 મે, 2026 ના રોજ દેશભરમાં 22.79 લાખ વિદ્યાર્થીઓ NEET પરીક્ષા આપશે, જેમાં રાજકોટના 4,176 વિદ્યાર્થીઓ ભાગ લેશે. તે જ દિવસે, ધોરણ 9-10 માં શિક્ષક બનવા માટે TAT સેકન્ડરી પ્રિલીમ્સ પરીક્ષા યોજાશે, જેમાં રાજકોટના 33,303 ઉમેદવારો પરીક્ષા આપશે. બંને પરીક્ષાઓમાં Negative Marking ની સિસ્ટમ અમલમાં રહેશે.

Published on: 30th April, 2026
Read More at દિવ્ય ભાસ્કર
NEET અને TAT પરીક્ષા: 3 મેના રોજ રાજકોટ અને દેશભરમાં પરીક્ષાઓ.
Published on: 30th April, 2026
3 મે, 2026 ના રોજ દેશભરમાં 22.79 લાખ વિદ્યાર્થીઓ NEET પરીક્ષા આપશે, જેમાં રાજકોટના 4,176 વિદ્યાર્થીઓ ભાગ લેશે. તે જ દિવસે, ધોરણ 9-10 માં શિક્ષક બનવા માટે TAT સેકન્ડરી પ્રિલીમ્સ પરીક્ષા યોજાશે, જેમાં રાજકોટના 33,303 ઉમેદવારો પરીક્ષા આપશે. બંને પરીક્ષાઓમાં Negative Marking ની સિસ્ટમ અમલમાં રહેશે.
Read More at દિવ્ય ભાસ્કર
સુરતના સારોલીમાં અંબિકા ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ.
સુરતના સારોલીમાં અંબિકા ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ.

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી અંબિકા ઇન્ડસ્ટ્રીમાં ગત મધરાતે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગની તીવ્રતા એટલી વધુ હતી કે સુરત ફાયર વિભાગની ૯ ગાડીઓએ અઢી કલાકની ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં મોંઘા ડિજિટલ મશીનો અને કાપડનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતાં માલિકને ભારે આર્થિક નુકસાન થયું છે. સદનસીબે, રાત્રિનો સમય હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

Published on: 30th April, 2026
Read More at સંદેશ
સુરતના સારોલીમાં અંબિકા ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ.
Published on: 30th April, 2026
સુરતના સારોલી વિસ્તારમાં આવેલી અંબિકા ઇન્ડસ્ટ્રીમાં ગત મધરાતે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગની તીવ્રતા એટલી વધુ હતી કે સુરત ફાયર વિભાગની ૯ ગાડીઓએ અઢી કલાકની ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં મોંઘા ડિજિટલ મશીનો અને કાપડનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતાં માલિકને ભારે આર્થિક નુકસાન થયું છે. સદનસીબે, રાત્રિનો સમય હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
Read More at સંદેશ
લિફ્ટ માગી વેપારીને લૂંટનાર ઝડપાયો.
લિફ્ટ માગી વેપારીને લૂંટનાર ઝડપાયો.

મોરબીમાં લિફ્ટ માગવાના બહાને મોબાઈલ વેપારીને છરી બતાવી લૂંટનાર કુલદિપસિંગ ઉર્ફે કાલી ઝડપાયો. તેની પાસેથી લૂંટાયેલું બાઇક અને 10 હજાર રોકડ કબજે કરાયા. આરોપી અગાઉ પાનની દુકાનમાંથી પણ 30 હજાર ચોરી ચૂક્યો છે.

Published on: 30th April, 2026
Read More at દિવ્ય ભાસ્કર
લિફ્ટ માગી વેપારીને લૂંટનાર ઝડપાયો.
Published on: 30th April, 2026
મોરબીમાં લિફ્ટ માગવાના બહાને મોબાઈલ વેપારીને છરી બતાવી લૂંટનાર કુલદિપસિંગ ઉર્ફે કાલી ઝડપાયો. તેની પાસેથી લૂંટાયેલું બાઇક અને 10 હજાર રોકડ કબજે કરાયા. આરોપી અગાઉ પાનની દુકાનમાંથી પણ 30 હજાર ચોરી ચૂક્યો છે.
Read More at દિવ્ય ભાસ્કર
સુરતમાં આઈસ્ક્રીમ અને ઘીના સેમ્પલ ફેઈલ, ફૂડ વિભાગની કાર્યવાહી
સુરતમાં આઈસ્ક્રીમ અને ઘીના સેમ્પલ ફેઈલ, ફૂડ વિભાગની કાર્યવાહી

સુરત ફૂડ વિભાગે આઈસ્ક્રીમ અને ઘીના સેમ્પલ લીધા હતા. કેટલાક ઘીના સેમ્પલ 'અનસેફ' અને 'સબસ્ટાન્ડર્ડ' જાહેર થયા, જેમાં બીટા સીટોસ્ટોરેલની હાજરી મળી. આઈસ્ક્રીમના સેમ્પલમાં પણ દૂધમાં ફેટનું પ્રમાણ ઓછું હોવાથી તે સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા. સંચાલકો સામે કાર્યવાહી શરૂ.

Published on: 30th April, 2026
Read More at સંદેશ
સુરતમાં આઈસ્ક્રીમ અને ઘીના સેમ્પલ ફેઈલ, ફૂડ વિભાગની કાર્યવાહી
Published on: 30th April, 2026
સુરત ફૂડ વિભાગે આઈસ્ક્રીમ અને ઘીના સેમ્પલ લીધા હતા. કેટલાક ઘીના સેમ્પલ 'અનસેફ' અને 'સબસ્ટાન્ડર્ડ' જાહેર થયા, જેમાં બીટા સીટોસ્ટોરેલની હાજરી મળી. આઈસ્ક્રીમના સેમ્પલમાં પણ દૂધમાં ફેટનું પ્રમાણ ઓછું હોવાથી તે સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા. સંચાલકો સામે કાર્યવાહી શરૂ.
Read More at સંદેશ
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ચાલતી કારમાં આગ, 5 લોકો જીવતા ભૂંજાયા.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ચાલતી કારમાં આગ, 5 લોકો જીવતા ભૂંજાયા.

રાજસ્થાનના અલવર નજીક બુધવારે મોડી રાત્રે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર એક ભયાનક અકસ્માત થયો, જેમાં વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા પરિવારના 5 સભ્યો ચાલતી કારમાં આગ લાગવાથી જીવતા ભૂંજાયા. કાર ચાલક ગંભીર રીતે દાઝી ગયો છે.

Published on: 30th April, 2026
Read More at ગુજરાત સમાચાર
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ચાલતી કારમાં આગ, 5 લોકો જીવતા ભૂંજાયા.
Published on: 30th April, 2026
રાજસ્થાનના અલવર નજીક બુધવારે મોડી રાત્રે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર એક ભયાનક અકસ્માત થયો, જેમાં વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા પરિવારના 5 સભ્યો ચાલતી કારમાં આગ લાગવાથી જીવતા ભૂંજાયા. કાર ચાલક ગંભીર રીતે દાઝી ગયો છે.
Read More at ગુજરાત સમાચાર
સુરેન્દ્રનગર મનપા: અનુ.જાતિ મહિલા મેયર બનશે તો વોર્ડ 13 અને 9 ના સભ્યો દાવેદાર.
સુરેન્દ્રનગર મનપા: અનુ.જાતિ મહિલા મેયર બનશે તો વોર્ડ 13 અને 9 ના સભ્યો દાવેદાર.

સુરેન્દ્રનગર મહાનગર પાલિકામાં ભાજપના ભવ્ય વિજય બાદ પ્રથમ મેયર કોણ બનશે તે ચર્ચાનો વિષય છે. અનુસૂચિત જાતિ માટે રોટેશન છે, જેમાં પુરૂષ કે સ્ત્રીનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. જો અનુસૂચિત જાતિની મહિલા મેયર બને તો વોર્ડ નં. 13ના કુસુમબેન સોલંકી અને વોર્ડ નં. 9ના દિવ્યાબેન મીયાવડા મેયરપદના મુખ્ય દાવેદાર બની શકે છે. પક્ષના નિર્ણય પર મેયરનો મદાર રહેશે.

Published on: 30th April, 2026
Read More at દિવ્ય ભાસ્કર
સુરેન્દ્રનગર મનપા: અનુ.જાતિ મહિલા મેયર બનશે તો વોર્ડ 13 અને 9 ના સભ્યો દાવેદાર.
Published on: 30th April, 2026
સુરેન્દ્રનગર મહાનગર પાલિકામાં ભાજપના ભવ્ય વિજય બાદ પ્રથમ મેયર કોણ બનશે તે ચર્ચાનો વિષય છે. અનુસૂચિત જાતિ માટે રોટેશન છે, જેમાં પુરૂષ કે સ્ત્રીનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. જો અનુસૂચિત જાતિની મહિલા મેયર બને તો વોર્ડ નં. 13ના કુસુમબેન સોલંકી અને વોર્ડ નં. 9ના દિવ્યાબેન મીયાવડા મેયરપદના મુખ્ય દાવેદાર બની શકે છે. પક્ષના નિર્ણય પર મેયરનો મદાર રહેશે.
Read More at દિવ્ય ભાસ્કર
મેયરને રૂ.25 લાખ બજેટ, નગરસેવકોને પણ મોટો વહીવટ‎
મેયરને રૂ.25 લાખ બજેટ, નગરસેવકોને પણ મોટો વહીવટ‎

ગુજરાતમાં 9 મહાનગરપાલિકાઓમાં ચૂંટણી પ્રક્રિયા વેગવાન બની છે. મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનની વરણી થશે. મેયરને બંગલો, ગાડી, સ્ટાફ મળશે. કોર્પોરેટર્સને વાર્ષિક રૂ.5 લાખથી 25 લાખ સુધી ગ્રાન્ટ મળી શકે છે. હવે નગરસેવકો શહેરના વિકાસમાં સહભાગી બનશે.

Published on: 30th April, 2026
Read More at દિવ્ય ભાસ્કર
મેયરને રૂ.25 લાખ બજેટ, નગરસેવકોને પણ મોટો વહીવટ‎
Published on: 30th April, 2026
ગુજરાતમાં 9 મહાનગરપાલિકાઓમાં ચૂંટણી પ્રક્રિયા વેગવાન બની છે. મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનની વરણી થશે. મેયરને બંગલો, ગાડી, સ્ટાફ મળશે. કોર્પોરેટર્સને વાર્ષિક રૂ.5 લાખથી 25 લાખ સુધી ગ્રાન્ટ મળી શકે છે. હવે નગરસેવકો શહેરના વિકાસમાં સહભાગી બનશે.
Read More at દિવ્ય ભાસ્કર
આવાસ યોજનાનો હપ્તો પાસ કરવા 5,000ની લાંચ લેતા ગ્રામ સેવક ઝડપાયો.
આવાસ યોજનાનો હપ્તો પાસ કરવા 5,000ની લાંચ લેતા ગ્રામ સેવક ઝડપાયો.

મહેસાણાના વિજાપુરમાં ગ્રામ સેવકને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હપ્તો પાસ કરવા માટે ₹5,000ની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો. આ ભ્રષ્ટાચારના કિસ્સાથી અન્ય સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Published on: 30th April, 2026
Read More at સંદેશ
આવાસ યોજનાનો હપ્તો પાસ કરવા 5,000ની લાંચ લેતા ગ્રામ સેવક ઝડપાયો.
Published on: 30th April, 2026
મહેસાણાના વિજાપુરમાં ગ્રામ સેવકને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હપ્તો પાસ કરવા માટે ₹5,000ની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો. આ ભ્રષ્ટાચારના કિસ્સાથી અન્ય સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
Read More at સંદેશ
ઓમકારેશ્વરમાં માલપુરના યુવાનનું સન્માન, શંકરદૂત દ્વારા આધ્યાત્મિક દર્શન.
ઓમકારેશ્વરમાં માલપુરના યુવાનનું સન્માન, શંકરદૂત દ્વારા આધ્યાત્મિક દર્શન.

ઓમકારેશ્વરમાં યોજાયેલ એકાત્મ પર્વમાં 700થી વધુ યુવાનોને શંકરદૂત તરીકે દીક્ષા અપાઈ. અરવલ્લીના હર્ષુ પંડ્યાનું વિશેષ સન્માન થયું. સ્વામી અવધેશાનંદજીએ કહ્યું, શંકરદૂત વિશ્વમાં ભારતનું આધ્યાત્મિક દર્શન પ્રસ્તુત કરશે.

Published on: 30th April, 2026
Read More at દિવ્ય ભાસ્કર
ઓમકારેશ્વરમાં માલપુરના યુવાનનું સન્માન, શંકરદૂત દ્વારા આધ્યાત્મિક દર્શન.
Published on: 30th April, 2026
ઓમકારેશ્વરમાં યોજાયેલ એકાત્મ પર્વમાં 700થી વધુ યુવાનોને શંકરદૂત તરીકે દીક્ષા અપાઈ. અરવલ્લીના હર્ષુ પંડ્યાનું વિશેષ સન્માન થયું. સ્વામી અવધેશાનંદજીએ કહ્યું, શંકરદૂત વિશ્વમાં ભારતનું આધ્યાત્મિક દર્શન પ્રસ્તુત કરશે.
Read More at દિવ્ય ભાસ્કર
જુનિયર ડોક્ટર્સની હડતાળ, SSG હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ.
જુનિયર ડોક્ટર્સની હડતાળ, SSG હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ.

સયાજી હોસ્પિટલમાં ઘટના બાદ જુનિયર ડોક્ટર્સ એસોસિએશને સુરક્ષા અને ન્યાયની માંગ સાથે હડતાળ કરી છે. Non-emergency સેવાઓ બંધ, જ્યારે emergency સેવાઓ ચાલુ છે. મળતી માહિતી મુજબ, ગત રોજ એક પરિવાર પોતાના સંબંધીનો મૃતદેહ લેવા માટે હોસ્પિટલના કોલ્ડરૂમ (મોર્ચ્યુરી) ખાતે પહોંચ્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે જ્યારે તેમને મૃતદેહ સોંપવામાં આવ્યો ત્યારે તે ડી-કમ્પોઝ (કોહવાયેલી) હાલતમાં જોવા મળ્યો હતો. આ જોતા જ પરિવારજનો અને પરિચિતો રોષે ભરાયા હતા.

Published on: 30th April, 2026
Read More at સંદેશ
જુનિયર ડોક્ટર્સની હડતાળ, SSG હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ.
Published on: 30th April, 2026
સયાજી હોસ્પિટલમાં ઘટના બાદ જુનિયર ડોક્ટર્સ એસોસિએશને સુરક્ષા અને ન્યાયની માંગ સાથે હડતાળ કરી છે. Non-emergency સેવાઓ બંધ, જ્યારે emergency સેવાઓ ચાલુ છે. મળતી માહિતી મુજબ, ગત રોજ એક પરિવાર પોતાના સંબંધીનો મૃતદેહ લેવા માટે હોસ્પિટલના કોલ્ડરૂમ (મોર્ચ્યુરી) ખાતે પહોંચ્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે જ્યારે તેમને મૃતદેહ સોંપવામાં આવ્યો ત્યારે તે ડી-કમ્પોઝ (કોહવાયેલી) હાલતમાં જોવા મળ્યો હતો. આ જોતા જ પરિવારજનો અને પરિચિતો રોષે ભરાયા હતા.
Read More at સંદેશ
ઈરાન યુદ્ધમાં અમેરિકાનું 2500 કરોડ ડોલર, ઈરાની રિયાલ નવા તળિયે.
ઈરાન યુદ્ધમાં અમેરિકાનું 2500 કરોડ ડોલર, ઈરાની રિયાલ નવા તળિયે.

અમેરિકાને ઇરાન સાથેના યુદ્ધમાં અત્યાર સુધીમાં અંદાજે 25 અબજ ડોલરનો ખર્ચો થયો છે, એમ પેન્ટાગોનના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરે નીતિગત ઘડવૈયાઓ સમક્ષ જણાવ્યું હતું. હાઉસ આર્મ્સ કમિટી સમક્ષ સુનાવણી દરમિયાન અધિકારીએ જણાવ્યું હતું કે મોટાભાગના નાણા દારુગોળા પાછળ ખર્ચવામાં આવ્યા હતા. બીજી બાજુ ઇરાની ચલણ રિયાલે નવું જ તળિયું બનાવ્યું છે. અમેરિકન લશ્કરે આ ઉપરાંત તેની લશ્કરી કામગીરી અને સાધનો પાછળ પણ ખર્ચ કર્યો છે.

Published on: 30th April, 2026
Read More at ગુજરાત સમાચાર
ઈરાન યુદ્ધમાં અમેરિકાનું 2500 કરોડ ડોલર, ઈરાની રિયાલ નવા તળિયે.
Published on: 30th April, 2026
અમેરિકાને ઇરાન સાથેના યુદ્ધમાં અત્યાર સુધીમાં અંદાજે 25 અબજ ડોલરનો ખર્ચો થયો છે, એમ પેન્ટાગોનના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરે નીતિગત ઘડવૈયાઓ સમક્ષ જણાવ્યું હતું. હાઉસ આર્મ્સ કમિટી સમક્ષ સુનાવણી દરમિયાન અધિકારીએ જણાવ્યું હતું કે મોટાભાગના નાણા દારુગોળા પાછળ ખર્ચવામાં આવ્યા હતા. બીજી બાજુ ઇરાની ચલણ રિયાલે નવું જ તળિયું બનાવ્યું છે. અમેરિકન લશ્કરે આ ઉપરાંત તેની લશ્કરી કામગીરી અને સાધનો પાછળ પણ ખર્ચ કર્યો છે.
Read More at ગુજરાત સમાચાર
હિંમતનગર વોર્ડ 4માં ભાજપની હાર: 300થી વધુ સિંગલ વોટને કારણે
હિંમતનગર વોર્ડ 4માં ભાજપની હાર: 300થી વધુ સિંગલ વોટને કારણે

હિંમતનગર વોર્ડ નં-4માં ભાજપના 3 ઉમેદવારની હાર થઈ છે. આંતરિક વિખવાદ અને 300થી વધુ સિંગલ વોટિંગને કારણે આ પરિણામ આવ્યું છે. 2015માં પણ આવું જ થયું હતું. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર હોદ્દેદારો સામે કાર્યવાહીની માંગ કરાઈ છે.

Published on: 30th April, 2026
Read More at દિવ્ય ભાસ્કર
હિંમતનગર વોર્ડ 4માં ભાજપની હાર: 300થી વધુ સિંગલ વોટને કારણે
Published on: 30th April, 2026
હિંમતનગર વોર્ડ નં-4માં ભાજપના 3 ઉમેદવારની હાર થઈ છે. આંતરિક વિખવાદ અને 300થી વધુ સિંગલ વોટિંગને કારણે આ પરિણામ આવ્યું છે. 2015માં પણ આવું જ થયું હતું. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર હોદ્દેદારો સામે કાર્યવાહીની માંગ કરાઈ છે.
Read More at દિવ્ય ભાસ્કર
પિતાની સેવા કરવા આવેલ દીકરીનું અકસ્માતમાં મોત, પરિવાર શોકમાં.
પિતાની સેવા કરવા આવેલ દીકરીનું અકસ્માતમાં મોત, પરિવાર શોકમાં.

લકવાગ્રસ્ત પિતાની સેવા કરવા આવેલ હેતલબેન નાયકનું અકસ્માતમાં દુ:ખદ અવસાન થયું. ભોઈ સમાજની બે બહેનો અને પિતરાઈ બહેનોના પણ અકાળે મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું. પોલીસની બેદરકારી અને CHCની સુવિધાઓના અભાવે પરિસ્થિતિ વધુ વણસી.

Published on: 30th April, 2026
Read More at દિવ્ય ભાસ્કર
પિતાની સેવા કરવા આવેલ દીકરીનું અકસ્માતમાં મોત, પરિવાર શોકમાં.
Published on: 30th April, 2026
લકવાગ્રસ્ત પિતાની સેવા કરવા આવેલ હેતલબેન નાયકનું અકસ્માતમાં દુ:ખદ અવસાન થયું. ભોઈ સમાજની બે બહેનો અને પિતરાઈ બહેનોના પણ અકાળે મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું. પોલીસની બેદરકારી અને CHCની સુવિધાઓના અભાવે પરિસ્થિતિ વધુ વણસી.
Read More at દિવ્ય ભાસ્કર
સાબરકાંઠામાં નોટાને 7.87% મત, પરિણામ પર અસર નહીં.
સાબરકાંઠામાં નોટાને 7.87% મત, પરિણામ પર અસર નહીં.

સાબરકાંઠાની 8 તાલુકા પંચાયતની 166 બેઠકો પર 7.87% મત નોટાને મળ્યા, પણ પરિણામો પર તેની કોઈ ખાસ અસર દેખાઈ નથી. વિજેતા અને હારનાર ઉમેદવાર વચ્ચેનો તફાવત નોટા મતો કરતાં વધુ રહ્યો છે.

Published on: 30th April, 2026
Read More at દિવ્ય ભાસ્કર
સાબરકાંઠામાં નોટાને 7.87% મત, પરિણામ પર અસર નહીં.
Published on: 30th April, 2026
સાબરકાંઠાની 8 તાલુકા પંચાયતની 166 બેઠકો પર 7.87% મત નોટાને મળ્યા, પણ પરિણામો પર તેની કોઈ ખાસ અસર દેખાઈ નથી. વિજેતા અને હારનાર ઉમેદવાર વચ્ચેનો તફાવત નોટા મતો કરતાં વધુ રહ્યો છે.
Read More at દિવ્ય ભાસ્કર

Download Our App

Get better experience on our mobile app 🚀

Download from Play Store