‘અમારા નવા હથિયારથી હાર્ટએટેક આવી જશે’, ઈરાને ફરી અમેરિકા-ઈઝરાયલના ધબકારા વધાર્યા
વેસ્ટ એશિયાની જંગમાં ભલે અત્યારે હુમલા અટક્યા હોય, પરંતુ તણાવ હજુ પણ યથાવત છે. શાંતિના પ્રયાસો માટે થઈ રહેલી તમામ વાટાઘાટો લાંબી ખેંચાઈ રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યાર સુધી કોઈ સહમતી સધાઈ નથી. આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેહરાનના નવા પ્રસ્તાવને ફગાવી દેવાતા તણાવ વધી ગયો છે. હવે આ માહોલ વચ્ચે ઈરાની સેનાએ નવા દાવા સાથે સૌને ચોંકાવી દીધા છે. આર્મીએ જણાવ્યું છે કે, તે ટૂંક સમયમાં જ નવા 'હથિયાર' વિશે ખુલાસો કરશે, જેનાથી અમારા દુશ્મનો ફફડી ઉઠશે.
‘અમારા નવા હથિયારથી હાર્ટએટેક આવી જશે’, ઈરાને ફરી અમેરિકા-ઈઝરાયલના ધબકારા વધાર્યા
'જરાક એ દર્દ અને અપમાનની કલ્પના કરો...' દુષ્કર્મ પીડિત બાળકીના ગર્ભપાત મામલે CJI ભાવુક
સુપ્રીમ કોર્ટે 15 વર્ષની દુષ્કર્મ પીડિતાના 30 અઠવાડિયાના ગર્ભપાત મામલે સુનાવણી કરતા માનવીય સંવેદનાઓને સ્પર્શે તેવું વલણ અપનાવ્યું છે. AIIMS દ્વારા દાખલ કરવામાં આવેલી ક્યુરેટિવ પિટિશન પર સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, કોઈ પણ સ્ત્રી પર અનિચ્છનીય ગર્ભાવસ્થા થોપી શકાય નહીં. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું હતું કે પીડિતા પોતે એક બાળકી છે. જે ઉંમરે તેણે ભણવું જોઈએ, તે ઉંમરે તેને મા બનવા માટે મજબૂર કરવામાં આવી રહી છે. તેણે જે પીડા અને અપમાન સહન કર્યું છે તેની કલ્પના કરો. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે અંતિમ નિર્ણય પીડિતા અને તેના માતા-પિતાનો જ હોવો જોઈએ.
'જરાક એ દર્દ અને અપમાનની કલ્પના કરો...' દુષ્કર્મ પીડિત બાળકીના ગર્ભપાત મામલે CJI ભાવુક
એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
ચીનમાં ૪૦ વર્ષીય પુરુષનું હૃદય અચાનક બંધ થઈ જતાં ડૉક્ટરોએ અત્યાધુનિક 'એક્મો' (ECMO) મશીન દ્વારા તેને નવજીવન આપ્યું છે. ઇલેક્ટ્રિક આંચકા છતાં હૃદય શરૂ ન થતા, આ મશીને શરીરની બહાર રહીને કૃત્રિમ હૃદય અને ફેફસાંની જેમ કાર્ય કર્યું હતું. તે દર્દીના લોહીમાં ઓક્સિજન ભેળવીને લોહી પમ્પ કરતું રહ્યું, જેનાથી લોહીનું પરિભ્રમણ જળવાઈ રહ્યું હતું. આ સફળ તબીબી પ્રક્રિયાએ સાબિત કર્યું કે આધુનિક ટેકનોલોજી હૃદય બેસી જવાના ગંભીર કિસ્સાઓમાં પણ જીવ બચાવવા માટે અત્યંત કારગત નીવડી શકે છે.
એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
'ખાડિયામાં ઉમેદવાર પસંદગીમાં પાર્ટીની ભૂલ, મને પૂછ્યું જ નહીં..', ભૂષણ ભટ્ટે ભાજપ માથે હારનું ઠીકરું ફોડ્યું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારે બહુમતી સાથે ભાજપે વિજય હાંસલ કર્યો છે. પરંતુ 54 વર્ષના ઇતિહાસમાં ભાજપે ખાડિયા બેઠક ગુમાવવી પડી હતી. જેથી ગઢ આલા, સિંહ ગેલા જેવો ઘાટ સર્જાયો છે. જોકે, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ખાડિયાની હારનું ઠીકરું ભાજપ પ્રદેશ નેતાગીરી પર ફોડ્યું હતું. તેમનો આક્ષેપ છે કે, ખાડિયામાં ઉમેદવારોની પસંદગીમાં પક્ષે ભૂલ કરી છે અને અમારું પૂછ્યું જ નથી. ખાડિયા બેઠકમાં ભાજપની હાર સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની રહી છે. બેઠક ગુમાવતા પ્રદેશ નેતાગીરી જ નહીં, દિલ્હી હાઈકમાન્ડે પણ ગંભીર નોંધ લીધી છે.
'ખાડિયામાં ઉમેદવાર પસંદગીમાં પાર્ટીની ભૂલ, મને પૂછ્યું જ નહીં..', ભૂષણ ભટ્ટે ભાજપ માથે હારનું ઠીકરું ફોડ્યું
વીડિયો કોન્ફરન્સ દ્વારા છૂટાછેડા લઈ શકાશે, NRI પતિની વર્ચ્યુઅલ હાજરીને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી
ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે એનઆરઆઈ પતિને પરસ્પર સંમતિથી છૂટાછેડાના કેસમાં વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવાની મંજૂરી આપી હતી. ફેમિલી કોર્ટ દ્વારા એનઆરઆઈ પતિની ફિઝિકલ હાજરીના આગ્રહને વધુ પડતો ટેકનિકલ અભિગમ ગણાવી હાઈકોર્ટે જણાવ્યું કે, ટેકનોલોજી ખરેખર ન્યાયમાં મદદ કરે છે, તેને અવરોધે નહીં. ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાથી વિદેશમાં રહેતા પક્ષકારો બિનજરૂરી મુશ્કેલીઓથી બચી શકશે. તેમજ વૈવાહિક તકરારના કેસોમાં ડિજિટલ વિકલ્પ અપનાવી વર્ચ્યુઅલ હાજરી મારફતે છૂટાછેડાની પ્રક્રિયા સરળ બનશે.
વીડિયો કોન્ફરન્સ દ્વારા છૂટાછેડા લઈ શકાશે, NRI પતિની વર્ચ્યુઅલ હાજરીને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી
મુસ્લિમ વિસ્તારોમાં કેવી રીતે ખીલ્યું 'કમળ'!
આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે લઘુમતી ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. મહાનગરપાલિકામાં નહીં પણ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતમાં 250થી વધુ લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપી ભાજપે રાષ્ટ્રવાદી લઘુમતી કાર્ડ ખેલ્યું હતું જે સ્થાનિક સ્તરે સફળ થયું છે. ભાજપે લઘુમતીઓને ટિકિટ આપી કોંગ્રેસની વોટબેન્કમાં ગાબડું પાડ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઘણાં લઘુમતી ઉમેદવારો વિજયી બન્યા છે. અમદાવાદ જિલ્લામાં ભાજપે વિરમગામ, ધોળકા, બારેજા નગરપાલિકા ઉપરાંત સાણંદ, ધંધુકા તાલુકા પંચાયતમાં કુલ 9 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી.
મુસ્લિમ વિસ્તારોમાં કેવી રીતે ખીલ્યું 'કમળ'!
અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે પાકિસ્તાન બરબાદ થયું, ખુદ શાહબાઝ શરીફે દુનિયા સામે કબૂલ્યું
દેવાના બોજ તળે દબાયેલું પાકિસ્તાન હવે સંપૂર્ણપણે આર્થિક પાયમાલીના આરે આવી ગયું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સૌથી ગંભીર અસર પાકિસ્તાનની અર્થતંત્ર પર પડી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતે વિશ્વ સમક્ષ કબૂલાત કરી છે કે ઈરાન યુદ્ધે દેશની અર્થતંત્રને લકવાગ્રસ્ત કરી દીધી છે. બુધવારે (29મી એપ્રિલ) આપેલા એક નિવેદનમાં શરીફે જણાવ્યું હતું કે પાકિસ્તાને છેલ્લા બે વર્ષમાં જે પણ આર્થિક સુધારા કર્યા હતા, તે યુદ્ધને કારણે ધૂળમાં મળી ગયા છે. પાકિસ્તાન દર અઠવાડિયે ઓઈલ પર આશરે 30 કરોડ US ડોલર ખર્ચતું હતું. આજે, આ રકમ વધીને 80 કરોડ US ડોલર થઈ ગઈ છે.
અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે પાકિસ્તાન બરબાદ થયું, ખુદ શાહબાઝ શરીફે દુનિયા સામે કબૂલ્યું
નેપાળ એરલાઈન્સની ઉદ્ધતાઈ: જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો હિસ્સો બતાવતો નકશો મૂક્યો
ભારત અને નેપાળ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોમાં ખટાશ ઊભી કરી શકે તેવી એક ઘટનામાં, નેપાળની રાષ્ટ્રીય એરલાઈન્સ (Nepal Airlines) એ ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પાકિસ્તાનના નકશામાં દર્શાવ્યા છે. નેપાળ એરલાઈન્સે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પ્રમોશનલ ગ્રાફિક અથવા રૂટ મેપ શેર કર્યો હતો. આ નકશામાં ભારતીય સરહદોનું ખોટું ચિત્રણ કરવામાં આવ્યું હતું. સૌથી વધુ વાંધાજનક બાબત એ હતી કે, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વિસ્તારોને ભારતના બદલે પાકિસ્તાનના ભૂ-ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
નેપાળ એરલાઈન્સની ઉદ્ધતાઈ: જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો હિસ્સો બતાવતો નકશો મૂક્યો
LPGથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી... 1 મેથી દેશમાં થઈ રહ્યા છે 5 મોટા ફેરફાર
૧ મે, ૨૦૨૬થી દેશમાં અનેક આર્થિક ફેરફારો અમલી બનશે, જેની સીધી અસર સામાન્ય જનતાના બજેટ પર પડશે. ઓઈલ કંપનીઓ LPG, CNG અને ATFના નવા ભાવ જાહેર કરશે, જેમાં ફેરફારની શક્યતા છે. SBI કાર્ડધારકો માટે લેટ પેમેન્ટ ચાર્જ અને એન્યુઅલ ફીના નિયમો બદલાશે. આ ઉપરાંત, ઓનલાઇન ગેમિંગ માટે નવા સરકારી નિયમો લાગુ થશે અને બેન્ક ગ્રાહકો માટે e-KYC પૂર્ણ કરવાની અંતિમ તારીખ હોવાથી તે અપડેટ કરાવવું અનિવાર્ય બનશે, અન્યથા નાણાકીય વ્યવહારો અટકી શકે છે.
LPGથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી... 1 મેથી દેશમાં થઈ રહ્યા છે 5 મોટા ફેરફાર
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 286 પોઈન્ટનો કડાકો
આજે સવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ધોવાણ જોવા મળ્યું હતું. મળેલી વિગતો અને લેટેસ્ટ ડેટા મુજબ સેન્સેક્સ 927.83 પોઈન્ટ (1.20%) ગબડીને 76,568.53 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બજાર 77,014.21 ના સ્તરે ખુલ્યા બાદ સતત નીચે ગયું હતું. જ્યારે નિફ્ટી 50 માં પણ 286.70 પોઈન્ટ (1.19%) નો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી અત્યારે 23,890.95 ના સ્તર પર આવી ગઈ છે. શેરબજારમાં આજે આવેલા આ પ્રચંડ ઘટાડા પાછળ કેટલાક વૈશ્વિક અને આર્થિક પરિબળો જવાબદાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તામાં પડેલા ગતિરોધને કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે.
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 286 પોઈન્ટનો કડાકો
ગરમીથી આંશિક રાહત: ભેજવાળા પવનથી તાપમાનમાં ઘટાડો, 7 શહેરમાં 40°C પાર.
ગુજરાતના નાગરિકો અસહ્ય ગરમીમાંથી રાહત અનુભવશે. ભેજવાળા પવન ફૂંકાવાથી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે, જેથી આકરો તાપ સહન નહીં કરવો પડે. જોકે, 7 શહેરોમાં તાપમાન હજુ પણ 40°C ની ઉપર છે. આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે.
ગરમીથી આંશિક રાહત: ભેજવાળા પવનથી તાપમાનમાં ઘટાડો, 7 શહેરમાં 40°C પાર.
કોહિનૂર હીરો ભારતને પાછો આપો: ન્યૂયોર્કના મેયરની અપીલ.
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાની ફરી એકવાર પોતાના નિવેદનને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ III અને ક્વીન કેમિલા ન્યૂયોર્કની મુલાકાતે છે, જ્યાં મેમોરિયલ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવા દરમિયાન મેયર મમદાનીએ કોહિનૂર હીરાનો મુદ્દો ઉઠાવશે તેવું જણાવ્યું હતું. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મમદાનીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જો તેમને કિંગ ચાર્લ્સ સાથે અંગત વાતચીત કરવાની તક મળશે, તો તેઓ ભારતનો અમૂલ્ય 'કોહિનૂર' હીરો પરત કરવાની માંગ કરશે. તેમણે ઉમેર્યું કે, "કોહિનૂર માત્ર એક પથ્થર નથી, પરંતુ તે ભારતના ગૌરવશાળી ઈતિહાસ અને બ્રિટિશ શાસન દરમિયાન થયેલા શોષણનું પ્રતીક છે."
કોહિનૂર હીરો ભારતને પાછો આપો: ન્યૂયોર્કના મેયરની અપીલ.
સુરત: ધનાઢ્ય પરિવારમાં મિત્રતાનો ગુનો, પુત્રવધુની આપવીતી.
સુરતમાં એક ધનાઢ્ય પરિવારમાં પુત્રવધુ બનીને ગયેલી મહિલાની કહાણી ચોંકાવનારી હતી. પતિના મિત્રો સાથે વાતચીત કરવી પણ ગુનો ગણાતો હતો. શંકાને કારણે પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મુકતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જોકે, મહિલા વકીલના પ્રયાસોથી સુખદ સમાધાન થયું.
સુરત: ધનાઢ્ય પરિવારમાં મિત્રતાનો ગુનો, પુત્રવધુની આપવીતી.
બીમાર સિંહબાળને બચાવી માતા સાથે મિલન, વન વિભાગની પ્રશંસનીય કામગીરી.
NEET અને TAT પરીક્ષા: 3 મેના રોજ રાજકોટ અને દેશભરમાં પરીક્ષાઓ.
3 મે, 2026 ના રોજ દેશભરમાં 22.79 લાખ વિદ્યાર્થીઓ NEET પરીક્ષા આપશે, જેમાં રાજકોટના 4,176 વિદ્યાર્થીઓ ભાગ લેશે. તે જ દિવસે, ધોરણ 9-10 માં શિક્ષક બનવા માટે TAT સેકન્ડરી પ્રિલીમ્સ પરીક્ષા યોજાશે, જેમાં રાજકોટના 33,303 ઉમેદવારો પરીક્ષા આપશે. બંને પરીક્ષાઓમાં Negative Marking ની સિસ્ટમ અમલમાં રહેશે.
NEET અને TAT પરીક્ષા: 3 મેના રોજ રાજકોટ અને દેશભરમાં પરીક્ષાઓ.
સુરતના સારોલીમાં અંબિકા ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ.
સુરતના સારોલી વિસ્તારમાં આવેલી અંબિકા ઇન્ડસ્ટ્રીમાં ગત મધરાતે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગની તીવ્રતા એટલી વધુ હતી કે સુરત ફાયર વિભાગની ૯ ગાડીઓએ અઢી કલાકની ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં મોંઘા ડિજિટલ મશીનો અને કાપડનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતાં માલિકને ભારે આર્થિક નુકસાન થયું છે. સદનસીબે, રાત્રિનો સમય હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતના સારોલીમાં અંબિકા ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ.
સુરતમાં આઈસ્ક્રીમ અને ઘીના સેમ્પલ ફેઈલ, ફૂડ વિભાગની કાર્યવાહી
સુરત ફૂડ વિભાગે આઈસ્ક્રીમ અને ઘીના સેમ્પલ લીધા હતા. કેટલાક ઘીના સેમ્પલ 'અનસેફ' અને 'સબસ્ટાન્ડર્ડ' જાહેર થયા, જેમાં બીટા સીટોસ્ટોરેલની હાજરી મળી. આઈસ્ક્રીમના સેમ્પલમાં પણ દૂધમાં ફેટનું પ્રમાણ ઓછું હોવાથી તે સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા. સંચાલકો સામે કાર્યવાહી શરૂ.
સુરતમાં આઈસ્ક્રીમ અને ઘીના સેમ્પલ ફેઈલ, ફૂડ વિભાગની કાર્યવાહી
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ચાલતી કારમાં આગ, 5 લોકો જીવતા ભૂંજાયા.
સુરેન્દ્રનગર મનપા: અનુ.જાતિ મહિલા મેયર બનશે તો વોર્ડ 13 અને 9 ના સભ્યો દાવેદાર.
સુરેન્દ્રનગર મહાનગર પાલિકામાં ભાજપના ભવ્ય વિજય બાદ પ્રથમ મેયર કોણ બનશે તે ચર્ચાનો વિષય છે. અનુસૂચિત જાતિ માટે રોટેશન છે, જેમાં પુરૂષ કે સ્ત્રીનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. જો અનુસૂચિત જાતિની મહિલા મેયર બને તો વોર્ડ નં. 13ના કુસુમબેન સોલંકી અને વોર્ડ નં. 9ના દિવ્યાબેન મીયાવડા મેયરપદના મુખ્ય દાવેદાર બની શકે છે. પક્ષના નિર્ણય પર મેયરનો મદાર રહેશે.
સુરેન્દ્રનગર મનપા: અનુ.જાતિ મહિલા મેયર બનશે તો વોર્ડ 13 અને 9 ના સભ્યો દાવેદાર.
મેયરને રૂ.25 લાખ બજેટ, નગરસેવકોને પણ મોટો વહીવટ
ઓમકારેશ્વરમાં માલપુરના યુવાનનું સન્માન, શંકરદૂત દ્વારા આધ્યાત્મિક દર્શન.
જુનિયર ડોક્ટર્સની હડતાળ, SSG હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ.
સયાજી હોસ્પિટલમાં ઘટના બાદ જુનિયર ડોક્ટર્સ એસોસિએશને સુરક્ષા અને ન્યાયની માંગ સાથે હડતાળ કરી છે. Non-emergency સેવાઓ બંધ, જ્યારે emergency સેવાઓ ચાલુ છે. મળતી માહિતી મુજબ, ગત રોજ એક પરિવાર પોતાના સંબંધીનો મૃતદેહ લેવા માટે હોસ્પિટલના કોલ્ડરૂમ (મોર્ચ્યુરી) ખાતે પહોંચ્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે જ્યારે તેમને મૃતદેહ સોંપવામાં આવ્યો ત્યારે તે ડી-કમ્પોઝ (કોહવાયેલી) હાલતમાં જોવા મળ્યો હતો. આ જોતા જ પરિવારજનો અને પરિચિતો રોષે ભરાયા હતા.
જુનિયર ડોક્ટર્સની હડતાળ, SSG હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ.
ઈરાન યુદ્ધમાં અમેરિકાનું 2500 કરોડ ડોલર, ઈરાની રિયાલ નવા તળિયે.
અમેરિકાને ઇરાન સાથેના યુદ્ધમાં અત્યાર સુધીમાં અંદાજે 25 અબજ ડોલરનો ખર્ચો થયો છે, એમ પેન્ટાગોનના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરે નીતિગત ઘડવૈયાઓ સમક્ષ જણાવ્યું હતું. હાઉસ આર્મ્સ કમિટી સમક્ષ સુનાવણી દરમિયાન અધિકારીએ જણાવ્યું હતું કે મોટાભાગના નાણા દારુગોળા પાછળ ખર્ચવામાં આવ્યા હતા. બીજી બાજુ ઇરાની ચલણ રિયાલે નવું જ તળિયું બનાવ્યું છે. અમેરિકન લશ્કરે આ ઉપરાંત તેની લશ્કરી કામગીરી અને સાધનો પાછળ પણ ખર્ચ કર્યો છે.