Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
Trending icon મારું ગુજરાત icon ઈરાન-ઇઝરાયલ યુદ્ધ icon IPL 2026 icon દેશ icon Crime icon દુનિયા icon રાજકારણ icon રમત-જગત icon હવામાન icon કૃષિ icon વેપાર icon સ્ટોક માર્કેટ icon પર્સનલ ફાઇનાન્સ icon Science & Technology icon મનોરંજન icon બોલીવુડ icon Career icon Education icon જાણવા જેવું icon સ્વાસ્થ્ય icon ધર્મ
રાજનાથ સિંહ: આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો
રાજનાથ સિંહ: આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કિર્ગિસ્તાનના બિશ્કેકમાં આપેલા નિવેદન પર આજે બુધવારે કોંગ્રેસે જોરદાર હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશનો આરોપ છે કે શાંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશન(SCO)ની બેઠકમાં સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાનને ક્લીનચીટ આપી દીધી. તેમણે આરોપ લગાવ્યો કે રાજનાથ સિંહે PM નરેન્દ્ર મોદીના નિર્દેશ પર આ પ્રકારનું કથિત નિવેદન આપ્યું છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે આક્ષેપ કર્યો કે પાકિસ્તાનને લઈને ભારતે નવો દૃષ્ટિકોણ અપનાવ્યો છે, જે PM નરેન્દ્ર મોદીની અમેરિકાને ખુશ કરવાની નીતિનો હિસ્સો છે અને ચીન સામે સંતુલિત આત્મસમર્પણનો ભાગ છે.

Published on: 29th April, 2026
Read More at ગુજરાત સમાચાર
રાજનાથ સિંહ: આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો
Published on: 29th April, 2026
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કિર્ગિસ્તાનના બિશ્કેકમાં આપેલા નિવેદન પર આજે બુધવારે કોંગ્રેસે જોરદાર હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશનો આરોપ છે કે શાંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશન(SCO)ની બેઠકમાં સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાનને ક્લીનચીટ આપી દીધી. તેમણે આરોપ લગાવ્યો કે રાજનાથ સિંહે PM નરેન્દ્ર મોદીના નિર્દેશ પર આ પ્રકારનું કથિત નિવેદન આપ્યું છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે આક્ષેપ કર્યો કે પાકિસ્તાનને લઈને ભારતે નવો દૃષ્ટિકોણ અપનાવ્યો છે, જે PM નરેન્દ્ર મોદીની અમેરિકાને ખુશ કરવાની નીતિનો હિસ્સો છે અને ચીન સામે સંતુલિત આત્મસમર્પણનો ભાગ છે.
Read More at ગુજરાત સમાચાર
દિલ્હી બાદ હવે ગાંધીનગરમાં યોજાશે BRICS બેઠક 2026
દિલ્હી બાદ હવે ગાંધીનગરમાં યોજાશે BRICS બેઠક 2026

ગુજરાત રાજ્ય કેબિનેટ બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટને લઈને ચર્ચા થઈ છે. ગત વખતે દિલ્હીમાં યોજાયેલી જ આંતરરાષ્ટ્રીય BRICS દેશોની હાઇ-લેવલ બેઠક આ વખતે ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. આગામી 11 અને 12 મેના રોજ ગાંધીનગરના લીલા હોટેલમાં આ આંતરરાષ્ટ્રીય સમિટ યોજાશે, જેમાં 11 મેના રોજ PM નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. આ બેઠકનું મહત્વ એટલા માટે પણ વધે છે કારણ કે ગયા વખતે દિલ્હીમાં BRICSના પ્રતિનિધિઓ ભેગા થયા હતા, જ્યાં “યુથ સબ-ગ્રુપ” પર ખાસ ફોકસ સાથે ચર્ચા થઈ હતી.

Published on: 29th April, 2026
દિલ્હી બાદ હવે ગાંધીનગરમાં યોજાશે BRICS બેઠક 2026
Published on: 29th April, 2026
ગુજરાત રાજ્ય કેબિનેટ બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટને લઈને ચર્ચા થઈ છે. ગત વખતે દિલ્હીમાં યોજાયેલી જ આંતરરાષ્ટ્રીય BRICS દેશોની હાઇ-લેવલ બેઠક આ વખતે ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. આગામી 11 અને 12 મેના રોજ ગાંધીનગરના લીલા હોટેલમાં આ આંતરરાષ્ટ્રીય સમિટ યોજાશે, જેમાં 11 મેના રોજ PM નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. આ બેઠકનું મહત્વ એટલા માટે પણ વધે છે કારણ કે ગયા વખતે દિલ્હીમાં BRICSના પ્રતિનિધિઓ ભેગા થયા હતા, જ્યાં “યુથ સબ-ગ્રુપ” પર ખાસ ફોકસ સાથે ચર્ચા થઈ હતી.
35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખુલશે? અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન
35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખુલશે? અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન

શહેરના વટવા વિસ્તારમાં આવેલા કુતુબનગરમાં આજે ક્રાઈમ બ્રાન્ચના કાફલાએ ધામા નાખ્યા છે. 1992માં થયેલી એક યુવતીની કથિત હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે JCB મશીનો વડે ખોદકામ શરૂ કર્યું છે. આશરે 35 વર્ષ પૂર્વે એક યુવતીની તેના પરિવારના જ સભ્યો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને આરોપીના જ ઘરમાં આવેલા એક કૂવામાં દાટી દેવામાં આવી હતી. આ કેસમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપીના પરિવારના સભ્યોને મૃતક યુવતીના વારંવાર ડરામણા ભાસ થવા લાગ્યા.

Published on: 29th April, 2026
Read More at ગુજરાત સમાચાર
35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખુલશે? અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન
Published on: 29th April, 2026
શહેરના વટવા વિસ્તારમાં આવેલા કુતુબનગરમાં આજે ક્રાઈમ બ્રાન્ચના કાફલાએ ધામા નાખ્યા છે. 1992માં થયેલી એક યુવતીની કથિત હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે JCB મશીનો વડે ખોદકામ શરૂ કર્યું છે. આશરે 35 વર્ષ પૂર્વે એક યુવતીની તેના પરિવારના જ સભ્યો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને આરોપીના જ ઘરમાં આવેલા એક કૂવામાં દાટી દેવામાં આવી હતી. આ કેસમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપીના પરિવારના સભ્યોને મૃતક યુવતીના વારંવાર ડરામણા ભાસ થવા લાગ્યા.
Read More at ગુજરાત સમાચાર
વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: 'મોટી લહેર'ના કારણે 21 વર્ષના યુવકનું મોત
વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: 'મોટી લહેર'ના કારણે 21 વર્ષના યુવકનું મોત

નોઈડાના જાણીતા જીઆઈપી(GIP) મોલ સ્થિત વોટર પાર્કમાંથી એક કરુણ ઘટના સામે આવી છે. અહીં પરિવાર સાથે મોજ-મસ્તી કરવા આવેલા 21 વર્ષીય યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું છે. આ ઘટના મંગળવાર, 28 એપ્રિલના રોજ બની હતી. ગ્રેટર નોઈડાનો રહેવાસી આ યુવક જ્યારે વોટર પાર્કમાં ન્હાઈ રહ્યો હતો, ત્યારે અચાનક મોટી લહેર આવતા તેની તબિયત બગડી હતી અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. મળતી માહિતી મુજબ, યુવક જ્યારે વોટર પાર્કના વેવ પુલમાં લહેરોનો આનંદ માણી રહ્યો હતો, ત્યારે અચાનક તેને અસ્વસ્થતા અનુભવાઈ હતી.

Published on: 29th April, 2026
Read More at ગુજરાત સમાચાર
વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: 'મોટી લહેર'ના કારણે 21 વર્ષના યુવકનું મોત
Published on: 29th April, 2026
નોઈડાના જાણીતા જીઆઈપી(GIP) મોલ સ્થિત વોટર પાર્કમાંથી એક કરુણ ઘટના સામે આવી છે. અહીં પરિવાર સાથે મોજ-મસ્તી કરવા આવેલા 21 વર્ષીય યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું છે. આ ઘટના મંગળવાર, 28 એપ્રિલના રોજ બની હતી. ગ્રેટર નોઈડાનો રહેવાસી આ યુવક જ્યારે વોટર પાર્કમાં ન્હાઈ રહ્યો હતો, ત્યારે અચાનક મોટી લહેર આવતા તેની તબિયત બગડી હતી અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. મળતી માહિતી મુજબ, યુવક જ્યારે વોટર પાર્કના વેવ પુલમાં લહેરોનો આનંદ માણી રહ્યો હતો, ત્યારે અચાનક તેને અસ્વસ્થતા અનુભવાઈ હતી.
Read More at ગુજરાત સમાચાર
વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: રાહુલ ગાંધીના પ્રહાર
વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: રાહુલ ગાંધીના પ્રહાર

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અંદામાન-નિકોબારમાં શરૂ થનારા 'ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ' સામે સખત વાંધો ઉઠાવ્યો છે. હાલમાં જ ગ્રેટ નિકોબારના કેમ્પબેલ બેની મુલાકાત લીધા બાદ તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ દેશના કુદરતી વારસાને નુકસાન પહોંચાડતું એક મોટું કૌભાંડ છે. રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી હતી કે વિકાસના નામે પેઢીઓ જૂના 160 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા અમૂલ્ય જંગલોનો નાશ કરવામાં આવશે, જે ખરેખર વિકાસ નહીં પણ વિનાશ નોતરનારી બાબત છે. આ પ્રોજેક્ટને તેમણે પ્રકૃતિ અને આદિવાસી સંસ્કૃતિ વિરુદ્ધનો મોટો ગુનો ગણાવ્યો છે.

Published on: 29th April, 2026
Read More at ગુજરાત સમાચાર
વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: રાહુલ ગાંધીના પ્રહાર
Published on: 29th April, 2026
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અંદામાન-નિકોબારમાં શરૂ થનારા 'ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ' સામે સખત વાંધો ઉઠાવ્યો છે. હાલમાં જ ગ્રેટ નિકોબારના કેમ્પબેલ બેની મુલાકાત લીધા બાદ તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ દેશના કુદરતી વારસાને નુકસાન પહોંચાડતું એક મોટું કૌભાંડ છે. રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી હતી કે વિકાસના નામે પેઢીઓ જૂના 160 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા અમૂલ્ય જંગલોનો નાશ કરવામાં આવશે, જે ખરેખર વિકાસ નહીં પણ વિનાશ નોતરનારી બાબત છે. આ પ્રોજેક્ટને તેમણે પ્રકૃતિ અને આદિવાસી સંસ્કૃતિ વિરુદ્ધનો મોટો ગુનો ગણાવ્યો છે.
Read More at ગુજરાત સમાચાર
દ્વારકા, સોમનાથ અને ડાંગમાં ખુલશે 'ટુરિસ્ટ પોલીસ સ્ટેશન'
દ્વારકા, સોમનાથ અને ડાંગમાં ખુલશે 'ટુરિસ્ટ પોલીસ સ્ટેશન'

ગુજરાતમાં હવે પ્રવાસીઓની સુરક્ષા માત્ર કાયદો-વ્યવસ્થા પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેમને મિત્રસભર વાતાવરણ પૂરું પાડવામાં આવશે. રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પ્રવાસન સ્થળો પર સુરક્ષા અને સુવિધા વધારવા માટે અત્યાધુનિક ટુરિસ્ટ પોલીસ સ્ટેશન સ્થાપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. પ્રથમ તબક્કે ત્રણ મુખ્ય પર્યટન જિલ્લાઓ ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગને આવરી લેવામાં આવશે.

Published on: 29th April, 2026
Read More at ગુજરાત સમાચાર
દ્વારકા, સોમનાથ અને ડાંગમાં ખુલશે 'ટુરિસ્ટ પોલીસ સ્ટેશન'
Published on: 29th April, 2026
ગુજરાતમાં હવે પ્રવાસીઓની સુરક્ષા માત્ર કાયદો-વ્યવસ્થા પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેમને મિત્રસભર વાતાવરણ પૂરું પાડવામાં આવશે. રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પ્રવાસન સ્થળો પર સુરક્ષા અને સુવિધા વધારવા માટે અત્યાધુનિક ટુરિસ્ટ પોલીસ સ્ટેશન સ્થાપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. પ્રથમ તબક્કે ત્રણ મુખ્ય પર્યટન જિલ્લાઓ ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગને આવરી લેવામાં આવશે.
Read More at ગુજરાત સમાચાર
ઈરાન-અમેરિકા સંઘર્ષ હજુ થાળે નથી પડ્યો ત્યાં વધુ બે દેશો વચ્ચે તણાવ વધ્યો!
ઈરાન-અમેરિકા સંઘર્ષ હજુ થાળે નથી પડ્યો ત્યાં વધુ બે દેશો વચ્ચે તણાવ વધ્યો!

વિશ્વભરમાં અત્યારે યુદ્ધ અને વર્ચસ્વની લડાઈ તેજ બની રહી છે, જેમાં એકતરફ ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ છે, તો બીજીતરફ ચીને તાઇવાન પર દબાણ વધારવાનું શરૂ કર્યું છે. તાઇવાનના સંરક્ષણ મંત્રીએ દાવો કર્યો છે કે ચીનના બે યુદ્ધ જહાજો પેંઘુ દ્વીપ સમૂહની નજીક દરિયાઈ વિસ્તારમાં જોવા મળ્યા હતા. આ ઘટના બાદ તાઇવાને તાત્કાલિક ધોરણે ઍલર્ટ જાહેર કરી દીધું છે. માનવામાં આવે છે કે ચીન આ રીતે તાઇવાન સ્ટ્રેટમાં પોતાની સૈન્ય હાજરી મજબૂત કરી રહ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગંભીર તણાવ ઊભો થયો છે.

Published on: 29th April, 2026
Read More at ગુજરાત સમાચાર
ઈરાન-અમેરિકા સંઘર્ષ હજુ થાળે નથી પડ્યો ત્યાં વધુ બે દેશો વચ્ચે તણાવ વધ્યો!
Published on: 29th April, 2026
વિશ્વભરમાં અત્યારે યુદ્ધ અને વર્ચસ્વની લડાઈ તેજ બની રહી છે, જેમાં એકતરફ ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ છે, તો બીજીતરફ ચીને તાઇવાન પર દબાણ વધારવાનું શરૂ કર્યું છે. તાઇવાનના સંરક્ષણ મંત્રીએ દાવો કર્યો છે કે ચીનના બે યુદ્ધ જહાજો પેંઘુ દ્વીપ સમૂહની નજીક દરિયાઈ વિસ્તારમાં જોવા મળ્યા હતા. આ ઘટના બાદ તાઇવાને તાત્કાલિક ધોરણે ઍલર્ટ જાહેર કરી દીધું છે. માનવામાં આવે છે કે ચીન આ રીતે તાઇવાન સ્ટ્રેટમાં પોતાની સૈન્ય હાજરી મજબૂત કરી રહ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગંભીર તણાવ ઊભો થયો છે.
Read More at ગુજરાત સમાચાર
ઈન્ટિમેટ સીન વખતે બેકાબૂ થયો હતો સુપરસ્ટાર, 'કટ' પછી પણ ન અટક્યો! અન્નુ કપૂરનો સનસનીખેજ દાવો
ઈન્ટિમેટ સીન વખતે બેકાબૂ થયો હતો સુપરસ્ટાર, 'કટ' પછી પણ ન અટક્યો! અન્નુ કપૂરનો સનસનીખેજ દાવો

સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં અન્નુ કપૂરે એક જૂનો કિસ્સો શેર કરતા જણાવ્યું કે, એક ફિલ્મમાં ઇન્ટિમેટ સીન શૂટ કરતી વખતે હીરો બેકાબૂ થઈ ગયો હતો. અન્નુ કપૂરે કહ્યું કે, ડિરેક્ટરે 'કટ' બોલ્યા પછી પણ તે હીરોએ હીરોઈનને છોડી નહોતી. અંતે અભિનેત્રીએ તેનાથી પીછો છોડાવીને સેટ પરથી ભાગવું પડ્યું હતું. આ ઘટનાથી અભિનેત્રી એટલી હદે ડરી ગઈ અને માનસિક રીતે ભાંગી પડી હતી કે તે સતત બે દિવસ સુધી પોતાના રૂમમાંથી બહાર નીકળી નહોતી. જોકે, અન્નુ કપૂરે આ બંને કલાકારોના નામ જાહેર કરવાનું ટાળ્યું હતું.

Published on: 29th April, 2026
Read More at ગુજરાત સમાચાર
ઈન્ટિમેટ સીન વખતે બેકાબૂ થયો હતો સુપરસ્ટાર, 'કટ' પછી પણ ન અટક્યો! અન્નુ કપૂરનો સનસનીખેજ દાવો
Published on: 29th April, 2026
સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં અન્નુ કપૂરે એક જૂનો કિસ્સો શેર કરતા જણાવ્યું કે, એક ફિલ્મમાં ઇન્ટિમેટ સીન શૂટ કરતી વખતે હીરો બેકાબૂ થઈ ગયો હતો. અન્નુ કપૂરે કહ્યું કે, ડિરેક્ટરે 'કટ' બોલ્યા પછી પણ તે હીરોએ હીરોઈનને છોડી નહોતી. અંતે અભિનેત્રીએ તેનાથી પીછો છોડાવીને સેટ પરથી ભાગવું પડ્યું હતું. આ ઘટનાથી અભિનેત્રી એટલી હદે ડરી ગઈ અને માનસિક રીતે ભાંગી પડી હતી કે તે સતત બે દિવસ સુધી પોતાના રૂમમાંથી બહાર નીકળી નહોતી. જોકે, અન્નુ કપૂરે આ બંને કલાકારોના નામ જાહેર કરવાનું ટાળ્યું હતું.
Read More at ગુજરાત સમાચાર
ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!

ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ટેરિફ પોલિસીને કોઈપણ ભોગે ચાલુ રાખવા મક્કમ છે. ફેબ્રુઆરી 2026માં અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા અન્ય દેશો પર લાદવામાં આવેલા ટેરિફને ગેરબંધારણીય ગણાવી રદ કર્યા હતા. કોર્ટના મતે ટ્રમ્પે 1977ના 'ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ'(IEEPA)નો દુરુપયોગ કરીને ડબલ ડિજિટમાં ટેરિફ લગાવ્યા હતા. આ ચુકાદાને કારણે અમેરિકન તિજોરીમાં જમા થયેલા 166 બિલિયન ડૉલર હવે આયાતકારોને પરત કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, આ આંચકા છતાં ટ્રમ્પે તુરંત જ 150 દિવસ માટે 10 ટકા ટેમ્પરરી ટેરિફ લાગુ કરી દીધો હતો, જેની અવધિ 24 જુલાઈના રોજ પૂર્ણ થઈ રહી છે.

Published on: 29th April, 2026
Read More at ગુજરાત સમાચાર
ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
Published on: 29th April, 2026
ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ટેરિફ પોલિસીને કોઈપણ ભોગે ચાલુ રાખવા મક્કમ છે. ફેબ્રુઆરી 2026માં અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા અન્ય દેશો પર લાદવામાં આવેલા ટેરિફને ગેરબંધારણીય ગણાવી રદ કર્યા હતા. કોર્ટના મતે ટ્રમ્પે 1977ના 'ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ'(IEEPA)નો દુરુપયોગ કરીને ડબલ ડિજિટમાં ટેરિફ લગાવ્યા હતા. આ ચુકાદાને કારણે અમેરિકન તિજોરીમાં જમા થયેલા 166 બિલિયન ડૉલર હવે આયાતકારોને પરત કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, આ આંચકા છતાં ટ્રમ્પે તુરંત જ 150 દિવસ માટે 10 ટકા ટેમ્પરરી ટેરિફ લાગુ કરી દીધો હતો, જેની અવધિ 24 જુલાઈના રોજ પૂર્ણ થઈ રહી છે.
Read More at ગુજરાત સમાચાર
બંગાળમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ
બંગાળમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026માં બીજા તબક્કાનું મતદાન આજે ભારે તણાવ અને હિંસાની છૂટીછવાઈ ઘટનાઓ વચ્ચે ચાલુ છે. ખાસ કરીને ભવાનીપુર બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનરજી અને ભાજપના શુભેન્દુ અધિકારી સામસામે આવી જતાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભવાનીપુરમાં એક જ મતદાન કેન્દ્ર પર મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી પહોંચી જતાં વિસ્તારમાં તણાવ પેદા થયો હતો. શુભેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો કે મમતા બેનરજી મતદારોમાં ડર ફેલાવવા માટે મોટી સંખ્યામાં બહારના લોકોને સાથે લઈને ફરી રહ્યા છે. તેમણે કહ્યું, 'હું માત્ર મારા સુરક્ષા ગાર્ડ્સ સાથે છું.'

Published on: 29th April, 2026
Read More at ગુજરાત સમાચાર
બંગાળમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ
Published on: 29th April, 2026
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026માં બીજા તબક્કાનું મતદાન આજે ભારે તણાવ અને હિંસાની છૂટીછવાઈ ઘટનાઓ વચ્ચે ચાલુ છે. ખાસ કરીને ભવાનીપુર બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનરજી અને ભાજપના શુભેન્દુ અધિકારી સામસામે આવી જતાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભવાનીપુરમાં એક જ મતદાન કેન્દ્ર પર મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી પહોંચી જતાં વિસ્તારમાં તણાવ પેદા થયો હતો. શુભેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો કે મમતા બેનરજી મતદારોમાં ડર ફેલાવવા માટે મોટી સંખ્યામાં બહારના લોકોને સાથે લઈને ફરી રહ્યા છે. તેમણે કહ્યું, 'હું માત્ર મારા સુરક્ષા ગાર્ડ્સ સાથે છું.'
Read More at ગુજરાત સમાચાર
સરકારી નોકરીની સુવર્ણ તક! ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500થી વધુ હોદ્દા પર ભરતી જાહેર
સરકારી નોકરીની સુવર્ણ તક! ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500થી વધુ હોદ્દા પર ભરતી જાહેર

સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા પંચાયત સેવા વર્ગ-3 હેઠળ આરોગ્ય અને વહીવટી વિભાગમાં 2,500થી વધુ હોદ્દા પર ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 4 મુખ્ય સંવર્ગોમાં નિમણૂક કરાશે. ફિમેલ હેલ્થ વર્કરની 1948 જગ્યા, મલ્ટી-પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)ના હોદ્દા માટે 420 જગ્યા, જુનિયર ક્લાર્ક-કમ-એકાઉન્ટ ક્લાર્કની 164 જગ્યા, લેબોરેટરી ટેકનિશિયન 61 જગ્યા પર ભરતી કરાશે. આ ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અનામત બેઠકોની વિશેષ જોગવાઈ કરાઈ છે.

Published on: 29th April, 2026
Read More at ગુજરાત સમાચાર
સરકારી નોકરીની સુવર્ણ તક! ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500થી વધુ હોદ્દા પર ભરતી જાહેર
Published on: 29th April, 2026
સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા પંચાયત સેવા વર્ગ-3 હેઠળ આરોગ્ય અને વહીવટી વિભાગમાં 2,500થી વધુ હોદ્દા પર ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 4 મુખ્ય સંવર્ગોમાં નિમણૂક કરાશે. ફિમેલ હેલ્થ વર્કરની 1948 જગ્યા, મલ્ટી-પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)ના હોદ્દા માટે 420 જગ્યા, જુનિયર ક્લાર્ક-કમ-એકાઉન્ટ ક્લાર્કની 164 જગ્યા, લેબોરેટરી ટેકનિશિયન 61 જગ્યા પર ભરતી કરાશે. આ ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અનામત બેઠકોની વિશેષ જોગવાઈ કરાઈ છે.
Read More at ગુજરાત સમાચાર
રાજકોટમાં સ્કૂલવાન અને સિટીબસ વચ્ચે ટક્કર
રાજકોટમાં સ્કૂલવાન અને સિટીબસ વચ્ચે ટક્કર

રાજકોટના મોટી ટાંકી ચોક પાસે આજે સવારે પૂરપાટ ઝડપે જતી સ્કૂલવાન અને સિટીબસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાનચાલકે બેદરકારીપૂર્વક ઝડપથી વળાંક લેતા વાન બસ સાથે અથડાઈને રસ્તા પર પલટી ગઈ હતી, જેમાં સવાર ૫ વિદ્યાર્થિનીઓને ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તાત્કાલિક બાળકીઓને બહાર કાઢી સારવાર અર્થે ખસેડી હતી. સીસીટીવી ફૂટેજમાં વાનચાલકની ગંભીર બેદરકારી સ્પષ્ટ દેખાય છે. આ ઘટનાએ સ્કૂલ વાહનોની અનિયંત્રિત ગતિ અને સુરક્ષાના નિયમોના અમલીકરણ સામે ફરી એકવાર મોટા સવાલો ઊભા કર્યા છે.

Published on: 29th April, 2026
Read More at દિવ્ય ભાસ્કર
રાજકોટમાં સ્કૂલવાન અને સિટીબસ વચ્ચે ટક્કર
Published on: 29th April, 2026
રાજકોટના મોટી ટાંકી ચોક પાસે આજે સવારે પૂરપાટ ઝડપે જતી સ્કૂલવાન અને સિટીબસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાનચાલકે બેદરકારીપૂર્વક ઝડપથી વળાંક લેતા વાન બસ સાથે અથડાઈને રસ્તા પર પલટી ગઈ હતી, જેમાં સવાર ૫ વિદ્યાર્થિનીઓને ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તાત્કાલિક બાળકીઓને બહાર કાઢી સારવાર અર્થે ખસેડી હતી. સીસીટીવી ફૂટેજમાં વાનચાલકની ગંભીર બેદરકારી સ્પષ્ટ દેખાય છે. આ ઘટનાએ સ્કૂલ વાહનોની અનિયંત્રિત ગતિ અને સુરક્ષાના નિયમોના અમલીકરણ સામે ફરી એકવાર મોટા સવાલો ઊભા કર્યા છે.
Read More at દિવ્ય ભાસ્કર
6 ઇંચનું રેમ્બો ચપ્પુ યુવકની આંગળીની આરપાર
6 ઇંચનું રેમ્બો ચપ્પુ યુવકની આંગળીની આરપાર

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગર આવાસમાં મધ્યરાત્રિએ હિંસક હુમલાની ઘટના બની છે. 'સુલતાન' નામના શખ્સની શોધમાં આવેલા હથિયારધારી ટોળકીએ ક્રિકેટ રમી રહેલા નિર્દોષ યુવકો પર ચપ્પુ અને કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧૯ વર્ષીય બોબીની આંગળીમાં ૬ ઈંચનું ચપ્પુ ફસાઈ ગયું હતું, જ્યારે તેના ભાઈ સહિત અન્ય યુવકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. વેસુ પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા સઘન તપાસ હાથ ધરી છે, જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ છે.

Published on: 29th April, 2026
Read More at દિવ્ય ભાસ્કર
6 ઇંચનું રેમ્બો ચપ્પુ યુવકની આંગળીની આરપાર
Published on: 29th April, 2026
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગર આવાસમાં મધ્યરાત્રિએ હિંસક હુમલાની ઘટના બની છે. 'સુલતાન' નામના શખ્સની શોધમાં આવેલા હથિયારધારી ટોળકીએ ક્રિકેટ રમી રહેલા નિર્દોષ યુવકો પર ચપ્પુ અને કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧૯ વર્ષીય બોબીની આંગળીમાં ૬ ઈંચનું ચપ્પુ ફસાઈ ગયું હતું, જ્યારે તેના ભાઈ સહિત અન્ય યુવકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. વેસુ પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા સઘન તપાસ હાથ ધરી છે, જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ છે.
Read More at દિવ્ય ભાસ્કર
ભાજપના ધૂંરધરો પ્રચારથી દૂર રહ્યા, ધારાસભ્યોએ લાજ બચાવી
ભાજપના ધૂંરધરો પ્રચારથી દૂર રહ્યા, ધારાસભ્યોએ લાજ બચાવી

અમરેલી જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. પરષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી જેવા દિગ્ગજ નેતાઓની સૂચક ગેરહાજરી વચ્ચે વર્તમાન ધારાસભ્યો અને મંત્રીઓએ પ્રચારની કમાન સંભાળી હતી. કેટલાક પૂર્વ નેતાઓ દ્વારા વિપક્ષને છૂપી મદદ કરવાના આક્ષેપો અને બગસરામાં 'આપ'ના વિજયે પક્ષમાં ચિંતા વધારી છે. ૨૦૨૪થી ચાલી રહેલા આ વિખવાદ અને નિષ્ક્રિય રહેલા નેતાઓ સામે આગામી સમયમાં હાઈકમાન્ડ દ્વારા કડક કાર્યવાહીની શક્યતા સેવાઈ રહી છે.

Published on: 29th April, 2026
Read More at દિવ્ય ભાસ્કર
ભાજપના ધૂંરધરો પ્રચારથી દૂર રહ્યા, ધારાસભ્યોએ લાજ બચાવી
Published on: 29th April, 2026
અમરેલી જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. પરષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી જેવા દિગ્ગજ નેતાઓની સૂચક ગેરહાજરી વચ્ચે વર્તમાન ધારાસભ્યો અને મંત્રીઓએ પ્રચારની કમાન સંભાળી હતી. કેટલાક પૂર્વ નેતાઓ દ્વારા વિપક્ષને છૂપી મદદ કરવાના આક્ષેપો અને બગસરામાં 'આપ'ના વિજયે પક્ષમાં ચિંતા વધારી છે. ૨૦૨૪થી ચાલી રહેલા આ વિખવાદ અને નિષ્ક્રિય રહેલા નેતાઓ સામે આગામી સમયમાં હાઈકમાન્ડ દ્વારા કડક કાર્યવાહીની શક્યતા સેવાઈ રહી છે.
Read More at દિવ્ય ભાસ્કર
ડ્રેસીંગ રૂમમાં રિયાન પરાગે ઈ-સિગારેટ પીધી
ડ્રેસીંગ રૂમમાં રિયાન પરાગે ઈ-સિગારેટ પીધી

રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગ ઈ-સિગારેટ પીતા દેખાયા: ડ્રેસિંગ રૂમનો વીડિયો વાયરલ; દેશમાં પ્રતિબંધ, BCCI કાર્યવાહી કરી શકે છે IPL 2026માં રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન રિયાન પરાગ વિવાદમાં ફસાયા છે. મંગળવારે પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચ દરમિયાન તે ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતા કેમેરામાં કેદ થયા હતા.

Published on: 29th April, 2026
Read More at દિવ્ય ભાસ્કર
ડ્રેસીંગ રૂમમાં રિયાન પરાગે ઈ-સિગારેટ પીધી
Published on: 29th April, 2026
રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગ ઈ-સિગારેટ પીતા દેખાયા: ડ્રેસિંગ રૂમનો વીડિયો વાયરલ; દેશમાં પ્રતિબંધ, BCCI કાર્યવાહી કરી શકે છે IPL 2026માં રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન રિયાન પરાગ વિવાદમાં ફસાયા છે. મંગળવારે પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચ દરમિયાન તે ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતા કેમેરામાં કેદ થયા હતા.
Read More at દિવ્ય ભાસ્કર
ચકચારી હત્યા કેસમાં સોનમને આ રીતે મળ્યા જામીન
ચકચારી હત્યા કેસમાં સોનમને આ રીતે મળ્યા જામીન

અદાલતે સોનમ રઘુવંશીના કેસમાં તપાસ એજન્સીઓની ગંભીર ખામીઓ પર સવાલો ઉઠાવતા જામીન મંજૂર કર્યા છે. કોર્ટે નોંધ્યું કે ધરપકડના દસ્તાવેજોમાં અસ્તિત્વમાં ન હોય તેવી કાયદાકીય કલમો (BNS 403(1)) ટાંકવામાં આવી હતી અને આરોપીને ધરપકડના કારણો તેમજ વકીલની સુવિધા આપવામાં આવી નહોતી. આ મૂળભૂત કાનૂની પ્રક્રિયાના ભંગને કોર્ટે ગંભીર ભૂલ ગણાવી છે. જોકે, સોનમને કડક શરતો સાથે જામીન અપાયા છે, જેમાં અદાલતની મંજૂરી વિના શિલોંગ જિલ્લો ન છોડવા જેવી મર્યાદાઓનો સમાવેશ થાય છે.

Published on: 29th April, 2026
Read More at સંદેશ
ચકચારી હત્યા કેસમાં સોનમને આ રીતે મળ્યા જામીન
Published on: 29th April, 2026
અદાલતે સોનમ રઘુવંશીના કેસમાં તપાસ એજન્સીઓની ગંભીર ખામીઓ પર સવાલો ઉઠાવતા જામીન મંજૂર કર્યા છે. કોર્ટે નોંધ્યું કે ધરપકડના દસ્તાવેજોમાં અસ્તિત્વમાં ન હોય તેવી કાયદાકીય કલમો (BNS 403(1)) ટાંકવામાં આવી હતી અને આરોપીને ધરપકડના કારણો તેમજ વકીલની સુવિધા આપવામાં આવી નહોતી. આ મૂળભૂત કાનૂની પ્રક્રિયાના ભંગને કોર્ટે ગંભીર ભૂલ ગણાવી છે. જોકે, સોનમને કડક શરતો સાથે જામીન અપાયા છે, જેમાં અદાલતની મંજૂરી વિના શિલોંગ જિલ્લો ન છોડવા જેવી મર્યાદાઓનો સમાવેશ થાય છે.
Read More at સંદેશ
બાપુનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા, જૂની અદાવતને લઈ ફરિયાદી પર આઠ લોકોએ હુમલો કર્યો
બાપુનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા, જૂની અદાવતને લઈ ફરિયાદી પર આઠ લોકોએ હુમલો કર્યો

અમદાવાદના બાપુનગરમાં જૂની અદાવતને લીધે આઠ જેટલા અસામાજિક તત્વોએ એક ઓફિસ પર લાકડીઓ વડે હિંસક હુમલો કર્યો હતો. રાહુલ મરાઠી અને તેના સાથીદારો દ્વારા કરવામાં આવેલી આ હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ફરિયાદી મલખાન સિંહ ચૌહાણ સામે પણ અગાઉ મારામારીના કેસ નોંધાયેલા છે. હાલમાં ફરિયાદી અને આરોપી બંને ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બાપુનગર અને શહેરકોટડા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Published on: 29th April, 2026
Read More at સંદેશ
બાપુનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા, જૂની અદાવતને લઈ ફરિયાદી પર આઠ લોકોએ હુમલો કર્યો
Published on: 29th April, 2026
અમદાવાદના બાપુનગરમાં જૂની અદાવતને લીધે આઠ જેટલા અસામાજિક તત્વોએ એક ઓફિસ પર લાકડીઓ વડે હિંસક હુમલો કર્યો હતો. રાહુલ મરાઠી અને તેના સાથીદારો દ્વારા કરવામાં આવેલી આ હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ફરિયાદી મલખાન સિંહ ચૌહાણ સામે પણ અગાઉ મારામારીના કેસ નોંધાયેલા છે. હાલમાં ફરિયાદી અને આરોપી બંને ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બાપુનગર અને શહેરકોટડા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read More at સંદેશ
વેરાવળ નગરપાલિકામાં ભાજપે સત્તા જાળવી રાખી
વેરાવળ નગરપાલિકામાં ભાજપે સત્તા જાળવી રાખી

વેરાવળ-પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કાંટાની ટક્કર બાદ ૨૪ બેઠકો મેળવી સત્તા જાળવી રાખી છે, જ્યારે કોંગ્રેસે ૨૦ બેઠકો સાથે જોરદાર લડત આપી હતી. કુલ ૪૪ બેઠકો માટે થયેલી આ ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૧ ના પરિણામો ભાજપ માટે નિર્ણાયક સાબિત થયા હતા. ગત ચૂંટણીની સરખામણીએ કોંગ્રેસની બેઠકોમાં વધારો થયો છે. વિજય બાદ ભાજપ દ્વારા ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ પરિણામો આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી માટે બંને પક્ષો માટે મહત્વના સંકેત માનવામાં આવે છે.

Published on: 29th April, 2026
Read More at દિવ્ય ભાસ્કર
વેરાવળ નગરપાલિકામાં ભાજપે સત્તા જાળવી રાખી
Published on: 29th April, 2026
વેરાવળ-પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કાંટાની ટક્કર બાદ ૨૪ બેઠકો મેળવી સત્તા જાળવી રાખી છે, જ્યારે કોંગ્રેસે ૨૦ બેઠકો સાથે જોરદાર લડત આપી હતી. કુલ ૪૪ બેઠકો માટે થયેલી આ ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૧ ના પરિણામો ભાજપ માટે નિર્ણાયક સાબિત થયા હતા. ગત ચૂંટણીની સરખામણીએ કોંગ્રેસની બેઠકોમાં વધારો થયો છે. વિજય બાદ ભાજપ દ્વારા ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ પરિણામો આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી માટે બંને પક્ષો માટે મહત્વના સંકેત માનવામાં આવે છે.
Read More at દિવ્ય ભાસ્કર
સેન્સેક્સમાં 300 અંકનો ઉછાળો: 77,200 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 100 અંક વધ્યો.
સેન્સેક્સમાં 300 અંકનો ઉછાળો: 77,200 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 100 અંક વધ્યો.

આજે 29 એપ્રિલે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ છે, જેમાં સેન્સેક્સ 300 પોઈન્ટ ઉછળીને 77,200 અને નિફ્ટી 24,100 ના સ્તરે પહોંચ્યા છે. ખાસ કરીને ઓટો, IT અને FMCG શેરોમાં સારી ખરીદી જોવા મળી રહી છે. બીજી તરફ, વૈશ્વિક સ્તરે અમેરિકી અને એશિયન બજારોમાં નરમાશ છે. સપ્લાયની ચિંતા અને વધતી માંગને કારણે ક્રૂડ ઓઇલ $110 પ્રતિ બેરલને પાર કરી ગયું છે. ગઈકાલના ઘટાડા બાદ બજારે આજે ફરી રિકવરી દર્શાવી મજબૂત શરૂઆત કરી છે.

Published on: 29th April, 2026
Read More at દિવ્ય ભાસ્કર
સેન્સેક્સમાં 300 અંકનો ઉછાળો: 77,200 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 100 અંક વધ્યો.
Published on: 29th April, 2026
આજે 29 એપ્રિલે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ છે, જેમાં સેન્સેક્સ 300 પોઈન્ટ ઉછળીને 77,200 અને નિફ્ટી 24,100 ના સ્તરે પહોંચ્યા છે. ખાસ કરીને ઓટો, IT અને FMCG શેરોમાં સારી ખરીદી જોવા મળી રહી છે. બીજી તરફ, વૈશ્વિક સ્તરે અમેરિકી અને એશિયન બજારોમાં નરમાશ છે. સપ્લાયની ચિંતા અને વધતી માંગને કારણે ક્રૂડ ઓઇલ $110 પ્રતિ બેરલને પાર કરી ગયું છે. ગઈકાલના ઘટાડા બાદ બજારે આજે ફરી રિકવરી દર્શાવી મજબૂત શરૂઆત કરી છે.
Read More at દિવ્ય ભાસ્કર
મોરબીમાં ભાજપના વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ.
મોરબીમાં ભાજપના વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ.

મોરબી-માળિયા વિધાનસભા હેઠળની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થતા રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના નિવાસસ્થાને વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો. મોરબી મહાનગરપાલિકાની તમામ ૫૨ બેઠકો સહિત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે. મંત્રીએ આ જીતને કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ ગણાવી નવનિર્વાચિત સભ્યોને આગામી પાંચ વર્ષ ભ્રષ્ટાચારમુક્ત અને પ્રમાણિકતાથી લોકસેવા કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના હોદ્દેદારો અને સિરામિક એસોસિએશનના અગ્રણીઓએ હાજર રહી વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Published on: 29th April, 2026
Read More at દિવ્ય ભાસ્કર
મોરબીમાં ભાજપના વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ.
Published on: 29th April, 2026
મોરબી-માળિયા વિધાનસભા હેઠળની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થતા રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના નિવાસસ્થાને વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો. મોરબી મહાનગરપાલિકાની તમામ ૫૨ બેઠકો સહિત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે. મંત્રીએ આ જીતને કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ ગણાવી નવનિર્વાચિત સભ્યોને આગામી પાંચ વર્ષ ભ્રષ્ટાચારમુક્ત અને પ્રમાણિકતાથી લોકસેવા કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના હોદ્દેદારો અને સિરામિક એસોસિએશનના અગ્રણીઓએ હાજર રહી વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
Read More at દિવ્ય ભાસ્કર
30 એપ્રિલે ભગવાન નરસિંહ પ્રાગટ્ય ઉત્સવ.
30 એપ્રિલે ભગવાન નરસિંહ પ્રાગટ્ય ઉત્સવ.

વૈશાખ સુદ ચતુર્દશીના રોજ ભગવાન વિષ્ણુના ચોથા અવતાર એવા નરસિંહ ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્ત પ્રહલાદની રક્ષા કાજે ભગવાને અડધા માનવ અને અડધા સિંહ સ્વરૂપે પ્રગટ થઈ હિરણ્યકશિપુનો વધ કર્યો હતો. આ વર્ષે ગુરુવારના સંયોગથી આ પર્વનું મહત્ત્વ વધ્યું છે, જેની પૂજા-અર્ચનાથી ભય, રોગ અને શત્રુઓથી મુક્તિ મળે છે. સમગ્ર ભારતમાં, ખાસ કરીને દક્ષિણ ભારતમાં આ ઉત્સવ મોટા પાયે ઉજવાય છે, જ્યાં ભક્તો વ્રત અને દાન-પુણ્ય દ્વારા ભગવાનના આશીર્વાદ મેળવે છે.

Published on: 29th April, 2026
Read More at દિવ્ય ભાસ્કર
30 એપ્રિલે ભગવાન નરસિંહ પ્રાગટ્ય ઉત્સવ.
Published on: 29th April, 2026
વૈશાખ સુદ ચતુર્દશીના રોજ ભગવાન વિષ્ણુના ચોથા અવતાર એવા નરસિંહ ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્ત પ્રહલાદની રક્ષા કાજે ભગવાને અડધા માનવ અને અડધા સિંહ સ્વરૂપે પ્રગટ થઈ હિરણ્યકશિપુનો વધ કર્યો હતો. આ વર્ષે ગુરુવારના સંયોગથી આ પર્વનું મહત્ત્વ વધ્યું છે, જેની પૂજા-અર્ચનાથી ભય, રોગ અને શત્રુઓથી મુક્તિ મળે છે. સમગ્ર ભારતમાં, ખાસ કરીને દક્ષિણ ભારતમાં આ ઉત્સવ મોટા પાયે ઉજવાય છે, જ્યાં ભક્તો વ્રત અને દાન-પુણ્ય દ્વારા ભગવાનના આશીર્વાદ મેળવે છે.
Read More at દિવ્ય ભાસ્કર
મોરબી જિલ્લા પંચાયતમાં બહુમતી છતાં ભાજપને પ્રમુખ પદ મળવા સામે પ્રશ્નાર્થ.
મોરબી જિલ્લા પંચાયતમાં બહુમતી છતાં ભાજપને પ્રમુખ પદ મળવા સામે પ્રશ્નાર્થ.

મોરબી જિલ્લા પંચાયતની ૨૪ બેઠકોમાંથી ૧૭ બેઠકો જીતી ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસને ૭ બેઠકો મળી છે. જોકે, પ્રમુખપદ માટે અનામત એકમાત્ર 'નેકનામ' એસટી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન દુબરીયા વિજેતા થતા ભાજપ માટે વિચિત્ર સ્થિતિ સર્જાઈ છે. બહુમતી હોવા છતાં અનામત બેઠક ગુમાવવાને કારણે પ્રમુખ નક્કી કરવા બાબતે ભાજપ મૂંઝવણમાં છે. બીજી તરફ, વાંકાનેરની તિથવા બેઠક પર કોંગ્રેસે સૌથી વધુ મતોથી જીત મેળવી પોતાની પરંપરાગત બેઠકો જાળવી રાખી છે.

Published on: 29th April, 2026
Read More at સંદેશ
મોરબી જિલ્લા પંચાયતમાં બહુમતી છતાં ભાજપને પ્રમુખ પદ મળવા સામે પ્રશ્નાર્થ.
Published on: 29th April, 2026
મોરબી જિલ્લા પંચાયતની ૨૪ બેઠકોમાંથી ૧૭ બેઠકો જીતી ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસને ૭ બેઠકો મળી છે. જોકે, પ્રમુખપદ માટે અનામત એકમાત્ર 'નેકનામ' એસટી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન દુબરીયા વિજેતા થતા ભાજપ માટે વિચિત્ર સ્થિતિ સર્જાઈ છે. બહુમતી હોવા છતાં અનામત બેઠક ગુમાવવાને કારણે પ્રમુખ નક્કી કરવા બાબતે ભાજપ મૂંઝવણમાં છે. બીજી તરફ, વાંકાનેરની તિથવા બેઠક પર કોંગ્રેસે સૌથી વધુ મતોથી જીત મેળવી પોતાની પરંપરાગત બેઠકો જાળવી રાખી છે.
Read More at સંદેશ
Stock Market Opening: શેરબજારમાં તેજી, સેન્સેક્સ 413 પોઇન્ટનો વધારો.
Stock Market Opening: શેરબજારમાં તેજી, સેન્સેક્સ 413 પોઇન્ટનો વધારો.

બુધવારે એશિયન બજારોના મિશ્ર વલણો વચ્ચે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ ૩૨૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭,૨૧૪ અને નિફ્ટી ૨૪,૧૦૦ ના સ્તરને પાર કરી ૨૪,૦૬૫ પર ટ્રેડ થઈ રહ્યો હતો. ઓટો, રિયલ્ટી અને રિલાયન્સના શેરોમાં ખરીદીથી બજારને મજબૂતી મળી છે. જોકે, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડાએ ચિંતા જન્માવી છે. વૈશ્વિક સ્તરે રોકાણકારોની નજર યુએસ ફેડરલ રિઝર્વની બેઠક અને ઓપેક (OPEC) સંબંધિત સમાચારો પર ટકી છે.

Published on: 29th April, 2026
Read More at સંદેશ
Stock Market Opening: શેરબજારમાં તેજી, સેન્સેક્સ 413 પોઇન્ટનો વધારો.
Published on: 29th April, 2026
બુધવારે એશિયન બજારોના મિશ્ર વલણો વચ્ચે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ ૩૨૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭,૨૧૪ અને નિફ્ટી ૨૪,૧૦૦ ના સ્તરને પાર કરી ૨૪,૦૬૫ પર ટ્રેડ થઈ રહ્યો હતો. ઓટો, રિયલ્ટી અને રિલાયન્સના શેરોમાં ખરીદીથી બજારને મજબૂતી મળી છે. જોકે, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડાએ ચિંતા જન્માવી છે. વૈશ્વિક સ્તરે રોકાણકારોની નજર યુએસ ફેડરલ રિઝર્વની બેઠક અને ઓપેક (OPEC) સંબંધિત સમાચારો પર ટકી છે.
Read More at સંદેશ
817 પાટણવાસીઓએ NOTA દબાવ્યું.
817 પાટણવાસીઓએ NOTA દબાવ્યું.

પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ૮૧૭ મતદારોએ 'નોટા' (NOTA) પર પસંદગી ઉતારીને તમામ પક્ષો અને ઉમેદવારો પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કરી ઇતિહાસ રચ્યો છે. ૧૧ વોર્ડના ૧૧૪ ઉમેદવારો સામે જનતાની આ નારાજગી પાછળ વિવાદાસ્પદ ઉમેદવારોની પસંદગી અને પાયાની સુવિધાઓ ઉકેલવામાં પક્ષોની નિષ્ફળતા મુખ્ય કારણો મનાય છે. નજીવા માર્જિનથી થતી હાર-જીતના ગણિતમાં આટલા મોટા પ્રમાણમાં નોટાનો ઉપયોગ રાજકીય પક્ષો માટે ચેતવણી સમાન છે, જે દર્શાવે છે કે મતદારો હવે પક્ષ કરતાં ઉમેદવારની છબી અને કામગીરીને વધુ મહત્વ આપે છે.

Published on: 29th April, 2026
Read More at દિવ્ય ભાસ્કર
817 પાટણવાસીઓએ NOTA દબાવ્યું.
Published on: 29th April, 2026
પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ૮૧૭ મતદારોએ 'નોટા' (NOTA) પર પસંદગી ઉતારીને તમામ પક્ષો અને ઉમેદવારો પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કરી ઇતિહાસ રચ્યો છે. ૧૧ વોર્ડના ૧૧૪ ઉમેદવારો સામે જનતાની આ નારાજગી પાછળ વિવાદાસ્પદ ઉમેદવારોની પસંદગી અને પાયાની સુવિધાઓ ઉકેલવામાં પક્ષોની નિષ્ફળતા મુખ્ય કારણો મનાય છે. નજીવા માર્જિનથી થતી હાર-જીતના ગણિતમાં આટલા મોટા પ્રમાણમાં નોટાનો ઉપયોગ રાજકીય પક્ષો માટે ચેતવણી સમાન છે, જે દર્શાવે છે કે મતદારો હવે પક્ષ કરતાં ઉમેદવારની છબી અને કામગીરીને વધુ મહત્વ આપે છે.
Read More at દિવ્ય ભાસ્કર
લોકરની ચાવીથી 12 લાખ લૂંટ્યા ને કેશ પેટી તોડી 38 લાખ કાઢ્યા.
લોકરની ચાવીથી 12 લાખ લૂંટ્યા ને કેશ પેટી તોડી 38 લાખ કાઢ્યા.

સુરતના વરાછામાં લંબે હનુમાન રોડ પર આવેલી SBI શાખામાં છ સશસ્ત્ર લૂંટારૂઓએ ફિલ્મી ઢબે અંદાજે ₹50 લાખની લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓએ કરંટ એકાઉન્ટ ખોલાવવાના બહાને પ્રવેશ કરી કર્મચારીઓ અને ગ્રાહકોને પિસ્તોલની અણીએ બંધક બનાવ્યા હતા. બેંકમાંથી ₹12 લાખ અને CMS કેશવાનમાંથી ₹38 લાખની લૂંટ કરી તેઓ ત્રણ બાઇક પર ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ તેજ કરી છે, જ્યારે કેશવાનના ગનમેનની ભૂમિકા શંકાના દાયરામાં હોવાથી તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.

Published on: 29th April, 2026
Read More at દિવ્ય ભાસ્કર
લોકરની ચાવીથી 12 લાખ લૂંટ્યા ને કેશ પેટી તોડી 38 લાખ કાઢ્યા.
Published on: 29th April, 2026
સુરતના વરાછામાં લંબે હનુમાન રોડ પર આવેલી SBI શાખામાં છ સશસ્ત્ર લૂંટારૂઓએ ફિલ્મી ઢબે અંદાજે ₹50 લાખની લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓએ કરંટ એકાઉન્ટ ખોલાવવાના બહાને પ્રવેશ કરી કર્મચારીઓ અને ગ્રાહકોને પિસ્તોલની અણીએ બંધક બનાવ્યા હતા. બેંકમાંથી ₹12 લાખ અને CMS કેશવાનમાંથી ₹38 લાખની લૂંટ કરી તેઓ ત્રણ બાઇક પર ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ તેજ કરી છે, જ્યારે કેશવાનના ગનમેનની ભૂમિકા શંકાના દાયરામાં હોવાથી તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.
Read More at દિવ્ય ભાસ્કર
પશ્ચિમ બંગાળમાં આજે બીજા તબક્કાનું મતદાન, PM મોદી પહોંચ્યા કાશી વિશ્વનાથ
પશ્ચિમ બંગાળમાં આજે બીજા તબક્કાનું મતદાન, PM મોદી પહોંચ્યા કાશી વિશ્વનાથ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે મતદાન બુધવારે સવારે 7:00 વાગ્યે શરૂ થયું. આ બીજા તબક્કામાં, સાત જિલ્લાઓમાં ફેલાયેલા 142 વિધાનસભા મતવિસ્તારોમાં કુલ 32,173,837 મતદારો મતદાન કરશે. તો બીજી તરફ પીએમ મોદી કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે. પીએમ મોદી કાશી વિશ્વનાથની પૂજા અર્ચના કરી. મહાદેવજીનો અભિષેક કર્યો.  અહીં શંખનાદ તથા ઢોલ નગારા વગાડીને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું.  

Published on: 29th April, 2026
Read More at સંદેશ
પશ્ચિમ બંગાળમાં આજે બીજા તબક્કાનું મતદાન, PM મોદી પહોંચ્યા કાશી વિશ્વનાથ
Published on: 29th April, 2026
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે મતદાન બુધવારે સવારે 7:00 વાગ્યે શરૂ થયું. આ બીજા તબક્કામાં, સાત જિલ્લાઓમાં ફેલાયેલા 142 વિધાનસભા મતવિસ્તારોમાં કુલ 32,173,837 મતદારો મતદાન કરશે. તો બીજી તરફ પીએમ મોદી કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે. પીએમ મોદી કાશી વિશ્વનાથની પૂજા અર્ચના કરી. મહાદેવજીનો અભિષેક કર્યો.  અહીં શંખનાદ તથા ઢોલ નગારા વગાડીને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું.  
Read More at સંદેશ
ઇરાન પાસે પરમાણુ હથિયાર હશે તો સમગ્ર દુનિયા બંધક બની જશે, જર્મની પર ભડક્યા ટ્રંપ.
ઇરાન પાસે પરમાણુ હથિયાર હશે તો સમગ્ર દુનિયા બંધક બની જશે, જર્મની પર ભડક્યા ટ્રંપ.

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જની આકરી ટીકા કરતા આરોપ લગાવ્યો છે કે મર્જ ઈરાનના પરમાણુ હથિયારો પ્રત્યે નરમ વલણ ધરાવે છે, જે વિશ્વ માટે ખતરનાક છે. ટ્રમ્પે જર્મનીની આર્થિક સ્થિતિને પણ નબળી ગણાવી હતી. બીજી તરફ, ચાન્સેલર મર્જે ચેતવણી આપી હતી કે ઈરાન ધાર્યા કરતા વધુ શક્તિશાળી છે અને અમેરિકા પાસે આ સંઘર્ષ પૂરો કરવાની કોઈ સ્પષ્ટ યોજના નથી. તેમણે હોર્મુઝની સામુદ્રધુનીમાં માઈન્સના જોખમ અંગે પણ વૈશ્વિક ચિંતા વ્યક્ત કરી હતી.

Published on: 29th April, 2026
Read More at સંદેશ
ઇરાન પાસે પરમાણુ હથિયાર હશે તો સમગ્ર દુનિયા બંધક બની જશે, જર્મની પર ભડક્યા ટ્રંપ.
Published on: 29th April, 2026
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જની આકરી ટીકા કરતા આરોપ લગાવ્યો છે કે મર્જ ઈરાનના પરમાણુ હથિયારો પ્રત્યે નરમ વલણ ધરાવે છે, જે વિશ્વ માટે ખતરનાક છે. ટ્રમ્પે જર્મનીની આર્થિક સ્થિતિને પણ નબળી ગણાવી હતી. બીજી તરફ, ચાન્સેલર મર્જે ચેતવણી આપી હતી કે ઈરાન ધાર્યા કરતા વધુ શક્તિશાળી છે અને અમેરિકા પાસે આ સંઘર્ષ પૂરો કરવાની કોઈ સ્પષ્ટ યોજના નથી. તેમણે હોર્મુઝની સામુદ્રધુનીમાં માઈન્સના જોખમ અંગે પણ વૈશ્વિક ચિંતા વ્યક્ત કરી હતી.
Read More at સંદેશ
મોદી કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા: 14 કિમીના રોડ શોમાં સમર્થકોએ ફૂલો વરસાવ્યા.
મોદી કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા: 14 કિમીના રોડ શોમાં સમર્થકોએ ફૂલો વરસાવ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીમાં ૧૪ કિમી લાંબો ભવ્ય રોડ શો યોજીને બાબા વિશ્વનાથના દર્શન અને રુદ્રાભિષેક કર્યા હતા. વર્ષ ૨૦૨૬ના તેમના આ પ્રથમ કાશી પ્રવાસ દરમિયાન બટુકોએ શંખનાદ સાથે અને જનતાએ પુષ્પવર્ષા કરીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મંદિરની મુલાકાત બાદ પીએમ મોદી મુખ્યમંત્રી યોગી સાથે હરદોઈ જવા રવાના થશે, જ્યાં તેઓ મેરઠ અને પ્રયાગરાજને જોડતા ૫૯૪ કિમી લાંબા ગંગા એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરશે. આ પ્રવાસ વિકાસ અને આસ્થાના સંગમ સમાન રહ્યો છે.

Published on: 29th April, 2026
Read More at દિવ્ય ભાસ્કર
મોદી કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા: 14 કિમીના રોડ શોમાં સમર્થકોએ ફૂલો વરસાવ્યા.
Published on: 29th April, 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીમાં ૧૪ કિમી લાંબો ભવ્ય રોડ શો યોજીને બાબા વિશ્વનાથના દર્શન અને રુદ્રાભિષેક કર્યા હતા. વર્ષ ૨૦૨૬ના તેમના આ પ્રથમ કાશી પ્રવાસ દરમિયાન બટુકોએ શંખનાદ સાથે અને જનતાએ પુષ્પવર્ષા કરીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મંદિરની મુલાકાત બાદ પીએમ મોદી મુખ્યમંત્રી યોગી સાથે હરદોઈ જવા રવાના થશે, જ્યાં તેઓ મેરઠ અને પ્રયાગરાજને જોડતા ૫૯૪ કિમી લાંબા ગંગા એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરશે. આ પ્રવાસ વિકાસ અને આસ્થાના સંગમ સમાન રહ્યો છે.
Read More at દિવ્ય ભાસ્કર
સરકારના 8 મંત્રીઓ ઘર આંગણે ભાજપને જીતાડી ન શક્યા.
સરકારના 8 મંત્રીઓ ઘર આંગણે ભાજપને જીતાડી ન શક્યા.

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક જીત મેળવી ૨૦૨૭ની વિધાનસભાની તૈયારીઓ મજબૂત કરી છે, પરંતુ આ ભવ્ય વિજય વચ્ચે આઠ મંત્રીઓ પોતાના જ વિસ્તારમાં પક્ષને જીતાડવામાં નિષ્ફળ રહ્યા છે. શિક્ષણ મંત્રી, કૃષિ મંત્રી અને વન મંત્રી સહિતના દિગ્ગજોના ગામોમાં કોંગ્રેસ, આપ અને અપક્ષોનો વિજય થયો છે. આ પરિણામોનું વિશ્લેષણ કરવા અને મનપામાં નવી બોડી રચવા માટે આજે 'કમલમ' ખાતે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક યોજાશે, જેમાં હારેલી બેઠકો અંગે ગંભીર ચર્ચા થવાની શક્યતા છે.

Published on: 29th April, 2026
Read More at સંદેશ
સરકારના 8 મંત્રીઓ ઘર આંગણે ભાજપને જીતાડી ન શક્યા.
Published on: 29th April, 2026
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક જીત મેળવી ૨૦૨૭ની વિધાનસભાની તૈયારીઓ મજબૂત કરી છે, પરંતુ આ ભવ્ય વિજય વચ્ચે આઠ મંત્રીઓ પોતાના જ વિસ્તારમાં પક્ષને જીતાડવામાં નિષ્ફળ રહ્યા છે. શિક્ષણ મંત્રી, કૃષિ મંત્રી અને વન મંત્રી સહિતના દિગ્ગજોના ગામોમાં કોંગ્રેસ, આપ અને અપક્ષોનો વિજય થયો છે. આ પરિણામોનું વિશ્લેષણ કરવા અને મનપામાં નવી બોડી રચવા માટે આજે 'કમલમ' ખાતે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક યોજાશે, જેમાં હારેલી બેઠકો અંગે ગંભીર ચર્ચા થવાની શક્યતા છે.
Read More at સંદેશ
સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટીદાર વિસ્તારમાં ભાજપનું કમબેક, AAPને આ ફેક્ટર નડ્યું
સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટીદાર વિસ્તારમાં ભાજપનું કમબેક, AAPને આ ફેક્ટર નડ્યું

સુરત મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપની થયેલી ભવ્ય જીતમાં પાટીદાર વિસ્તારોમાં ખીલેલું કમળ હરખની વિશેષ હેલી લઈને આવ્યું છે. 2021 માં જે વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની તરફેણમાં બમ્પર મતદાન થયું હતું, ત્યાં ભાજપની કરારી હાર નોંધાઈ હતી. તે વિસ્તારોમાં આ વખતે આપના ઝાડું ઉપર મતદારોનો સાવરણો ફરી વળ્યો છે. 2021 ની ચૂંટણીમાં 'આપ'એ જીતેલા વોર્ડ નં. 2, 3, 4, 5 અને 16 ગુમાવ્યા છે, જ્યારે વોર્ડ નં-7 અને 8 માં પણ ભાજપની પેનલ તોડનારા ઉમેદવારો ઘરભેગા થયા છે.

Published on: 29th April, 2026
Read More at ગુજરાત સમાચાર
સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટીદાર વિસ્તારમાં ભાજપનું કમબેક, AAPને આ ફેક્ટર નડ્યું
Published on: 29th April, 2026
સુરત મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપની થયેલી ભવ્ય જીતમાં પાટીદાર વિસ્તારોમાં ખીલેલું કમળ હરખની વિશેષ હેલી લઈને આવ્યું છે. 2021 માં જે વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની તરફેણમાં બમ્પર મતદાન થયું હતું, ત્યાં ભાજપની કરારી હાર નોંધાઈ હતી. તે વિસ્તારોમાં આ વખતે આપના ઝાડું ઉપર મતદારોનો સાવરણો ફરી વળ્યો છે. 2021 ની ચૂંટણીમાં 'આપ'એ જીતેલા વોર્ડ નં. 2, 3, 4, 5 અને 16 ગુમાવ્યા છે, જ્યારે વોર્ડ નં-7 અને 8 માં પણ ભાજપની પેનલ તોડનારા ઉમેદવારો ઘરભેગા થયા છે.
Read More at ગુજરાત સમાચાર

Download Our App

Get better experience on our mobile app 🚀

Download from Play Store