Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
Trending icon મારું ગુજરાત icon ઈરાન-ઇઝરાયલ યુદ્ધ icon IPL 2026 icon દેશ icon Crime icon દુનિયા icon રાજકારણ icon રમત-જગત icon હવામાન icon કૃષિ icon વેપાર icon સ્ટોક માર્કેટ icon પર્સનલ ફાઇનાન્સ icon Science & Technology icon મનોરંજન icon બોલીવુડ icon Career icon Education icon જાણવા જેવું icon સ્વાસ્થ્ય icon ધર્મ
મુંબઈમાં બિરયાની ખાધા બાદ રાતે તરબૂચ ખાધું, એક જ પરિવારના ચારના મોત, રહસ્ય ઘેરાયું
મુંબઈમાં બિરયાની ખાધા બાદ રાતે તરબૂચ ખાધું, એક જ પરિવારના ચારના મોત, રહસ્ય ઘેરાયું

મુંબઈથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં પાયધુની વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે, સંબંધીઓ સહિત આસપાસના સ્થાનિક લોકો અને પોલીસ આ દુર્ઘટનાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. મહત્વનું છે કે ડોકાડિયા પરિવારે રાત્રે ભોજનમાં બિરયાની ખાધી હતી. તેના થોડા સમય બાદ પરિવારના સભ્યોએ તરબૂચ પણ ખાધું હતું. પરંતુ મોડી રાત્રે અચાનક તમામની તબિયત બગડવા લાગી હતી. હાલત ગંભીર જણાતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ચારેયના કમકમાટીભર્યા મોત થયા હતા.

Published on: 27th April, 2026
Read More at ગુજરાત સમાચાર
મુંબઈમાં બિરયાની ખાધા બાદ રાતે તરબૂચ ખાધું, એક જ પરિવારના ચારના મોત, રહસ્ય ઘેરાયું
Published on: 27th April, 2026
મુંબઈથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં પાયધુની વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે, સંબંધીઓ સહિત આસપાસના સ્થાનિક લોકો અને પોલીસ આ દુર્ઘટનાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. મહત્વનું છે કે ડોકાડિયા પરિવારે રાત્રે ભોજનમાં બિરયાની ખાધી હતી. તેના થોડા સમય બાદ પરિવારના સભ્યોએ તરબૂચ પણ ખાધું હતું. પરંતુ મોડી રાત્રે અચાનક તમામની તબિયત બગડવા લાગી હતી. હાલત ગંભીર જણાતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ચારેયના કમકમાટીભર્યા મોત થયા હતા.
Read More at ગુજરાત સમાચાર
AAPને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિતના રાજીનામું આપનારા સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી
AAPને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિતના રાજીનામું આપનારા સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. રાજ્યસભા સચિવાલયે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને રાઘવ ચઢ્ઢા સહિતના તમામ સાતેય બાગી સાંસદોને ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે માન્યતા આપી દીધી છે. આ સાંસદોના જોડાણ બાદ હવે રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે, આ મોટા ભંગાણને કારણે આમ આદમી પાર્ટીનું કદ ઘટીને માત્ર 3 સાંસદો સુધી મર્યાદિત થઈ ગયું છે. આ અગાઉ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રવિવારે(26 એપ્રિલ, 2026) રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનને પત્ર લખીને આ સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માંગ કરી હતી.

Published on: 27th April, 2026
Read More at ગુજરાત સમાચાર
AAPને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિતના રાજીનામું આપનારા સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી
Published on: 27th April, 2026
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. રાજ્યસભા સચિવાલયે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને રાઘવ ચઢ્ઢા સહિતના તમામ સાતેય બાગી સાંસદોને ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે માન્યતા આપી દીધી છે. આ સાંસદોના જોડાણ બાદ હવે રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે, આ મોટા ભંગાણને કારણે આમ આદમી પાર્ટીનું કદ ઘટીને માત્ર 3 સાંસદો સુધી મર્યાદિત થઈ ગયું છે. આ અગાઉ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રવિવારે(26 એપ્રિલ, 2026) રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનને પત્ર લખીને આ સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માંગ કરી હતી.
Read More at ગુજરાત સમાચાર
'રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન', AAP નેતાનું ચોંકાવનારું નિવેદન
'રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન', AAP નેતાનું ચોંકાવનારું નિવેદન

AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે જો તેઓ રાજ્યસભા સાંસદ ન હોત તો કોઈ પૂછતું નહીં. ભારદ્વાજે કહ્યું, ‘તમારે પાર્ટી છોડવી હતી, છોડી શકતા હતા, લોકો તમને ગાળો ન આપતા. ગાળો એટલે આપવામાં આવી રહી છે કે તમે તમારી પાર્ટી જેણે તમને બધું આપ્યું, આજે તમારા લગ્ન પણ થઈ શક્યા છે ને, તો એટલા માટે કે તમને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા, નહીંતર કોઈ તમને પૂછતું નહીં. તમને તે પાર્ટીથી કોઈ પણ નારાજગી હોય તમારી, તમે સમગ્ર કાવતરું કર્યું. આખી ટીમને તમે તોડીને લઈ ગયા. ગમે તેટલી દલીલો આપો, લોકો તમને ગાળો સાચી આપી રહ્યા છે.’

Published on: 27th April, 2026
Read More at ગુજરાત સમાચાર
'રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન', AAP નેતાનું ચોંકાવનારું નિવેદન
Published on: 27th April, 2026
AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે જો તેઓ રાજ્યસભા સાંસદ ન હોત તો કોઈ પૂછતું નહીં. ભારદ્વાજે કહ્યું, ‘તમારે પાર્ટી છોડવી હતી, છોડી શકતા હતા, લોકો તમને ગાળો ન આપતા. ગાળો એટલે આપવામાં આવી રહી છે કે તમે તમારી પાર્ટી જેણે તમને બધું આપ્યું, આજે તમારા લગ્ન પણ થઈ શક્યા છે ને, તો એટલા માટે કે તમને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા, નહીંતર કોઈ તમને પૂછતું નહીં. તમને તે પાર્ટીથી કોઈ પણ નારાજગી હોય તમારી, તમે સમગ્ર કાવતરું કર્યું. આખી ટીમને તમે તોડીને લઈ ગયા. ગમે તેટલી દલીલો આપો, લોકો તમને ગાળો સાચી આપી રહ્યા છે.’
Read More at ગુજરાત સમાચાર
વડોદરામાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો લોહિયાળ અંત, પત્નીએ ત્રિકમનો ઘા ઝીંકી પતિની હત્યા કરી
વડોદરામાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો લોહિયાળ અંત, પત્નીએ ત્રિકમનો ઘા ઝીંકી પતિની હત્યા કરી

વડોદરાના કુંભારવાડા તલાવડી વિસ્તારમાં રહેતા શ્રમજીવી દંપતી અમિત અને મંજુ વચ્ચે આજે વહેલી સવારે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાનું પાડોશીઓ દ્વારા જાણવા મળ્યું છે. બોલાચાલી દરમિયાન મામલો બિચકતા બંને વચ્ચે હાથાપાઈ થઈ હતી. ઝઘડામાં ભાન ભૂલેલી પત્ની મંજુએ આવેશમાં આવીને ત્રિકમનો જોરદાર ફટકો અમિતને મારી દીધો હતો. જેના બાદ લોહીલુહાણ હાલતમાં અમિત પત્નીની નજરો સામે જ મૃત્યુ પામી ગયો હતો.

Published on: 27th April, 2026
Read More at ગુજરાત સમાચાર
વડોદરામાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો લોહિયાળ અંત, પત્નીએ ત્રિકમનો ઘા ઝીંકી પતિની હત્યા કરી
Published on: 27th April, 2026
વડોદરાના કુંભારવાડા તલાવડી વિસ્તારમાં રહેતા શ્રમજીવી દંપતી અમિત અને મંજુ વચ્ચે આજે વહેલી સવારે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાનું પાડોશીઓ દ્વારા જાણવા મળ્યું છે. બોલાચાલી દરમિયાન મામલો બિચકતા બંને વચ્ચે હાથાપાઈ થઈ હતી. ઝઘડામાં ભાન ભૂલેલી પત્ની મંજુએ આવેશમાં આવીને ત્રિકમનો જોરદાર ફટકો અમિતને મારી દીધો હતો. જેના બાદ લોહીલુહાણ હાલતમાં અમિત પત્નીની નજરો સામે જ મૃત્યુ પામી ગયો હતો.
Read More at ગુજરાત સમાચાર
સુરતના વરાછામાં SBI બેન્કમાં લૂંટ
સુરતના વરાછામાં SBI બેન્કમાં લૂંટ

સુરતના વરાછા વિસ્તારમાં પોલીસના ગાલ પર તમાચો મારતી ઘટના સામે આવી છે. આજે સોમવારે ધોળાદિવસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં મોટી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ચાર હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને બેંકમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા, અને અંદાજે 50 લાખની મત્તાની ચોરી કરી ત્યાંથી ભાગી છૂટયા હતા. બપોરના સમયે ચાર અજાણ્યા બુકાનીધારી શખ્સો હથિયાર સાથે બેન્કમાં ઘૂસી ગયા હતા. જ્યાં તેમણે ફિલ્મી ઢબે બંદૂકની અણીએ કર્મચારીઓને ધાક ધમકી આપી બેંકના સ્ટ્રોંગ રૂમ કે કેશ કાઉન્ટરમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમ ઉઠાવી હતી.

Published on: 27th April, 2026
Read More at ગુજરાત સમાચાર
સુરતના વરાછામાં SBI બેન્કમાં લૂંટ
Published on: 27th April, 2026
સુરતના વરાછા વિસ્તારમાં પોલીસના ગાલ પર તમાચો મારતી ઘટના સામે આવી છે. આજે સોમવારે ધોળાદિવસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં મોટી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ચાર હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને બેંકમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા, અને અંદાજે 50 લાખની મત્તાની ચોરી કરી ત્યાંથી ભાગી છૂટયા હતા. બપોરના સમયે ચાર અજાણ્યા બુકાનીધારી શખ્સો હથિયાર સાથે બેન્કમાં ઘૂસી ગયા હતા. જ્યાં તેમણે ફિલ્મી ઢબે બંદૂકની અણીએ કર્મચારીઓને ધાક ધમકી આપી બેંકના સ્ટ્રોંગ રૂમ કે કેશ કાઉન્ટરમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમ ઉઠાવી હતી.
Read More at ગુજરાત સમાચાર
પાકિસ્તાન નિષ્ફળ રહ્યા બાદ હવે શાંતિ મંત્રણામાં મધ્યસ્થતા કરશે આ દેશ, ઈરાને ખુદ આપ્યા સંકેત!
પાકિસ્તાન નિષ્ફળ રહ્યા બાદ હવે શાંતિ મંત્રણામાં મધ્યસ્થતા કરશે આ દેશ, ઈરાને ખુદ આપ્યા સંકેત!

સૂત્રોના જણાવ્યા મુજબ, અમેરિકા-ઈરાન વચ્ચે નવી શાંતિ વાર્તા ઓમાનમાં યોજાઈ શકે છે. ઓમાનમાં બેઠક યોજવાની ઈરાનની પહેલેથી જ ઈચ્છા હતી. પાકિસ્તાની સેનાના વડા આસિમ મુનીર ઓમાન ગયા હતા, ત્યારપછી એવું મનાઈ રહ્યું છે કે, પાકિસ્તાન દ્વારા બે દેશો વચ્ચે સમજૂતી કરાવવી અશક્ય નથી. ઈસ્લામાબાદ પહેલા ઓમાનમાં જ શાંતિ મંત્રણા યોજાવાની સંભાવના હતી. જ્યારે અમેરિકા-ઈઝરાયલે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલા કર્યા હતા, ત્યારે ઓમાન જ વાતચીત ચાલી રહી હતી. ઈરાનના વિદેશ મંત્રી અને ઓમાનના સુલ્તાન હૈથમ બિન તારિક અલ-સઈદ વચ્ચે ઓમાનની રાજધાની મસ્કતમાં બેઠક યોજાઈ હતી.

Published on: 27th April, 2026
Read More at ગુજરાત સમાચાર
પાકિસ્તાન નિષ્ફળ રહ્યા બાદ હવે શાંતિ મંત્રણામાં મધ્યસ્થતા કરશે આ દેશ, ઈરાને ખુદ આપ્યા સંકેત!
Published on: 27th April, 2026
સૂત્રોના જણાવ્યા મુજબ, અમેરિકા-ઈરાન વચ્ચે નવી શાંતિ વાર્તા ઓમાનમાં યોજાઈ શકે છે. ઓમાનમાં બેઠક યોજવાની ઈરાનની પહેલેથી જ ઈચ્છા હતી. પાકિસ્તાની સેનાના વડા આસિમ મુનીર ઓમાન ગયા હતા, ત્યારપછી એવું મનાઈ રહ્યું છે કે, પાકિસ્તાન દ્વારા બે દેશો વચ્ચે સમજૂતી કરાવવી અશક્ય નથી. ઈસ્લામાબાદ પહેલા ઓમાનમાં જ શાંતિ મંત્રણા યોજાવાની સંભાવના હતી. જ્યારે અમેરિકા-ઈઝરાયલે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલા કર્યા હતા, ત્યારે ઓમાન જ વાતચીત ચાલી રહી હતી. ઈરાનના વિદેશ મંત્રી અને ઓમાનના સુલ્તાન હૈથમ બિન તારિક અલ-સઈદ વચ્ચે ઓમાનની રાજધાની મસ્કતમાં બેઠક યોજાઈ હતી.
Read More at ગુજરાત સમાચાર
સુરતમાં ભયાનક ઘટના: પતિએ પત્નીની હત્યા કરી, મૃતદેહ લાકડાની પેટીમાં પૂરી સિમેન્ટથી પેક કર્યો
સુરતમાં ભયાનક ઘટના: પતિએ પત્નીની હત્યા કરી, મૃતદેહ લાકડાની પેટીમાં પૂરી સિમેન્ટથી પેક કર્યો

સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા એક શખસે પોતાની પત્નીની હત્યા કરી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને લાકડાની પેટીમાં ભરી ઉપર સિમેન્ટનું સ્તર લગાવી પેક કરી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી પતિએ હત્યા કર્યા બાદ પોતે જ પુત્રના મોબાઈલથી ચિઠ્ઠી મોકલાવી ગુનાની કબૂલાત કરતા પોલીસ અને પરિવાર સ્તબ્ધ થઈ ગયા છે.

Published on: 27th April, 2026
Read More at ગુજરાત સમાચાર
સુરતમાં ભયાનક ઘટના: પતિએ પત્નીની હત્યા કરી, મૃતદેહ લાકડાની પેટીમાં પૂરી સિમેન્ટથી પેક કર્યો
Published on: 27th April, 2026
સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા એક શખસે પોતાની પત્નીની હત્યા કરી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને લાકડાની પેટીમાં ભરી ઉપર સિમેન્ટનું સ્તર લગાવી પેક કરી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી પતિએ હત્યા કર્યા બાદ પોતે જ પુત્રના મોબાઈલથી ચિઠ્ઠી મોકલાવી ગુનાની કબૂલાત કરતા પોલીસ અને પરિવાર સ્તબ્ધ થઈ ગયા છે.
Read More at ગુજરાત સમાચાર
સુરતના વેસુમાં લિફ્ટમાં 11 લોકો ફસાયા, ઓવરવેટને કારણે અધવચ્ચે લોક થયાનો દાવો
સુરતના વેસુમાં લિફ્ટમાં 11 લોકો ફસાયા, ઓવરવેટને કારણે અધવચ્ચે લોક થયાનો દાવો

સુરતના વેસુ વિસ્તારમાં આવેલી આશીર્વાદ કોમ્પ્લેક્સમાં ટેકનિકલ ખામીના કારણે અચાનક લિફ્ટ બંધ થઈ જતાં તેમાં સવાર મહિલાઓ અને બાળકો સહિત 11 વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. અંધારપટ અને ગભરાટ વચ્ચે લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી, જોકે ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. મળતી માહિતી અનુસાર, આશીર્વાદ કોમ્પ્લેક્સમાં જ્યારે 11 લોકો લિફ્ટમાં જઈ રહ્યા હતા, ત્યારે અચાનક પાવર ફેલ્યોર અથવા કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી. લિફ્ટની અંદર 2 બાળકો પણ હોવાથી પરિવારજનોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ હતી.

Published on: 27th April, 2026
Read More at ગુજરાત સમાચાર
સુરતના વેસુમાં લિફ્ટમાં 11 લોકો ફસાયા, ઓવરવેટને કારણે અધવચ્ચે લોક થયાનો દાવો
Published on: 27th April, 2026
સુરતના વેસુ વિસ્તારમાં આવેલી આશીર્વાદ કોમ્પ્લેક્સમાં ટેકનિકલ ખામીના કારણે અચાનક લિફ્ટ બંધ થઈ જતાં તેમાં સવાર મહિલાઓ અને બાળકો સહિત 11 વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. અંધારપટ અને ગભરાટ વચ્ચે લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી, જોકે ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. મળતી માહિતી અનુસાર, આશીર્વાદ કોમ્પ્લેક્સમાં જ્યારે 11 લોકો લિફ્ટમાં જઈ રહ્યા હતા, ત્યારે અચાનક પાવર ફેલ્યોર અથવા કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી. લિફ્ટની અંદર 2 બાળકો પણ હોવાથી પરિવારજનોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ હતી.
Read More at ગુજરાત સમાચાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર, લઘુત્તમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર, લઘુત્તમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા

દેશના ૪૫ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૦ લાખ પેન્શનરો માટે આઠમા પગાર પંચે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શરૂ કરી દીધી છે. પંચની ટીમ વિવિધ રાજ્યોની મુલાકાત લઈ કર્મચારી યુનિયનો સાથે બેઠકો કરી રહી છે. કર્મચારી સંગઠનોએ ફિટમેન્ટ ફેક્ટર વધારીને ૩.૮૩૩ કરવાની અને લઘુત્તમ બેઝિક પે ₹૧૮,૦૦૦થી વધારીને ₹૬૯,૦૦૦ કરવા માટે મજબૂત માંગ કરી છે. આ ઉપરાંત, મોંઘવારી ભથ્થાની ગણતરી માટે નવી પદ્ધતિનું પણ સૂચન કરાયું છે, જેનાથી કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવી શકે છે.

Published on: 27th April, 2026
Read More at ગુજરાત સમાચાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર, લઘુત્તમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા
Published on: 27th April, 2026
દેશના ૪૫ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૦ લાખ પેન્શનરો માટે આઠમા પગાર પંચે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શરૂ કરી દીધી છે. પંચની ટીમ વિવિધ રાજ્યોની મુલાકાત લઈ કર્મચારી યુનિયનો સાથે બેઠકો કરી રહી છે. કર્મચારી સંગઠનોએ ફિટમેન્ટ ફેક્ટર વધારીને ૩.૮૩૩ કરવાની અને લઘુત્તમ બેઝિક પે ₹૧૮,૦૦૦થી વધારીને ₹૬૯,૦૦૦ કરવા માટે મજબૂત માંગ કરી છે. આ ઉપરાંત, મોંઘવારી ભથ્થાની ગણતરી માટે નવી પદ્ધતિનું પણ સૂચન કરાયું છે, જેનાથી કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવી શકે છે.
Read More at ગુજરાત સમાચાર
ટોક્સિક વાતાવારણને કારણે...: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું 'Gen Z' ડેમેજ કંટ્રોલ
ટોક્સિક વાતાવારણને કારણે...: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું 'Gen Z' ડેમેજ કંટ્રોલ

રાજકારણમાં ગ્લેમર અને યુવા પેઢીના પ્રતિનિધિ ગણાતા રાઘવ ચઢ્ઢાએ આખરે આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાવા અંગે પોતાનું મૌન તોડ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એક કેન્ડિડ વીડિયો શેર કરીને તેમણે પક્ષ બદલવા પાછળના કારણો સ્પષ્ટ કર્યા છે. ચઢ્ઢાએ સીધો પ્રહાર કરતા કહ્યું કે, જે પાર્ટીમાં તેઓ જોડાયા હતા તે હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તેમણે વર્તમાન સ્થિતિને ટોક્સિક વર્ક એન્વાયરમેન્ટ ગણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે, હવે પાર્ટીમાં કામ કરતા અટકાવવામાં આવે છે અને સંસદમાં બોલવા પર પણ પાબંધી મૂકવામાં આવે છે.

Published on: 27th April, 2026
Read More at ગુજરાત સમાચાર
ટોક્સિક વાતાવારણને કારણે...: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું 'Gen Z' ડેમેજ કંટ્રોલ
Published on: 27th April, 2026
રાજકારણમાં ગ્લેમર અને યુવા પેઢીના પ્રતિનિધિ ગણાતા રાઘવ ચઢ્ઢાએ આખરે આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાવા અંગે પોતાનું મૌન તોડ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એક કેન્ડિડ વીડિયો શેર કરીને તેમણે પક્ષ બદલવા પાછળના કારણો સ્પષ્ટ કર્યા છે. ચઢ્ઢાએ સીધો પ્રહાર કરતા કહ્યું કે, જે પાર્ટીમાં તેઓ જોડાયા હતા તે હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તેમણે વર્તમાન સ્થિતિને ટોક્સિક વર્ક એન્વાયરમેન્ટ ગણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે, હવે પાર્ટીમાં કામ કરતા અટકાવવામાં આવે છે અને સંસદમાં બોલવા પર પણ પાબંધી મૂકવામાં આવે છે.
Read More at ગુજરાત સમાચાર
ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી 'ગોડઝિલા અલ-નીનો'ની ચેતવણી
ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી 'ગોડઝિલા અલ-નીનો'ની ચેતવણી

ભારત હાલમાં વિશ્વનો સૌથી ગરમ દેશ છે, જ્યાં એપ્રિલ મહિનામાં જ તાપમાન 43 થી 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ચોંકાવનારી વાત એ છે કે, વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાંથી 95 માત્ર ભારતમાં જ છે. ભારતીય હવામાન વિભાગના નકશામાં પણ દેશનો મોટાભાગનો હિસ્સો લાલ રંગમાં જોવા મળી રહ્યો છે. જે ગંભીર હીટવેવની સ્થિતિ દર્શાવે છે. ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને કારણે ગરમીની આ લહેર વધુ લાંબી અને ઘાતક બની રહી છે. વિજ્ઞાનિઓના મોડલ્સ ચેતવણી આપી રહ્યા છે કે, વર્ષ 2026માં સુપર અલ-નીનો અથવા ગોડઝિલા અલ-નીનો ત્રાટકી શકે છે.

Published on: 27th April, 2026
Read More at ગુજરાત સમાચાર
ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી 'ગોડઝિલા અલ-નીનો'ની ચેતવણી
Published on: 27th April, 2026
ભારત હાલમાં વિશ્વનો સૌથી ગરમ દેશ છે, જ્યાં એપ્રિલ મહિનામાં જ તાપમાન 43 થી 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ચોંકાવનારી વાત એ છે કે, વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાંથી 95 માત્ર ભારતમાં જ છે. ભારતીય હવામાન વિભાગના નકશામાં પણ દેશનો મોટાભાગનો હિસ્સો લાલ રંગમાં જોવા મળી રહ્યો છે. જે ગંભીર હીટવેવની સ્થિતિ દર્શાવે છે. ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને કારણે ગરમીની આ લહેર વધુ લાંબી અને ઘાતક બની રહી છે. વિજ્ઞાનિઓના મોડલ્સ ચેતવણી આપી રહ્યા છે કે, વર્ષ 2026માં સુપર અલ-નીનો અથવા ગોડઝિલા અલ-નીનો ત્રાટકી શકે છે.
Read More at ગુજરાત સમાચાર
'ભાજપના કાર્યકરો આવીને કંઈ પણ કરી શકે...' છોટા ઉદેપુરમાં સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસ કાર્યકરોનો લોખંડી પહેરો
'ભાજપના કાર્યકરો આવીને કંઈ પણ કરી શકે...' છોટા ઉદેપુરમાં સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસ કાર્યકરોનો લોખંડી પહેરો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ પડાવ પર પહોંચ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાની બેઠકો માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સૌની નજર મંગળવારે (28મી એપ્રિલ) થનારી મતગણતરી પર છે. જો કે, પરિણામો પહેલા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ખાસ કરીને નસવાડી ખાતે કોંગ્રેસના કાર્યકરોએ EVMની સુરક્ષાને લઈને મોરચો સંભાળ્યો છે. કોંગ્રેસના અગ્રણી કાર્યકરોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, 'અમને ભાજપ પર જરા પણ વિશ્વાસ નથી. ભાજપના લોકો સત્તાનો દુરુપયોગ કરીને અધિકારીઓને ડરાવી-ધમકાવી શકે છે અને ગમે ત્યારે કંઈ પણ કરી શકે છે.'

Published on: 27th April, 2026
Read More at ગુજરાત સમાચાર
'ભાજપના કાર્યકરો આવીને કંઈ પણ કરી શકે...' છોટા ઉદેપુરમાં સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસ કાર્યકરોનો લોખંડી પહેરો
Published on: 27th April, 2026
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ પડાવ પર પહોંચ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાની બેઠકો માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સૌની નજર મંગળવારે (28મી એપ્રિલ) થનારી મતગણતરી પર છે. જો કે, પરિણામો પહેલા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ખાસ કરીને નસવાડી ખાતે કોંગ્રેસના કાર્યકરોએ EVMની સુરક્ષાને લઈને મોરચો સંભાળ્યો છે. કોંગ્રેસના અગ્રણી કાર્યકરોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, 'અમને ભાજપ પર જરા પણ વિશ્વાસ નથી. ભાજપના લોકો સત્તાનો દુરુપયોગ કરીને અધિકારીઓને ડરાવી-ધમકાવી શકે છે અને ગમે ત્યારે કંઈ પણ કરી શકે છે.'
Read More at ગુજરાત સમાચાર
અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવા સાબરમતી નદી પર 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો પુલ તૈયાર
અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવા સાબરમતી નદી પર 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો પુલ તૈયાર

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પૂરજોશમાં આગળ વધી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં સાબરમતી નદી પર બની રહેલો બુલેટ ટ્રેનનો પુલ એન્જિનિયરિંગ કૌશલ્યનો ઉત્તમ નમૂનો સાબિત થઈ રહ્યો છે. સાબરમતી નદી પર બની રહેલા આ પુલની ઊંચાઈ 36 મીટર (આશરે 118 ફૂટ) છે. જો તેની સરખામણી સામાન્ય રહેણાંક મકાન સાથે કરવામાં આવે તો તે આશરે 12 માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવે છે. 480 મીટર લાંબો આ પુલ સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનની વચ્ચે આવેલો છે. પુલ માટે કુલ 8 વર્તુળાકાર પિયર્સ બનાવવામાં આવ્યા છે, જેનો વ્યાસ 6 થી 6.5 મીટર છે.

Published on: 27th April, 2026
Read More at ગુજરાત સમાચાર
અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવા સાબરમતી નદી પર 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો પુલ તૈયાર
Published on: 27th April, 2026
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પૂરજોશમાં આગળ વધી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં સાબરમતી નદી પર બની રહેલો બુલેટ ટ્રેનનો પુલ એન્જિનિયરિંગ કૌશલ્યનો ઉત્તમ નમૂનો સાબિત થઈ રહ્યો છે. સાબરમતી નદી પર બની રહેલા આ પુલની ઊંચાઈ 36 મીટર (આશરે 118 ફૂટ) છે. જો તેની સરખામણી સામાન્ય રહેણાંક મકાન સાથે કરવામાં આવે તો તે આશરે 12 માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવે છે. 480 મીટર લાંબો આ પુલ સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનની વચ્ચે આવેલો છે. પુલ માટે કુલ 8 વર્તુળાકાર પિયર્સ બનાવવામાં આવ્યા છે, જેનો વ્યાસ 6 થી 6.5 મીટર છે.
Read More at ગુજરાત સમાચાર
ગુજરાતમાં AAPને મોટો ઝટકો, પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીનું રાજીનામું
ગુજરાતમાં AAPને મોટો ઝટકો, પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીનું રાજીનામું

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે AAPને વધુ એક જોરદાર ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓમાંથી મુક્ત થવાની જાહેરા કરી છે. થોડા સમય પહેલા જ રાજુ કરપડાએ પાર્ટી છોડ્યા બાદ, હવે સાગર રબારીના વિદાયથી ગુજરાતમાં AAPના સંગઠનમાં ગાબડું પડ્યું છે. સાગર રબારીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે, 'હું મારી AAP સાથેની યાત્રા આજે અહીં પૂરી કરું છું. પાર્ટીના સભ્યપદ, હોદ્દા અને જવાબદારીમાંથી મારી જાતને મુક્ત કરું છું. અત્યાર સુધીના સહયોગ બદલ તમામ સાથીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું.'

Published on: 27th April, 2026
Read More at ગુજરાત સમાચાર
ગુજરાતમાં AAPને મોટો ઝટકો, પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીનું રાજીનામું
Published on: 27th April, 2026
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે AAPને વધુ એક જોરદાર ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓમાંથી મુક્ત થવાની જાહેરા કરી છે. થોડા સમય પહેલા જ રાજુ કરપડાએ પાર્ટી છોડ્યા બાદ, હવે સાગર રબારીના વિદાયથી ગુજરાતમાં AAPના સંગઠનમાં ગાબડું પડ્યું છે. સાગર રબારીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે, 'હું મારી AAP સાથેની યાત્રા આજે અહીં પૂરી કરું છું. પાર્ટીના સભ્યપદ, હોદ્દા અને જવાબદારીમાંથી મારી જાતને મુક્ત કરું છું. અત્યાર સુધીના સહયોગ બદલ તમામ સાથીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું.'
Read More at ગુજરાત સમાચાર
અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા નજીક કોમ્પલેક્ષમાં ભીષણ આગ
અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા નજીક કોમ્પલેક્ષમાં ભીષણ આગ

અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલી શાંગરિલા-2 બિલ્ડિંગમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે બિલ્ડિંગના મોટા હિસ્સાને લપેટમાં લઈ લીધો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આગ લાગવાની આ ઘટના સમયે બિલ્ડિંગમાં આવેલા જિમમાં અનેક લોકો કસરત કરી રહ્યા હતા. આગના ધુમાડાના ગોટેગોટા ઉપર સુધી પહોંચતા જિમમાં હાજર લોકોના શ્વાસ રૂંધાવા લાગ્યા હતા અને તેઓ ત્યાં ફસાઈ ગયા હતા.

Published on: 27th April, 2026
Read More at ગુજરાત સમાચાર
અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા નજીક કોમ્પલેક્ષમાં ભીષણ આગ
Published on: 27th April, 2026
અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલી શાંગરિલા-2 બિલ્ડિંગમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે બિલ્ડિંગના મોટા હિસ્સાને લપેટમાં લઈ લીધો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આગ લાગવાની આ ઘટના સમયે બિલ્ડિંગમાં આવેલા જિમમાં અનેક લોકો કસરત કરી રહ્યા હતા. આગના ધુમાડાના ગોટેગોટા ઉપર સુધી પહોંચતા જિમમાં હાજર લોકોના શ્વાસ રૂંધાવા લાગ્યા હતા અને તેઓ ત્યાં ફસાઈ ગયા હતા.
Read More at ગુજરાત સમાચાર
જસ્ટિસ વિરુદ્ધ કેજરીવાલનો 'સત્યાગ્રહ', કોર્ટમાં વકીલ પણ હાજર નહીં થાય
જસ્ટિસ વિરુદ્ધ કેજરીવાલનો 'સત્યાગ્રહ', કોર્ટમાં વકીલ પણ હાજર નહીં થાય

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને એક અત્યંત ભાવુક અને આકરો પત્ર લખ્યો છે. કેજરીવાલે દુઃખી મન સાથે આ પત્રમાં જણાવ્યું છે કે, તેમને હવે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા પાસેથી ન્યાય મળવાની કોઈ આશા રહી નથી. આથી, તેમણે મહાત્મા ગાંધીના માર્ગે ચાલીને 'સત્યાગ્રહ' કરવાનો નિર્ણય લીધો છે. કેજરીવાલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતે કે તેમના વકીલ હવેથી જસ્ટિસ શર્માની કોર્ટમાં કોઈ પણ સુનાવણી માટે હાજર થશે નહીં.

Published on: 27th April, 2026
Read More at ગુજરાત સમાચાર
જસ્ટિસ વિરુદ્ધ કેજરીવાલનો 'સત્યાગ્રહ', કોર્ટમાં વકીલ પણ હાજર નહીં થાય
Published on: 27th April, 2026
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને એક અત્યંત ભાવુક અને આકરો પત્ર લખ્યો છે. કેજરીવાલે દુઃખી મન સાથે આ પત્રમાં જણાવ્યું છે કે, તેમને હવે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા પાસેથી ન્યાય મળવાની કોઈ આશા રહી નથી. આથી, તેમણે મહાત્મા ગાંધીના માર્ગે ચાલીને 'સત્યાગ્રહ' કરવાનો નિર્ણય લીધો છે. કેજરીવાલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતે કે તેમના વકીલ હવેથી જસ્ટિસ શર્માની કોર્ટમાં કોઈ પણ સુનાવણી માટે હાજર થશે નહીં.
Read More at ગુજરાત સમાચાર
ટ્રમ્પનું ઈરાનને 3 દિવસનું અલ્ટીમેટમ, અરાઘચીની રશિયાની યાત્રા પર ભડક્યાં, કહ્યું - 'બધું બરબાદ થઈ જશે..'
ટ્રમ્પનું ઈરાનને 3 દિવસનું અલ્ટીમેટમ, અરાઘચીની રશિયાની યાત્રા પર ભડક્યાં, કહ્યું - 'બધું બરબાદ થઈ જશે..'

અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધ અત્યારે અત્યંત નાજુક અને જોખમી સ્થિતિમાં પહોંચી ગયું છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીની રશિયાની મુલાકાતથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ થઈ ગયા છે. ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં સીધી ધમકી આપતા જણાવ્યું છે કે જો આગામી ત્રણ દિવસમાં ઈરાન સમજૂતી નહીં કરે, તો તેની ઓઇલની પાઈપલાઈનોમાં ભયંકર વિસ્ફોટ કરવામાં આવશે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે દરિયાઈ નાકાબંધીને કારણે ઈરાન પહેલાથી જ જહાજો દ્વારા નિકાસ કરી શકતું નથી અને હવે પાઈપલાઈન ધ્વસ્ત થયા બાદ તે ઓઇલ નિકાસ કરવાને લાયક જ નહીં બચે.

Published on: 27th April, 2026
Read More at ગુજરાત સમાચાર
ટ્રમ્પનું ઈરાનને 3 દિવસનું અલ્ટીમેટમ, અરાઘચીની રશિયાની યાત્રા પર ભડક્યાં, કહ્યું - 'બધું બરબાદ થઈ જશે..'
Published on: 27th April, 2026
અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધ અત્યારે અત્યંત નાજુક અને જોખમી સ્થિતિમાં પહોંચી ગયું છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીની રશિયાની મુલાકાતથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ થઈ ગયા છે. ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં સીધી ધમકી આપતા જણાવ્યું છે કે જો આગામી ત્રણ દિવસમાં ઈરાન સમજૂતી નહીં કરે, તો તેની ઓઇલની પાઈપલાઈનોમાં ભયંકર વિસ્ફોટ કરવામાં આવશે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે દરિયાઈ નાકાબંધીને કારણે ઈરાન પહેલાથી જ જહાજો દ્વારા નિકાસ કરી શકતું નથી અને હવે પાઈપલાઈન ધ્વસ્ત થયા બાદ તે ઓઇલ નિકાસ કરવાને લાયક જ નહીં બચે.
Read More at ગુજરાત સમાચાર
વિવિધ રાજકીય વિશ્લેષકો દ્વારા કાઢેલા તારણ મુજબ જામનગરના લાલપુર જિલ્લા પંચાયત નું પરિણામ
વિવિધ રાજકીય વિશ્લેષકો દ્વારા કાઢેલા તારણ મુજબ જામનગરના લાલપુર જિલ્લા પંચાયત નું પરિણામ

લાલપુર જિલ્લા પંચાયત સીટમાં ભાજપ અને આપ વચ્ચે ખૂબ જ રસાકસી જોવા મળશે હાર જીતનું અંતર પણ ખૂબ ઓછું હશે. વિવિધ તારણો મુજબ જિલ્લા પંચાયત માં ભાજપની જીત થવાની શક્યતા છે. તાલુકા પંચાયત વોર્ડ નંબર 1 માં પણ ખૂબ જ રસાકસી ભરેલો માહોલ છે જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટા ની ટક્કર મનાઈ રહી છે. તાલુકા પંચાયત વોર્ડ નંબર 2 માં ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે. તાલુકા પંચાયત વોર્ડ નંબર 3 માં AAP અને ભાજપ વચ્ચે ટક્કર છે જેમાં AAP બાજી મારશે એવી શક્યતા. તાલુકા પંચાયત વોર્ડ નંબર 4 માં AAP બાજી મારશે એવી શક્યતા છે.

Published on: 27th April, 2026
વિવિધ રાજકીય વિશ્લેષકો દ્વારા કાઢેલા તારણ મુજબ જામનગરના લાલપુર જિલ્લા પંચાયત નું પરિણામ
Published on: 27th April, 2026
લાલપુર જિલ્લા પંચાયત સીટમાં ભાજપ અને આપ વચ્ચે ખૂબ જ રસાકસી જોવા મળશે હાર જીતનું અંતર પણ ખૂબ ઓછું હશે. વિવિધ તારણો મુજબ જિલ્લા પંચાયત માં ભાજપની જીત થવાની શક્યતા છે. તાલુકા પંચાયત વોર્ડ નંબર 1 માં પણ ખૂબ જ રસાકસી ભરેલો માહોલ છે જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટા ની ટક્કર મનાઈ રહી છે. તાલુકા પંચાયત વોર્ડ નંબર 2 માં ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે. તાલુકા પંચાયત વોર્ડ નંબર 3 માં AAP અને ભાજપ વચ્ચે ટક્કર છે જેમાં AAP બાજી મારશે એવી શક્યતા. તાલુકા પંચાયત વોર્ડ નંબર 4 માં AAP બાજી મારશે એવી શક્યતા છે.
જૂનાગઢમાં સરપંચે ગેરકાયદે સિંહ દર્શનનું રેકેટ પકડ્યું.
જૂનાગઢમાં સરપંચે ગેરકાયદે સિંહ દર્શનનું રેકેટ પકડ્યું.

જૂનાગઢમાં ગેરકાયદે સિંહ દર્શનનો વિવાદ વકર્યો, તોરણીયા ગામના સરપંચે રેકેટ પકડ્યું જેમાં વન વિભાગના કર્મચારીનો ભાઈ સામેલ છે. સરપંચે સ્થળ પર જઈ વીડિયો ઉતારી રેકેટનો પર્દાફાશ કર્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, જેનાથી વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ રેકેટમાં વન વિભાગની મિલીભગત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Published on: 27th April, 2026
Read More at સંદેશ
જૂનાગઢમાં સરપંચે ગેરકાયદે સિંહ દર્શનનું રેકેટ પકડ્યું.
Published on: 27th April, 2026
જૂનાગઢમાં ગેરકાયદે સિંહ દર્શનનો વિવાદ વકર્યો, તોરણીયા ગામના સરપંચે રેકેટ પકડ્યું જેમાં વન વિભાગના કર્મચારીનો ભાઈ સામેલ છે. સરપંચે સ્થળ પર જઈ વીડિયો ઉતારી રેકેટનો પર્દાફાશ કર્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, જેનાથી વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ રેકેટમાં વન વિભાગની મિલીભગત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Read More at સંદેશ
શેરબજારની પોઝિટીવ શરૂઆત: સેન્સેક્સમાં ઉછાળો અને રોકાણકારોમાં આશાનું કિરણ.
શેરબજારની પોઝિટીવ શરૂઆત: સેન્સેક્સમાં ઉછાળો અને રોકાણકારોમાં આશાનું કિરણ.

એશિયન બજારોના સકારાત્મક સંકેતો વચ્ચે, ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી. રોકાણકારોને આશા છે કે US અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થશે. ફાર્માસ્યુટિકલ, IT અને ઓટો શેરોમાં ખરીદીથી બજારને ટેકો મળ્યો. BSE સેન્સેક્સ 76,856 પોઈન્ટ પર ખુલ્યો, જ્યારે NSE નિફ્ટી-50 23,945 પર ખુલ્યો અને 24,000ને પાર કરી ગયો. એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી, જેમાં નિક્કી 225 અને KOSPI નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા.

Published on: 27th April, 2026
Read More at સંદેશ
શેરબજારની પોઝિટીવ શરૂઆત: સેન્સેક્સમાં ઉછાળો અને રોકાણકારોમાં આશાનું કિરણ.
Published on: 27th April, 2026
એશિયન બજારોના સકારાત્મક સંકેતો વચ્ચે, ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી. રોકાણકારોને આશા છે કે US અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થશે. ફાર્માસ્યુટિકલ, IT અને ઓટો શેરોમાં ખરીદીથી બજારને ટેકો મળ્યો. BSE સેન્સેક્સ 76,856 પોઈન્ટ પર ખુલ્યો, જ્યારે NSE નિફ્ટી-50 23,945 પર ખુલ્યો અને 24,000ને પાર કરી ગયો. એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી, જેમાં નિક્કી 225 અને KOSPI નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા.
Read More at સંદેશ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મારામારી થતા કોંગ્રેસના ઉમેદવાર સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઇ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મારામારી થતા કોંગ્રેસના ઉમેદવાર સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઇ.

અમદાવાદના કુબેરનગર વોર્ડમાં AMC ઇલેક્શન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. V.V. તોમર સ્કૂલ ખાતે બોગસ મતદાનને લઈને વિવાદ થયો હતો. પોલીસે તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર સહિત 4 સામે FIR દાખલ કરી. ભાજપે નિકુલસિંહ પર બોગસ વોટિંગનો આરોપ લગાવ્યો હતો.

Published on: 27th April, 2026
Read More at સંદેશ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મારામારી થતા કોંગ્રેસના ઉમેદવાર સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઇ.
Published on: 27th April, 2026
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં AMC ઇલેક્શન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. V.V. તોમર સ્કૂલ ખાતે બોગસ મતદાનને લઈને વિવાદ થયો હતો. પોલીસે તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર સહિત 4 સામે FIR દાખલ કરી. ભાજપે નિકુલસિંહ પર બોગસ વોટિંગનો આરોપ લગાવ્યો હતો.
Read More at સંદેશ
જામનગરમાં ફ્લેટમાં આગ લાગવાથી 55 વર્ષીય વ્યક્તિનું દુઃખદ મૃત્યુ
જામનગરમાં ફ્લેટમાં આગ લાગવાથી 55 વર્ષીય વ્યક્તિનું દુઃખદ મૃત્યુ

જામનગરના પંચવટી સોસાયટીના જાસોલિયા એપાર્ટમેન્ટમાં વહેલી સવારે આગ લાગતા 55 વર્ષીય ગોવર્ધનભાઈનું દાઝી જવાથી મૃત્યુ થયું. જામનગર ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી, પણ તેઓને બચાવી શકાયા ન હતા. ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન, પોલીસે વધુ તપાસ હાથ ધરી. ફાયર બ્રિગેડની સમયસરની કાર્યવાહીથી અન્ય ફ્લેટમાં આગ ફેલાતી અટકી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો અને તપાસ શરૂ કરી.

Published on: 27th April, 2026
Read More at દિવ્ય ભાસ્કર
જામનગરમાં ફ્લેટમાં આગ લાગવાથી 55 વર્ષીય વ્યક્તિનું દુઃખદ મૃત્યુ
Published on: 27th April, 2026
જામનગરના પંચવટી સોસાયટીના જાસોલિયા એપાર્ટમેન્ટમાં વહેલી સવારે આગ લાગતા 55 વર્ષીય ગોવર્ધનભાઈનું દાઝી જવાથી મૃત્યુ થયું. જામનગર ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી, પણ તેઓને બચાવી શકાયા ન હતા. ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન, પોલીસે વધુ તપાસ હાથ ધરી. ફાયર બ્રિગેડની સમયસરની કાર્યવાહીથી અન્ય ફ્લેટમાં આગ ફેલાતી અટકી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો અને તપાસ શરૂ કરી.
Read More at દિવ્ય ભાસ્કર
KKRએ LSGને સુપર ઓવરમાં હરાવ્યું
KKRએ LSGને સુપર ઓવરમાં હરાવ્યું

KKRએ IPL 2026માં LSGને સુપર ઓવરમાં હરાવ્યું. રઘુવંશીને ફિલ્ડિંગમાં અવરોધ કરવા બદલ રનઆઉટ અપાયો. રિંકુએ સતત ચાર સિક્સર ફટકારી અને પાંચ કેચ પકડ્યા. શમીએ સિક્સરથી મેચ ટાઈ કરાવી. LSG હોમ ગ્રાઉન્ડ પર સતત આઠમી મેચ હાર્યું અને ટોપ લિસ્ટમાં ડેક્કન ચાર્જર્સની બરાબરી કરી. રિંકુ 50+ રન અને 4+ કેચ લેનાર ચોથો ખેલાડી બન્યો. મોહસિને સિઝનનો પહેલો 5 વિકેટ હોલ લીધો.

Published on: 27th April, 2026
Read More at દિવ્ય ભાસ્કર
KKRએ LSGને સુપર ઓવરમાં હરાવ્યું
Published on: 27th April, 2026
KKRએ IPL 2026માં LSGને સુપર ઓવરમાં હરાવ્યું. રઘુવંશીને ફિલ્ડિંગમાં અવરોધ કરવા બદલ રનઆઉટ અપાયો. રિંકુએ સતત ચાર સિક્સર ફટકારી અને પાંચ કેચ પકડ્યા. શમીએ સિક્સરથી મેચ ટાઈ કરાવી. LSG હોમ ગ્રાઉન્ડ પર સતત આઠમી મેચ હાર્યું અને ટોપ લિસ્ટમાં ડેક્કન ચાર્જર્સની બરાબરી કરી. રિંકુ 50+ રન અને 4+ કેચ લેનાર ચોથો ખેલાડી બન્યો. મોહસિને સિઝનનો પહેલો 5 વિકેટ હોલ લીધો.
Read More at દિવ્ય ભાસ્કર
US-Iran યુદ્ધ: કંગાળ પાકિસ્તાને પ્રયત્નો કર્યા છતાં ઇરાનને વિશ્વાસ નથી
US-Iran યુદ્ધ: કંગાળ પાકિસ્તાને પ્રયત્નો કર્યા છતાં ઇરાનને વિશ્વાસ નથી

આર્થિક સંકટમાં ઘેરાયેલું પાકિસ્તાન US અને ઈરાન વચ્ચે મધ્યસ્થ બનવા માંગે છે, પરંતુ ઈરાનને તેની નિષ્પક્ષતા પર શંકા છે. ઈરાનના સાંસદે પાકિસ્તાનના અમેરિકા સાથેના સંબંધોને લીધે નિષ્પક્ષ મધ્યસ્થ બનવાની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે. રેજાઈના મતે, સફળ વાટાઘાટો માટે મધ્યસ્થે નિષ્પક્ષ અને વિશ્વાસપાત્ર હોવું જોઈએ, જે પાકિસ્તાન નથી. ઇરાનના આ વલણથી પાકિસ્તાનના કૂટનીતિક પ્રયત્નોને ફટકો લાગ્યો છે.

Published on: 27th April, 2026
Read More at સંદેશ
US-Iran યુદ્ધ: કંગાળ પાકિસ્તાને પ્રયત્નો કર્યા છતાં ઇરાનને વિશ્વાસ નથી
Published on: 27th April, 2026
આર્થિક સંકટમાં ઘેરાયેલું પાકિસ્તાન US અને ઈરાન વચ્ચે મધ્યસ્થ બનવા માંગે છે, પરંતુ ઈરાનને તેની નિષ્પક્ષતા પર શંકા છે. ઈરાનના સાંસદે પાકિસ્તાનના અમેરિકા સાથેના સંબંધોને લીધે નિષ્પક્ષ મધ્યસ્થ બનવાની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે. રેજાઈના મતે, સફળ વાટાઘાટો માટે મધ્યસ્થે નિષ્પક્ષ અને વિશ્વાસપાત્ર હોવું જોઈએ, જે પાકિસ્તાન નથી. ઇરાનના આ વલણથી પાકિસ્તાનના કૂટનીતિક પ્રયત્નોને ફટકો લાગ્યો છે.
Read More at સંદેશ
હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા ક્રૂડ ઓઇલમાં ઉછાળો, ભાવ $107ને પાર.
હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા ક્રૂડ ઓઇલમાં ઉછાળો, ભાવ $107ને પાર.

ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સની વાતચીત તૂટતા, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો. ભાવ $107ને વટાવી ગયા, જે 2%નો વધારો દર્શાવે છે. પુરવઠામાં અછત મુખ્ય કારણ છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ $107.49 પ્રતિ બેરલ અને યુએસ WTI ફ્યુચર્સ $96.17 પ્રતિ બેરલ પર પહોંચ્યા. બ્રેન્ટ અને WTI ફ્યુચર્સે અનુક્રમે 17% અને 13%નો વધારો દર્શાવ્યો છે.

Published on: 27th April, 2026
Read More at સંદેશ
હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા ક્રૂડ ઓઇલમાં ઉછાળો, ભાવ $107ને પાર.
Published on: 27th April, 2026
ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સની વાતચીત તૂટતા, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો. ભાવ $107ને વટાવી ગયા, જે 2%નો વધારો દર્શાવે છે. પુરવઠામાં અછત મુખ્ય કારણ છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ $107.49 પ્રતિ બેરલ અને યુએસ WTI ફ્યુચર્સ $96.17 પ્રતિ બેરલ પર પહોંચ્યા. બ્રેન્ટ અને WTI ફ્યુચર્સે અનુક્રમે 17% અને 13%નો વધારો દર્શાવ્યો છે.
Read More at સંદેશ
સુરત અલથાણા છેડતી કેસમાં AAPનું ષડયંત્ર?
સુરત અલથાણા છેડતી કેસમાં AAPનું ષડયંત્ર?

સુરતમાં અલથાણા છેડતી કેસમાં AAPનું સ્ક્રિપ્ટેડ ષડયંત્ર અને BJP, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને બદનામ કરવાનું આયોજન હતું. ઓડિયો ક્લિપ વાયરલ થતા, AAPના મેહુલ ઉર્ફે રાવણની સંડોવણી બહાર આવી છે. પોલીસ તપાસમાં આ વાત સામે આવી. આ ઘટનામાં મુસ્લિમ સમાજને ભડકાવવાનો ખેલ થયો હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે. હાલમાં પોલીસ મેહુલની તપાસ કરી રહી છે.

Published on: 27th April, 2026
Read More at સંદેશ
સુરત અલથાણા છેડતી કેસમાં AAPનું ષડયંત્ર?
Published on: 27th April, 2026
સુરતમાં અલથાણા છેડતી કેસમાં AAPનું સ્ક્રિપ્ટેડ ષડયંત્ર અને BJP, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને બદનામ કરવાનું આયોજન હતું. ઓડિયો ક્લિપ વાયરલ થતા, AAPના મેહુલ ઉર્ફે રાવણની સંડોવણી બહાર આવી છે. પોલીસ તપાસમાં આ વાત સામે આવી. આ ઘટનામાં મુસ્લિમ સમાજને ભડકાવવાનો ખેલ થયો હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે. હાલમાં પોલીસ મેહુલની તપાસ કરી રહી છે.
Read More at સંદેશ
બંગાળમાં PM રેલી પહેલા BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ.
બંગાળમાં PM રેલી પહેલા BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ.

પશ્ચિમ બંગાળમાં PM મોદીની રેલી પહેલા BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ થઈ. પથ્થરમારો, ફાયરિંગ અને બોમ્બ ફેંકાયા, જેમાં CISF જવાન સહિત 3 ઘાયલ થયા. BJPનો આરોપ છે કે રેલીના પોસ્ટરો ફાડવામાં આવ્યા. ભાટપારાના BJP ઉમેદવારના ઘરે બોમ્બ ફેંકાયો. અમિત શાહના રોડ શો અને મમતા બેનર્જીની રેલી પણ યોજાશે. આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે અને બીજું મતદાન 29 એપ્રિલે થશે.

Published on: 27th April, 2026
Read More at દિવ્ય ભાસ્કર
બંગાળમાં PM રેલી પહેલા BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ.
Published on: 27th April, 2026
પશ્ચિમ બંગાળમાં PM મોદીની રેલી પહેલા BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ થઈ. પથ્થરમારો, ફાયરિંગ અને બોમ્બ ફેંકાયા, જેમાં CISF જવાન સહિત 3 ઘાયલ થયા. BJPનો આરોપ છે કે રેલીના પોસ્ટરો ફાડવામાં આવ્યા. ભાટપારાના BJP ઉમેદવારના ઘરે બોમ્બ ફેંકાયો. અમિત શાહના રોડ શો અને મમતા બેનર્જીની રેલી પણ યોજાશે. આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે અને બીજું મતદાન 29 એપ્રિલે થશે.
Read More at દિવ્ય ભાસ્કર
અમદાવાદમાં Jeepની ટક્કરથી ઇકો કાર પલ્ટી, એક મહિલા અને પુરુષ લોહીલુહાણ થયા.
અમદાવાદમાં Jeepની ટક્કરથી ઇકો કાર પલ્ટી, એક મહિલા અને પુરુષ લોહીલુહાણ થયા.

કલગી ચાર રસ્તા પાસે Jeep દ્વારા Eco કારને ટક્કર મારતા કાર પલ્ટી ખાઈ ગઈ, જેમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, Jeep ખૂબ જ ઝડપે આવી રહી હતી અને ચાલકે કાબૂ ગુમાવતા Eco કાર સાથે અથડાઈ. લોકોએ આક્ષેપ કર્યો છે કે Jeepમાં સવાર યુવાનો નશામાં હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Published on: 27th April, 2026
Read More at સંદેશ
અમદાવાદમાં Jeepની ટક્કરથી ઇકો કાર પલ્ટી, એક મહિલા અને પુરુષ લોહીલુહાણ થયા.
Published on: 27th April, 2026
કલગી ચાર રસ્તા પાસે Jeep દ્વારા Eco કારને ટક્કર મારતા કાર પલ્ટી ખાઈ ગઈ, જેમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, Jeep ખૂબ જ ઝડપે આવી રહી હતી અને ચાલકે કાબૂ ગુમાવતા Eco કાર સાથે અથડાઈ. લોકોએ આક્ષેપ કર્યો છે કે Jeepમાં સવાર યુવાનો નશામાં હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Read More at સંદેશ
અભયમ ટીમ દ્વારા મોરબીમાં ભૂલા પડેલા વૃદ્ધાનું પરિવાર સાથે મિલન.
અભયમ ટીમ દ્વારા મોરબીમાં ભૂલા પડેલા વૃદ્ધાનું પરિવાર સાથે મિલન.

મોરબી શહેરમાં 181 અભયમ ટીમે ભૂલા પડેલા વૃદ્ધાને શોધીને પરિવાર સાથે મિલન કરાવ્યું. વૃદ્ધા યાદશક્તિ ગુમાવતા ઘરેથી નીકળી ગયા હતા. જાગૃત નાગરિકે અભયમ હેલ્પલાઇન પર જાણ કરતા કાઉન્સેલર સેજલબેન પટેલની ટીમે કાઉન્સિલિંગ કર્યું. ટીમે પરિવારનો સંપર્ક કરી વૃદ્ધાને સોંપ્યા. પરિવારે સવારથી જ શોધખોળ કરી રહ્યા હોવાનું જણાવ્યું.

Published on: 27th April, 2026
Read More at દિવ્ય ભાસ્કર
અભયમ ટીમ દ્વારા મોરબીમાં ભૂલા પડેલા વૃદ્ધાનું પરિવાર સાથે મિલન.
Published on: 27th April, 2026
મોરબી શહેરમાં 181 અભયમ ટીમે ભૂલા પડેલા વૃદ્ધાને શોધીને પરિવાર સાથે મિલન કરાવ્યું. વૃદ્ધા યાદશક્તિ ગુમાવતા ઘરેથી નીકળી ગયા હતા. જાગૃત નાગરિકે અભયમ હેલ્પલાઇન પર જાણ કરતા કાઉન્સેલર સેજલબેન પટેલની ટીમે કાઉન્સિલિંગ કર્યું. ટીમે પરિવારનો સંપર્ક કરી વૃદ્ધાને સોંપ્યા. પરિવારે સવારથી જ શોધખોળ કરી રહ્યા હોવાનું જણાવ્યું.
Read More at દિવ્ય ભાસ્કર
ગરમી 44 ડિગ્રી થતા રાજ્યમાં વીજળીની માંગ વધી
ગરમી 44 ડિગ્રી થતા રાજ્યમાં વીજળીની માંગ વધી

ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી વટાવતા AC, કૂલરનું વેચાણ વધ્યું, વડોદરામાં વીજ માંગ 475 MW થઈ. MGVCLની માંગ 2751 MW રહી. રાજ્યમાં વીજ માંગ 25630 MW રહી, જે ગયા શુક્રવારે 24974 MW હતી. દેશમાં વીજ માંગ 256 GW રહી, આ વર્ષે 275 GW રહેવાનું અનુમાન છે.

Published on: 27th April, 2026
Read More at સંદેશ
ગરમી 44 ડિગ્રી થતા રાજ્યમાં વીજળીની માંગ વધી
Published on: 27th April, 2026
ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી વટાવતા AC, કૂલરનું વેચાણ વધ્યું, વડોદરામાં વીજ માંગ 475 MW થઈ. MGVCLની માંગ 2751 MW રહી. રાજ્યમાં વીજ માંગ 25630 MW રહી, જે ગયા શુક્રવારે 24974 MW હતી. દેશમાં વીજ માંગ 256 GW રહી, આ વર્ષે 275 GW રહેવાનું અનુમાન છે.
Read More at સંદેશ

Download Our App

Get better experience on our mobile app 🚀

Download from Play Store