23-28 જુલાઈએ IMD નું 27 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 23 થી 28 જુલાઈ દરમિયાન દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પહાડી રાજ્યો જેવા કે હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન (Landslide) અને અચાનક પૂર (Flash Flood) નો ખતરો છે, જ્યાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરાયા છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના અનેક ભાગોમાં પણ મુશળધાર વરસાદની સંભાવના છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી-NCR, અને પૂર્વોત્તર રાજ્યો સહિત અન્યત્ર પણ વરસાદી માહોલ રહેશે.
23-28 જુલાઈએ IMD નું 27 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ઈરાન સાથે મધ્યસ્થીના બદલામાં ડૉલર! પાકિસ્તાન ફરી કટોરો લઈને નીકળ્યું
પાકિસ્તાન હાલ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને IMF તથા વર્લ્ડ બેંક પાસેથી મોટી રકમનું દેવું લીધું હોવા છતાં તેની સ્થિતિ સુધરી રહી નથી. આ કારણે, પાકિસ્તાને ફરીવાર અમેરિકા પાસે 10 અબજ ડોલરની નાણાકીય મદદ માંગી છે. પાકિસ્તાની નાણાં મંત્રીએ અમેરિકી નાણાં મંત્રી સાથે આ અંગે ચર્ચા કરી છે. અમેરિકા-ઈરાન શાંતિ પ્રયાસોમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી હોવાથી, પાકિસ્તાનને આશા છે કે તેને આર્થિક સહાય મળી શકે છે. આ રકમથી પાકિસ્તાનની કંગાળ અર્થવ્યવસ્થાને થોડી રાહત મળી શકે છે.
ઈરાન સાથે મધ્યસ્થીના બદલામાં ડૉલર! પાકિસ્તાન ફરી કટોરો લઈને નીકળ્યું
નેધરલેન્ડ અને નોર્વે વિઝાના નામે બે યુવકો સાથે ૨.૪૫ લાખની છેતરપિંડી
વડોદરાના નટુભાઇ સર્કલ વિસ્તારમાં આવેલ રિધાન ઇમિગ્રેશનની કાજલ જોષી નામની વિઝા કન્સલટન્ટે બે યુવકોને વિદેશમાં નોકરી અપાવવાના નામે કુલ રૂ. ૨.૪૫ લાખની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. આણંદના ટૂર ઓપરેટર સ્નેહલ વ્યાસે નેધરલેન્ડ જવા માટે ૪ લાખ નક્કી કર્યા હતા, જેમાં ૫૦ હજારની પ્રથમ ચુકવણી બાદ નોર્વે વિઝાના નામે વધુ ૭૫ હજાર પડાવ્યા હતા. જોકે, વિઝા મળ્યા ન હતા. સાવલીના કિશોરભાઈ મકવાણા પાસેથી પણ ૧.૨૦ લાખ પડાવ્યા હતા. ગોરવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નેધરલેન્ડ અને નોર્વે વિઝાના નામે બે યુવકો સાથે ૨.૪૫ લાખની છેતરપિંડી
CJP પ્રતિનિધિમંડળ સાથેની વાતચીત પર જે.પી. નડ્ડાએ કરી સ્પષ્ટતા
કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ CJP પ્રતિનિધિમંડળ સાથે થયેલી વાતચીત અંગે સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે, વિપક્ષ પેપર લીકના મુદ્દે રાજકારણ કરી રહ્યું છે. CJPએ તેમની માંગણીઓ જણાવી, જેના પર કાર્યવાહી કરવાનો વિશ્વાસ અપાવ્યો. નડ્ડાએ રાહુલ ગાંધી પર પેપર લીક મામલે ખોટા આરોપો લગાવવાનો આરોપ લગાવ્યો. CJP સાથેની વાતચીત ખૂબ જ સારા વાતાવરણમાં થઈ, જેમાં તેમની માંગણીઓ પર વિચાર કરવાનો વિશ્વાસ અપાયો. સંસદમાં પેપર લીક પર ચર્ચા માટે સરકાર તૈયાર હોવાનું પણ તેમણે જણાવ્યું.
CJP પ્રતિનિધિમંડળ સાથેની વાતચીત પર જે.પી. નડ્ડાએ કરી સ્પષ્ટતા
HPCL અને BPCL ને અબજોનું નુકસાન, પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘા થશે?
પશ્ચિમ એશિયા અને ઈરાન સંકટના કારણે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ 50% થી વધુ વધ્યા છે. આ મોંઘવારીની સીધી અસર ભારતીય ઓઈલ કંપનીઓ HPCL અને BPCL પર પડી છે, જેને ચાલુ નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. લાંબા સમય સુધી પડતર કિંમત કરતા ઓછા ભાવે પેટ્રોલ, ડીઝલ અને LPG વેચવાના કારણે HPCL ને 12,265 કરોડ રૂપિયા અને BPCL ને 3,962 કરોડ રૂપિયાનું ચોખ્ખો નુકસાન થયું છે, જે 15 ક્વાર્ટર પછી BPCL માટે પહેલું નુકસાન છે.
HPCL અને BPCL ને અબજોનું નુકસાન, પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘા થશે?
દિલ્હીમાં NEET પરીક્ષા વિરોધ પ્રદર્શન હિંસક બન્યું, લાઠીચાર્જ અને ટીયર ગેસ
દિલ્હીના ટૉલ્સ્ટૉય માર્ગ પર NEET પરીક્ષાના વિરોધ દરમિયાન અચાનક હિંસા ફાટી નીકળી. પ્રદર્શનકારીઓએ સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો કર્યો, જેમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા. RAF અને દિલ્હી પોલીસ ટીમો પર પથ્થરો, બોટલો અને લાકડીઓ વડે હુમલો થયો. ભીડને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના ગોળા છોડ્યા. જંતર-મંતર પર NEET પેપર લીક વિરોધ ચાલુ રહ્યો, પરંતુ ટૉલ્સ્ટૉય માર્ગ પર પથ્થરમારાનું કારણ સ્પષ્ટ નથી. હાલ સમગ્ર વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
દિલ્હીમાં NEET પરીક્ષા વિરોધ પ્રદર્શન હિંસક બન્યું, લાઠીચાર્જ અને ટીયર ગેસ
NEET પેપર લીક અને વિદ્યાર્થી દમન પર બાવળામાં કોંગ્રેસનો વિરોધ
દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થી આંદોલન અને પ્રદર્શનકારીઓ પર થયેલા લાઠીચાર્જ અને કાર્યવાહીના પડઘા ગુજરાતભરમાં જોવા મળ્યા છે. અમદાવાદ સહિત વાવ-થરાદમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે, જ્યારે બાવળામાં NEET પેપરલીક અને વિદ્યાર્થીઓ પર થયેલા દમન સામે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે જનઆક્રોશ જોવા મળ્યો. થરાદમાં કોંગ્રેસે ચક્કાજામ કરીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના પગલે કેટલાક આગેવાનોની અટકાયત કરાઈ. બાવળા ખાતે પણ ગ્રામજનો, યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થઈ પેપરલીક અને વિદ્યાર્થીઓ પરના દમન સામે રોષ વ્યક્ત કર્યો.
NEET પેપર લીક અને વિદ્યાર્થી દમન પર બાવળામાં કોંગ્રેસનો વિરોધ
કોમનવેલ્થ ગેમ્સ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર
કોમનવેલ્થ ગેમ્સ 2026 સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં 23 જુલાઈથી શરૂ થશે, જેમાં 74 દેશોના 3,000 એથલીટ્સ ભાગ લેશે. ભારતીય દળમાં કુલ 126 ખેલાડીઓ, જેમાં 77 પુરુષો અને 48 મહિલાઓ (પેરા-સ્પોર્ટ્સ સહિત) સામેલ છે, વિવિધ 13 રમતોમાં મેડલ જીતવા માટે પ્રયાસ કરશે. સૌથી વધુ 32 ખેલાડીઓ એથલેટિક્સમાં છે. આ કોમનવેલ્થ ગેમ્સની 23મી આવૃત્તિ હશે. રમતોના સમયપત્રક અને યજમાની સંબંધિત વિગતો જાહેર કરવામાં આવી છે.
કોમનવેલ્થ ગેમ્સ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર
બંગાળ વિધાનસભા ગૃહમાંથી TMC ધારાસભ્યને ટીંગાટોળી કરીને બહાર લઈ ગયા માર્શલ
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં TMC ધારાસભ્ય કુણાલ ઘોષને ગૃહમાંથી બહાર કાઢી મૂકવાનો મામલો ચર્ચામાં છે. અખરુજ્જમાં ના ભાષણ દરમિયાન, કુણાલ ઘોષ વેલમાં પહોંચી ગયા અને અવરોધ ઊભો કર્યો. ભાજપના ધારાસભ્યોએ તેમની સાથે ચર્ચા કરી, જેના પગલે સ્થિતિ વધુ વણસી. અધ્યક્ષની અપીલ છતાં, કુણાલ ઘોષે સીટ પર પાછા ફરવાનો ઇનકાર કરતાં, માર્શલોએ તેમને બળજબરીપૂર્વક બહાર કાઢી મૂક્યા. આ ઘટના રાજકીય ગરમાવા વચ્ચે બની છે, જ્યાં TMCમાં હાલ બળવાની સ્થિતિ જોવા મળી રહી છે.
બંગાળ વિધાનસભા ગૃહમાંથી TMC ધારાસભ્યને ટીંગાટોળી કરીને બહાર લઈ ગયા માર્શલ
CJPનું ઈન્સ્ટાગ્રામ થોડા સમય માટે બંધ: અભિજીત દીપકેએ સરકાર પર લગાવ્યો આરોપ
કોકરોચ જનતા પાર્ટી (CJP)નું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ થોડા સમય માટે અચાનક સસ્પેન્ડ થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા જામી હતી. પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે સોશિયલ મીડિયા પર આક્ષેપ કર્યો કે સરકારના નિર્દેશથી આ કાર્યવાહી કરવામાં આવી છે અને તેમણે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. જોકે, થોડા જ સમયમાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ફરીથી સક્રિય થઈ ગયું હતું. હાલમાં અકાઉન્ટ સામાન્ય રીતે કાર્યરત છે અને અગાઉની જેમ ઉપલબ્ધ છે.
CJPનું ઈન્સ્ટાગ્રામ થોડા સમય માટે બંધ: અભિજીત દીપકેએ સરકાર પર લગાવ્યો આરોપ
સેમસંગનો ફોલ્ડ 8 Ultra "Galaxy AI" ફીચર્સ સાથે લોન્ચ!
સેમસંગે તેના નવા Galaxy Z Fold 8 Ultra, Galaxy Z Fold 8 અને Galaxy Z Flip 8 સ્માર્ટફોન્સ વૈશ્વિક સ્તરે લોન્ચ કર્યા છે. આ નવા પ્રીમિયમ ડિવાઇસ 'Galaxy AI' ફીચર્સ અને આધુનિક હાર્ડવેર સાથે આવે છે. Fold 8 Ultra માં 8-ઇંચની મોટી ફોલ્ડેબલ સ્ક્રીન, 200MP કેમેરા, 16GB RAM અને 5000mAh બેટરી છે. Flip 8 માં 6.7-ઇંચની સ્ક્રીન, 50MP કેમેરા અને 4300mAh બેટરી છે. આ ફોનમાં AI ટ્રાન્સલેશન, ફોટો એડિટિંગ અને નોટ સમરાઇઝેશન જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
સેમસંગનો ફોલ્ડ 8 Ultra "Galaxy AI" ફીચર્સ સાથે લોન્ચ!
૩૦૧ નવનિયુક્ત સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર્સ રાજ્ય સેવામાં જોડાયા
ગુજરાત સરકાર દ્વારા નાણા વિભાગને મજબૂત બનાવવાના પ્રયાસરૂપે, ગાંધીનગરમાં એક સમારોહ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે GPSC પરીક્ષા પાસ કરનાર ૩૦૧ તેજસ્વી યુવાનોને સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર (STI) તરીકેના નિમણૂક પત્રો આપવામાં આવ્યા. આ યુવા અધિકારીઓ રાજ્યના આર્થિક વિકાસ અને મહેસૂલી પ્રગતિમાં ફાળો આપશે. ટેક્સ વિભાગને નવી ઊર્જા મળશે. ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ સાથે કામ કરીને મહેસૂલી આવક વધારવામાં અને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’માં યોગદાન આપશે.
૩૦૧ નવનિયુક્ત સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર્સ રાજ્ય સેવામાં જોડાયા
GJ-40 હવે વાવ-થરાદની નવી ઓળખ!
બનાસકાંઠામાંથી અલગ બનેલા નવા વાવ-થરાદ જિલ્લામાં આજે 22 જુલાઈથી ‘સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, થરાદ (GJ-40)’નું સત્તાવાર રીતે કાર્ય શરૂ થયું છે. આ નવી કચેરી શરૂ થતાં દિયોદર, લાખણી, થરાદ, રાહ, વાવ, ધરણીધર, સુઇગામ અને ભાભર તાલુકાના વાહનચાલકોને હવે વાહન નોંધણી, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના આરટીઓ સંબંધિત કામો માટે અન્ય શહેરોમાં જવાની જરૂર રહેશે નહીં. તમામ સેવાઓ હવે સ્થાનિક સ્તરે સરળતાથી ઉપલબ્ધ બનશે.
GJ-40 હવે વાવ-થરાદની નવી ઓળખ!
ટ્રમ્પે ઈરાનને ફરી ધમકી આપી: 'પાવર પ્લાન્ટ અને પુલ ઉડાવી દઈશું'
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ Donald Trump એ ઈરાનને સ્પષ્ટ ચેતવણી આપી છે. જો ઈરાન Hormuz જળમાર્ગમાંથી પસાર થતા કોઈપણ જહાજ પર હુમલો કરશે, તો અમેરિકા ઈરાનના મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જેમ કે પાવર પ્લાન્ટ અને પુલ, ને બોમ્બ ફેંકીને નષ્ટ કરી દેશે. આ ધમકી દરમિયાન, યુએસ સેનાએ ઈરાન સામે સૈન્ય અભિયાન ચલાવ્યું, જેમાં ઓપરેશન સેન્ટરો અને ડ્રોન સ્ટોરેજને નિશાન બનાવાયા. અમેરિકાનો આરોપ છે કે ઈરાને છેલ્લા 3 મહિનામાં 30 થી વધુ વેપારી જહાજો પર હુમલા કર્યા છે.
ટ્રમ્પે ઈરાનને ફરી ધમકી આપી: 'પાવર પ્લાન્ટ અને પુલ ઉડાવી દઈશું'
ગુજરાતના અનેક જિલ્લામાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ.
દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. હવામાન વિભાગે આગામી 27 જુલાઈ સુધી ધોધમાર વરસાદની આગાહી કરી છે. જેમાં 25-26 જુલાઈના રોજ મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય 15થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 5 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતના અનેક જિલ્લામાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ.
NEET મુદ્દે 'Gen Z પ્રોટેસ્ટ' પહેલાં અમદાવાદમાં વિદ્યાર્થીઓની અટકાયત
અમદાવાદમાં NEET પેપર લીક મામલે 'Gen Z Protest' યોજાવાનો હતો, પરંતુ પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી. એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે એકઠા થયેલા વિદ્યાર્થીઓને પોલીસે બસમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયા. આ દરમિયાન, અભ્યાસ કરતી અને ચા પીવા આવેલી સામાન્ય યુવતીઓની પણ અટકાયત કરાઈ. નિર્દોષ નાગરિકો અને વિદ્યાર્થીઓની આડેધડ અટકાયત અંગે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શાંતિપૂર્ણ વિરોધ પહેલાં જ કાર્યવાહી અને બળપ્રયોગ વિદ્યાર્થીઓના અવાજને દબાવવાનો પ્રયાસ દર્શાવે છે.
NEET મુદ્દે 'Gen Z પ્રોટેસ્ટ' પહેલાં અમદાવાદમાં વિદ્યાર્થીઓની અટકાયત
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટની બેઠક: 5 સંતોને જવાબદારી
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક મહત્વની બેઠક યોજાઈ, જેમાં અનેક મોટા નિર્ણયો લેવાયા. આગામી શ્રાવણ મહિનામાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા, દર્શન વ્યવસ્થા અને મંદિરના પરંપરાગત ધાર્મિક સંચાલનને લઈને ચર્ચા થઈ. પૂજા-પદ્ધતિની પવિત્રતા જાળવી રાખવા માટે ધાર્મિક સમિતિનું પુનર્ગઠન કરાયું, જેમાં 5 દિગ્ગજ સંતોને જવાબદારી સોંપાઈ. SBIની કામગીરી સામે ટ્રસ્ટે નારાજગી વ્યક્ત કરી અને MOUની સમીક્ષા કરવામાં આવી. SIT રિપોર્ટની રાહ જોવાય રહી છે અને સુરક્ષાની પણ સમીક્ષા કરાઈ. નવા સચિવ અને પ્રવક્તાની નિમણૂક થશે.
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટની બેઠક: 5 સંતોને જવાબદારી
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વૃંદાવનમાં
ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ફરી એકવાર આધ્યાત્મિક યાત્રા માટે વૃંદાવન પહોંચ્યા છે. તેઓએ પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લીધા અને રાધા કેલી કુંજ આશ્રમમાં ઉઘાડા પગે ચાલતા જોવા મળ્યા. આ કપલની સાદગી અને ધાર્મિકતાએ ઘણા ફેન્સનું દિલ જીતી લીધું છે. જોકે, કેટલાક યુઝર્સે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન (Student Protest) પર તેમની મૌન નીતિ પર નારાજગી વ્યક્ત કરી છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વૃંદાવનમાં
વલસાડના ધરમપુરમાં માન નદીના પુલ પર કાર તણાઈ
વલસાડના ધરમપુર તાલુકામાં માન નદીના પુલ પરથી એક કાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી. સુરતના નિકુંજ મિસ્ત્રી પોતાના પરિવાર સાથે ફરવા આવ્યા બાદ સુરત પરત ફરી રહ્યા હતા. પુલ પર પાણી હોવા છતાં કાર આગળ વધારતાં તે વહેણમાં આવી ગઈ. જોકે, ચાલકે સમયસૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી તરીને પોતાનો જીવ બચાવ્યો. ગ્રામજનોએ ભારે જહેમત બાદ કારને પણ નદીમાંથી બહાર કાઢી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાથી સૌએ રાહતનો શ્વાસ લીધો.
વલસાડના ધરમપુરમાં માન નદીના પુલ પર કાર તણાઈ
થર્મલ ચિત્રો પ્રમાણે અમદાવાદમાં દીપડાની હાજરીની કોઈ પુષ્ટિ નહીં
અમદાવાદના ઘુમા, શીલા અને બોપલ વિસ્તારમાં દીપડાની હિલચાલના અહેવાલો બાદ વન વિભાગે સર્વેલન્સ વધાર્યું છે. 30થી વધુ ટીમો પુરાવા એકત્ર કરી રહી છે, જેમાં પગલાંના નિશાન, મળ, અને કેમેરા ટ્રેપ ફૂટેજનો સમાવેશ થાય છે. 24 કલાક મોનિટરિંગ ચાલી રહ્યું છે, પરંતુ અત્યાર સુધીના થર્મલ ચિત્રોમાં દીપડાની હાજરીની કોઈ પુષ્ટિ થઈ નથી; નીલગાયની હાજરી જોવા મળી છે. વિભાગે રહીશોને અફવાઓ ન ફેલાવવા અને સાવચેત રહેવા અપીલ કરી છે.
થર્મલ ચિત્રો પ્રમાણે અમદાવાદમાં દીપડાની હાજરીની કોઈ પુષ્ટિ નહીં
ટીમ ઈન્ડિયાના 6 ખેલાડીઓ ઈજાગ્રસ્ત, BCCI ની ફિટનેસ નીતિ પર પ્રશ્નાર્થ
BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) માં ખેલાડીઓની ભીડ જામેલી છે. હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, આકાશ દીપ, અને વોશિંગ્ટન સુંદર સહિત 6 થી વધુ ખેલાડીઓ ઈજા સામે ઝઝૂમી રહ્યા છે. આ ખેલાડીઓની ફિટનેસ પર ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે, કારણ કે કેટલાક ખેલાડીઓને સંપૂર્ણ રીતે ફિટ થયા વગર જ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ પરિસ્થિતિ ભારતીય ક્રિકેટની ફિટનેસ નીતિ પર સવાલો ઉભા કરે છે.
ટીમ ઈન્ડિયાના 6 ખેલાડીઓ ઈજાગ્રસ્ત, BCCI ની ફિટનેસ નીતિ પર પ્રશ્નાર્થ
‘વિદ્યાર્થીઓને ભડકાવ્યા, સંસદમાં ચર્ચાથી ભાગ્યા’, રાજનાથ સિંહના વિપક્ષ પર પ્રહાર
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન હોબાળો અને વિદ્યાર્થી આંદોલનો વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિપક્ષ પર કડક પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી રાજકીય હિત માટે તેમનો ઉપયોગ કરી રહ્યો છે. રાજનાથ સિંહે જણાવ્યું કે સરકાર દરેક મુદ્દે સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે, છતાં વિપક્ષ ચર્ચાથી દૂર રહી રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશના યુવાનો આવા રાજકીય ષડયંત્રનો ભાગ નહીં બને.
‘વિદ્યાર્થીઓને ભડકાવ્યા, સંસદમાં ચર્ચાથી ભાગ્યા’, રાજનાથ સિંહના વિપક્ષ પર પ્રહાર
જંતર-મંતર લાઠીચાર્જ મામલે દિલ્હી હાઈકોર્ટ લાલઘૂમ, કેન્દ્ર અને પોલીસને નોટિસ
દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શનકારીઓ પર થયેલા લાઠીચાર્જ મામલે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. કોર્ટે CCTV, બોડી કેમ ફૂટેજ અને તમામ સંબંધિત રેકોર્ડ તાત્કાલિક સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે. અરજીકર્તાઓના વકીલોએ સોનમ વાંગચુક અને અન્ય પ્રદર્શનકારીઓને બળજબરીથી હટાવવા અને લાઠીચાર્જને ગેરબંધારણીય ગણાવ્યો હતો. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોલીસની કાર્યવાહી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. કેન્દ્ર સરકારે આ અરજીઓને પબ્લિસિટી સ્ટંટ ગણાવી વિરોધ કર્યો હતો.
જંતર-મંતર લાઠીચાર્જ મામલે દિલ્હી હાઈકોર્ટ લાલઘૂમ, કેન્દ્ર અને પોલીસને નોટિસ
સાવરકુંડલામાં 'વિકાસ' ઉભરાયો: ગટરના પાણી સોસાયટીઓમાં ફરી વળ્યા
અમરેલીમાં સારા વરસાદ બાદ સાવરકુંડલામાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા વિકટ બની છે. જેસર રોડ પરની મધુવન, સરદાર પટેલ, ગીતાંજલિ સહિત અનેક સોસાયટીઓમાં ગંદા પાણી ફરી વળતાં સ્થાનિકો સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ અને મચ્છરોના ઉપદ્રવથી ભયભીત છે. પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખના ઘર પાસે પણ આ સ્થિતિ હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી રજૂઆતો બાદ પણ કાર્યવાહી ન થતાં ચોમાસામાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે.
સાવરકુંડલામાં 'વિકાસ' ઉભરાયો: ગટરના પાણી સોસાયટીઓમાં ફરી વળ્યા
વર્લ્ડ બ્રેઈન ડે: યાદશક્તિ વધારવા માટે 5 સુપરફૂડ્સ આજે જ શરૂ કરો
ભાગદોડભર્યા જીવન અને પોષણની ઉણપથી યાદશક્તિ નબળી પડે છે. મગજ શરીરનું નિયંત્રણ કેન્દ્ર છે, અને તેની કાર્યક્ષમતા જાળવવા આહાર જરૂરી છે. વિશ્વભરમાં 22 જુલાઈએ વર્લ્ડ બ્રેઈન ડે મગજની બીમારીઓ પ્રત્યે જાગૃતિ લાવવા ઉજવાય છે. 3 અબજથી વધુ લોકો ન્યુરોલોજિકલ સમસ્યાઓથી પીડાય છે. મગજ માટે ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ જરૂરી છે. મેમરી લોસથી બચવા આ 5 સુપરફૂડ્સ - અખરોટ, બેરીઝ, લીલા પાંદડાવાળા શાકભાજી, કોળાના બીજ, અને ડાર્ક ચોકલેટ - લાભદાયી છે.
વર્લ્ડ બ્રેઈન ડે: યાદશક્તિ વધારવા માટે 5 સુપરફૂડ્સ આજે જ શરૂ કરો
ગુજરાતના દરેક જિલ્લાની હોસ્પિટલમાં નશા મુક્તિ માટે શરૂ કરાશે De-addiction Centers
ગુજરાત સરકાર રાજ્યમાં નશા મુક્તિની લડતને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરી રહી છે. રાજ્યની તમામ 34 જિલ્લા હોસ્પિટલોમાં 15 બેડની ક્ષમતા ધરાવતા De-addiction Centers શરૂ કરવામાં આવશે. આ માટે નાણાકીય વર્ષ 2026-27 માટે રૂ. 14.90 કરોડના ખર્ચને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ કેન્દ્રોમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ, ડિટોક્સ સારવાર, ડી-એડિક્શન થેરાપી, કાઉન્સેલિંગ, માનસિક આરોગ્ય સેવા, પરિવાર પરામર્શ અને પુનર્વસનની સુવિધાઓ IPD અને OPD ધોરણે ઉપલબ્ધ કરાશે. નિષ્ણાત સ્ટાફની ટીમ પણ તૈનાત રહેશે.
ગુજરાતના દરેક જિલ્લાની હોસ્પિટલમાં નશા મુક્તિ માટે શરૂ કરાશે De-addiction Centers
સોનમ વાંગચુકે ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી, કેન્દ્ર સરકારને લખ્યો પત્ર
સામાજિક કાર્યકર Sonam Wangchuk એ કેન્દ્રીય મંત્રી Jitendra Singh અને JP Nadda ને પત્ર લખી વિદ્યાર્થીઓની માંગણીઓ પર સંવેદનશીલ નિર્ણય લેવા અપીલ કરી છે. તેમણે શિક્ષણમંત્રીની જવાબદારીના મુદ્દે સંસદમાં ચર્ચા કરવાની અને આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને વળતર આપવાની રજૂઆત કરી છે. સોનમ વાંગચુકે દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે કોઈપણ દંડાત્મક કાર્યવાહી ન કરવા અને નોંધાયેલા કેસ પાછા ખેંચવાની માંગ કરી છે. સરકાર તરફથી માંગણીઓ પર વિચાર કરવાનો વિશ્વાસ મળ્યા બાદ, જો સરકાર આ વિશ્વાસ લેખિતમાં વ્યક્ત કરશે તો તેઓ ઉપવાસ પૂર્ણ કરશે.
સોનમ વાંગચુકે ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી, કેન્દ્ર સરકારને લખ્યો પત્ર
કૈલાશ માનસરોવરમાં ડૂબકી પર પ્રતિબંધ
કૈલાશ માનસરોવર યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે વર્ષ 2018થી ચીન સરકારે એક મહત્વપૂર્ણ નિયમ લાગુ કર્યો છે. માનસરોવર ઝીલમાં સીધી ડૂબકી લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓ હવે તળાવમાંથી બહારથી એક ડોલ પાણી લઈને સ્નાન કરી શકે છે. આ નિર્ણય માત્ર વહીવટી નથી, પરંતુ તેની પાછળ ગંભીર વૈજ્ઞાનિક તથ્યો અને પર્યાવરણીય કારણો છે. માનસરોવર હિમાલયના પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જનો અભ્યાસ કરતું સંવેદનશીલ કેન્દ્ર છે. હજારો શ્રદ્ધાળુઓના એકસાથે પાણીમાં ઉતરવાથી પર્યાવરણને નુકસાન થાય છે, કારણ કે ઊંચાઈ પર આવેલા તળાવોની પાણી શુદ્ધ કરવાની પ્રક્રિયા ધીમી હોય છે.
કૈલાશ માનસરોવરમાં ડૂબકી પર પ્રતિબંધ
ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાને ઈઝરાયેલ કેમ સાથ નથી આપી રહ્યું?
અમેરિકા દ્વારા ઈરાન પર મોટા હુમલાની ચેતવણીઓ વચ્ચે ઈઝરાયેલ પોતાના હિતોની રક્ષા માટે ગુપ્ત રીતે તૈયારી કરી રહ્યું છે. ઈઝરાયેલ, ઈરાનને પોતાનો દુશ્મન માનતું હોવા છતાં, ટ્રમ્પના સંભવિત હુમલાથી પોતાને દૂર રાખી રહ્યું છે. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે અમેરિકી હુમલા બાદ ઈરાન સીધો બદલો ઈઝરાયેલ પર લઈ શકે છે, તેથી ઈઝરાયેલ હાલ અંતર જાળવી રહ્યું છે. ઈઝરાયેલ દક્ષિણ લેબનાનમાં પોતાની સેનાને ફરીથી મજબૂત કરી રહ્યું છે અને હિઝબુલ્લાહને નબળું પાડવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે.
ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાને ઈઝરાયેલ કેમ સાથ નથી આપી રહ્યું?
ઈન્ટરનેટ વગર મેસેજ મોકલ્યા, CJPના વિરોધ પ્રદર્શનમાં ઉપયોગ થયેલ ટેકનોલોજીથી પોલીસ ચોંકી!
દિલ્હીના જંતર-મંતર પર CJP દ્વારા યોજાયેલ પ્રદર્શનમાં એક એવી ટેકનોલોજીનો ઉપયોગ થયો, જેનાથી પોલીસ પણ ચોંકી ગઈ. પ્રદર્શનકારીઓ ઇન્ટરનેટ કનેક્ટિવિટી વગર મેસેજ મોકલવા-મેળવવા માટે એક ખાસ એપનો ઉપયોગ કરી રહ્યા હતા. આ એપ બ્લૂટૂથ બેઝ્ડ કમ્યુનિકેશનનો ઉપયોગ કરે છે, જેમાં મોબાઈલ ડેટા, વાઈફાઈ કે સેલ્યુલર નેટવર્કની જરૂર પડતી નથી. BitChat જેવી એપ્સ આ ટેકનોલોજી પર કામ કરે છે, જે વાયરલ ટેકનોલોજી 'બ્લૂટૂથ લો એનર્જી' (BLE)નો ઉપયોગ કરે છે.