સેલવાસથી પોરબંદર યાર્ડમાં મિયાજાકી અને નૂરજહાં કેરીની શાહી આવક.
સેલવાસથી પોરબંદર યાર્ડમાં મિયાજાકી અને નૂરજહાં કેરીની શાહી આવક.
Published on: 17th June, 2026

પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં સામાન્ય રીતે સ્થાનિક કેસર અને હાફુસ કેરીની આવક થાય છે, પરંતુ આ વખતે કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસથી દુર્લભ અને મોંઘી ગણાતી ‘મિયાજાકી’ અને ‘નૂરજહાં’ કેરીની આવક થતાં વેપારીઓમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. આ વિશિષ્ટ કેરીઓના ભાવ જાણીને ગ્રાહકો આશ્ચર્યચકિત થયા હતા. ‘મિયાજાકી’ કેરીના ૨ નંગ રૂ. ૧૦૦૦ ભાવે અને ‘નૂરજહાં’ કેરીના ૨ નંગ રૂ. ૨૩૦૦ ભાવે વેચાયા હતા, જે સ્થાનિક સ્તરે પ્રથમવાર જોવા મળ્યું હતું.