પત્રકારોએ AI શીખવું પડશે, નહીં તો થશે બદલી!
પત્રકારોએ AI શીખવું પડશે, નહીં તો થશે બદલી!
Published on: 14th July, 2026

AI માનવ મગજની બરાબરી કરશે કે નહીં એ કરતાં મોટો સવાલ એ છે કે બદલાવ ન સ્વીકારતા પત્રકાર કરતાં AI વધુ ઉપયોગી બની રહ્યું છે કે નહીં. ભવિષ્યનું પત્રકારત્વ માત્ર સમાચાર લખવા પૂરતું નહીં રહે; ડેટા, AI, ઇન્ફોગ્રાફિક્સ, વીડિયો, ફેક્ટ-ચેકિંગ અને વિવિધ પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ તૈયાર કરવાની કુશળતા જરૂરી બનશે. AI પત્રકારત્વનો અંત નહીં લાવે, પરંતુ પત્રકારનું સ્વરૂપ બદલશે. શીખવાનું બંધ કરનાર પત્રકારની નોકરી AI જાણતા પત્રકારો લઈ શકે છે.