કાનપુરા ગોળીયા દૂધ મંડળીમાં 60 લાખથી વધુની ઉચાપત
કાનપુરા ગોળીયા દૂધ મંડળીમાં 60 લાખથી વધુની ઉચાપત
Published on: 02nd September, 2026

પાલનપુરના અમીરગઢ તાલુકાના કાનપુરા ગોળીયા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં રૂ. 60 લાખથી વધુની ઉચાપતનો મુદ્દો હાલ ચર્ચામાં છે. ગ્રામજનોએ આ મામલે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચી ન્યાયની માંગ કરી છે. આક્ષેપો અનુસાર, મંડળીના પૂર્વ મંત્રી વનાજી રબારી પર ઉચાપતનો આરોપ છે, જેના પગલે તેમનું રાજીનામું પણ લેવાયું હતું. જોકે, રકમની સંપૂર્ણ વસૂલાત ન થતાં અને નવા મંત્રીને ધમકી અપાતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, હિસાબોમાં ગેરરીતિ અને ગ્રાહકોના બોનસ અંગે પણ તપાસની માંગ કરવામાં આવી છે.