કર્ણાટકમાં NEET વિદ્યાર્થીની આત્મહત્યા!
કર્ણાટકમાં NEET વિદ્યાર્થીની આત્મહત્યા!
Published on: 25th May, 2026

કર્ણાટકના કલબુર્ગીમાં NEETની 18 વર્ષની વિદ્યાર્થિની ભાગ્યશ્રીએ આત્મહત્યા કરી લીધી. તેના પિતાના જણાવ્યા અનુસાર, તે ભણવામાં હોશિયાર હતી અને 12મીમાં 92% ગુણ મેળવ્યા હતા. NEET-UG પરીક્ષાના પેપર લીકના આરોપો અને પરીક્ષા રદ થયા બાદ છેલ્લા 12 દિવસમાં દેશભરમાં 5 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાઓને પગલે રાહુલ ગાંધીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી છે. NTAએ આગામી પરીક્ષા CBT મોડમાં યોજવાનો સંકેત આપ્યો છે.