થાન છેતરપિંડી કેસમાં ફરાર વાંકાનેરનો શખ્સ પકડાયો
થાન છેતરપિંડી કેસમાં ફરાર વાંકાનેરનો શખ્સ પકડાયો
Published on: 02nd September, 2026

સુરેન્દ્રનગરના થાન નગરપાલીકામાં કામ કરતા 9 કર્મચારીઓએ રેલવેનો કોન્ટ્રાકટ મેળવવા વાંકાનેરના રૂષીત અરવિંદભાઈ વ્યાસને રૂપીયા 1,77,240 આપ્યા હતા. જેમાં આવો કોઈ કોન્ટ્રાકટ જ ન હોવાની જાણ થતા આરોપી સામે છેતરપિંડીની ફરિયાદ થાન પોલીસ મથકે ગત મે માસમાં નોંધાઈ હતી. ત્યારે આ બનાવના ફરાર આરોપી વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં રહેતા 29 વર્ષીય રૂષીત વ્યાસને થાન પોલીસની ટીમે ઝડપી પાડયો છે.