કિંજલ દવે મુંબઈમાં, એશ્વર્યા અમદાવાદમાં
કિંજલ દવે મુંબઈમાં, એશ્વર્યા અમદાવાદમાં
Published on: 19th September, 2026

ગુજરાતમાં નવરાત્રિ 2026નો માહોલ જામી રહ્યો છે, જેમાં અનેક જાણીતા સિંગર ખેલૈયાઓને ડોલાવવા તૈયાર છે. અમદાવાદમાં આદિત્ય ગઢવી, જિગ્નેશ કવિરાજ જેવા કલાકારો પધારશે. સિંગર હાર્દિક દવે જણાવે છે કે, તેઓ દર વર્ષે 60-70% નવા લોકગીતો કમ્પોઝ કરે છે અને 'સશક્ત નવરાત્રિ'ના માધ્યમથી તેના મૂળ અર્થ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. સુરતમાં અપેક્ષા પંડ્યા અને ફાલ્ગુની પાઠક જેવા કલાકારો પણ તેમના કાર્યક્રમોમાં વિવિધ ગરબા અને લોકગીતોની રમઝટ બોલાવશે.