પાલનપુરની શિક્ષિકાએ અમદાવાદમાં બનાવી માટીની ગણેશ મૂર્તિઓ
પાલનપુરની શિક્ષિકાએ અમદાવાદમાં બનાવી માટીની ગણેશ મૂર્તિઓ
Published on: 19th September, 2026

પાલનપુરના ખોડા લીમડા વિસ્તારના મનિષાબેન સોંદરવા, જેઓ છેલ્લા દસ વર્ષથી માટીની ગણેશ મૂર્તિઓ બનાવવામાં નિપુણ છે, હાલ અમદાવાદમાં પતિ સાથે રહે છે અને ખાનગી સ્કૂલમાં નોકરી કરે છે. આ વખતે તેમણે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જાતે બનાવેલી માટીની ગણેશ મૂર્તિઓ ભક્તોને વિનામૂલ્યે વિતરણ કરી છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓના વિસર્જનના કારણે થતા અપમાનને ધ્યાનમાં રાખી તેમણે આ પહેલ કરી છે. પિતાજીના નિધન બાદ તેમણે આ મૂર્તિઓ વિનામૂલ્યે આપવાનો નિર્ણય લીધો છે.