બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, કમિશન વિવાદમાં IRMના CNG પંપ સતત બીજા દિવસે બંધ!
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, કમિશન વિવાદમાં IRMના CNG પંપ સતત બીજા દિવસે બંધ!
Published on: 15th September, 2026

બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારમાં IRM સંચાલિત 65 CNG પંપ સતત બીજા દિવસે બંધ રહેતા વાહનચાલકો, ખાસ કરીને રિક્ષા અને ટેક્સી ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. પંપ સંચાલકોએ કમિશન સહિતની માંગણીઓ અંગે કંપની સાથે બેઠકો યોજાઈ હોવા છતાં લેખિત બાંહેધરી ન મળતાં વિરોધ નોંધાવી પંપ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. અગાઉ પણ કંપની દ્વારા આપવામાં આવેલી બાંહેધરીનું પાલન ન થતાં આ પગલું ભરવામાં આવ્યું છે. લેખિત ખાતરી ન મળે ત્યાં સુધી પંપ અનિશ્ચિત મુદત માટે બંધ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.