રાજભા ગઢવીને ગીરમાં માલધારી મંજૂરી વિવાદ.
રાજભા ગઢવીને ગીરમાં માલધારી મંજૂરી વિવાદ.
Published on: 27th May, 2026

ગીર જંગલમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવીને માલધારી તરીકે મંજૂરી મળ્યા બાદ સામાન્ય માલધારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમની 2023ની નામંજૂર થયેલી અરજી 2026માં મંજૂર થતાં વિવાદ સર્જાયો છે. અમરેલી અને જૂનાગઢ જિલ્લાના અનેક માલધારીઓની વર્ષો જૂની અરજીઓ નામંજૂર કરવામાં આવી છે, જ્યારે તેમની પાસે પણ મસવાડી પાસ જેવા પુરાવા છે. તેઓ દાવો કરે છે કે રાજભા ગઢવી જેટલા જ પુરાવા તેઓ પણ રજૂ કરી શકે છે અને તેમને પણ સમાન ન્યાય મળવો જોઈએ. આ મુદ્દે માલધારીઓ ગાંધીનગર PCCF સુધી રજૂઆત કરવા પહોંચ્યા હતા.