રાધનપુર નજીક કાળજું કંપાવનારો અકસ્માત
રાધનપુર નજીક કાળજું કંપાવનારો અકસ્માત
Published on: 06th September, 2026

પાટણ જિલ્લાના રાધનપુર નજીક કચ્છ-કંડલા નેશનલ હાઈવે પર એક અત્યંત દર્દનાક માર્ગ દુર્ઘટના બની છે. એક ટ્રકની પાછળ પુરપાટ ઝડપે આવી રહેલી કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર કચ્છના 3 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. રાજસ્થાન સ્થિત ખાટુશ્યામજીના દર્શન કરીને પરત ફરી રહેલા આ શ્રદ્ધાળુઓ સાથે બનેલી આ ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે તપાસ હાથ ધરી છે.