ગોંડલ નજીક બગદાણા દર્શન બાદ પરત ફરતી ખાનગી બસ પલટી, 2 મહિલાઓના દુઃખદ મોત.
ગોંડલ નજીક બગદાણા દર્શન બાદ પરત ફરતી ખાનગી બસ પલટી, 2 મહિલાઓના દુઃખદ મોત.
Published on: 25th May, 2026

ગોંડલ પંથકમાં બગદાણા બાપા સિતારામ દર્શન કરીને પરત ફરી રહેલી યાત્રિકોની ખાનગી બસ વોરાકોટડા રોડ પાસે પલટી મારી ગઈ હતી. ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં બસ નીચે દબાઈ જતાં બે મહિલાઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. અન્ય ૨૨ યાત્રાળુઓને નાની-મોટી ઈજાઓ થતાં સારવાર માટે ખસેડાયા છે. સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.