ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ, બટર પર પ્રતિબંધ!
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ, બટર પર પ્રતિબંધ!
Published on: 06th August, 2026

ગુજરાત સરકારે નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે આ નિર્ણય ગ્રાહકોને ભ્રમિત કરતી પ્રવૃત્તિઓ રોકવા અને અસલી ડેરી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે છે. છત્તીસગઢ અને મહારાષ્ટ્ર બાદ ગુજરાત આ નિર્ણય લેનાર ત્રીજું રાજ્ય બન્યું છે. સરકાર દ્વારા જાહેર કરાયેલ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ નિયમ ભંગ કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.