બનાસકાંઠાના થરેચાવાસના બાળકનો CHPV રિપોર્ટ નેગેટિવ
બનાસકાંઠાના થરેચાવાસના બાળકનો CHPV રિપોર્ટ નેગેટિવ
Published on: 06th August, 2026

કાંકરેજ તાલુકાના શિહોરીમાં તાવ બાદ મૃત્યુ પામેલા 9 વર્ષીય સિદ્ધરાજનો CHPV (ચાંદીપુરા વાયરસ) રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ધારપુર મેડિકલ કોલેજ દ્વારા લેવાયેલા સેમ્પલના મોલેક્યુલર ટેસ્ટિંગ રિપોર્ટમાં વાયરસ મળ્યો નથી. જોકે, ઇન્ફ્લુએન્ઝા-A, ઝિકા, ડેન્ગ્યુ, JEV, ચિકનગુનિયા, સ્ક્રબ ટાયફસ સહિતના અન્ય સંભવિત ચેપોની તપાસ હજુ બાકી છે. આ રિપોર્ટ બાદ મૃત્યુનું પ્રાથમિક કારણ ચાંદીપુરા વાયરસ નથી તેમ જણાય છે, પરંતુ ચોક્કસ કારણ માટે વધુ તપાસ અને નિષ્ણાતોના અભિપ્રાયની રાહ જોવાઈ રહી છે. આરોગ્ય વિભાગ સાવચેતી રાખી રહ્યું છે.