સ્તન કેન્સર માટે તબીબોએ સ્વ-તપાસ અને સમયસર નિદાન પર ભાર મૂક્યો
સ્તન કેન્સર માટે તબીબોએ સ્વ-તપાસ અને સમયસર નિદાન પર ભાર મૂક્યો
Published on: 19th September, 2026

અમરેલી ખાતે કે. કે. પારેખ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીનીઓને સ્તન કેન્સર અંગે જાગૃત કરવા સેમિનાર યોજાયો. શાંતાબા મેડિકલ કોલેજના ડૉ. સ્નેહલબેન વસૈયા અને ડૉ. ક્રિષ્ટીબેન બાબરીયાએ જોખમી પરિબળો, લક્ષણો, સ્વ-તપાસ અને સમયસર તબીબી તપાસ અંગે માર્ગદર્શન આપ્યું. કોઈપણ અસામાન્ય ફેરફાર જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવાનો અનુરોધ કરાયો. કાર્યક્રમનું સફળ આયોજન ડૉ. એ. જી. પટેલ અને ડૉ. એ. બી. ગોરવાડીયા દ્વારા થયું, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.