જામનગરમાં કુષ્ઠ રોગ શંકાસ્પદ દર્દીઓ શોધવા 60 ટીમ સાથે વિશેષ અભિયાન શરૂ
જામનગરમાં કુષ્ઠ રોગ શંકાસ્પદ દર્દીઓ શોધવા 60 ટીમ સાથે વિશેષ અભિયાન શરૂ
Published on: 12th June, 2026

જામનગર મહાપાલિકા દ્વારા કુષ્ઠ રોગના શંકાસ્પદ દર્દીઓની વહેલી તકે ઓળખ અને સારવાર સુનિશ્ચિત કરવા આગામી 18મી જૂન સુધી દસ દિવસીય વિશેષ અભિયાન શરૂ કરાયું છે. શહેરમાં હાલ 18 દર્દીઓ સારવાર હેઠળ છે. 60 ટીમો ઘરે-ઘરે જઈ શંકાસ્પદ દર્દીઓની શોધ કરશે, જેમાં આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો અને સ્વયંસેવકો સામેલ છે. શંકાસ્પદ દર્દીઓને નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા જી.જી. હોસ્પિટલના ચામડી વિભાગમાં વધુ તપાસ માટે મોકલવામાં આવશે. નાગરિકોને આરોગ્ય કર્મીઓને સહયોગ આપવા અને કુષ્ઠ રોગ અંગે ગેરમાન્યતાઓ દૂર કરવા અનુરોધ કરાયો છે.