ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ!
ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ!
Published on: 06th August, 2026

ગુજરાત સરકારે "એનાલોગ પનીર" ના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને પરિવહન પર પ્રતિબંધ મૂક્યો છે. છત્તીસગઢ અને મહારાષ્ટ્ર બાદ ગુજરાત આ પ્રતિબંધ મૂકનાર ત્રીજું રાજ્ય બન્યું છે. જાહેર આરોગ્ય અને પનીરના ભ્રામક વેચાણ અંગે વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. ઘણી હોટલો અને રેસ્ટોરાં ડેરી સિવાયનું પનીર અસલી તરીકે પીરસી રહી છે, જે ચિંતાનો વિષય છે. એનાલોગ પનીર વનસ્પતિ તેલ, દૂધ પાવડર, સ્ટાર્ચ અને ઇમલ્સિફાયર જેવા ઘટકોથી બને છે, જ્યારે અસલી પનીર દૂધમાંથી બને છે.