હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય નાવિકના મોત બાદ ઈરાની રાજદ્વારીઓને સમન્સ
હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય નાવિકના મોત બાદ ઈરાની રાજદ્વારીઓને સમન્સ
Published on: 14th July, 2026

હોર્મુઝ સ્ટ્રેટમાં થયેલા મિસાઇલ હુમલામાં એક ભારતીય નાવિકના મોત બાદ ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલય (MEA) એ નવી દિલ્હીમાં ઈરાની મિશનના ડેપ્યુટી ચીફ મોહમ્મદ જાવદ હુસૈની અને અન્ય રાજદ્વારીઓને બોલાવી ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને સ્પષ્ટીકરણ માંગ્યું છે. UAE-ધ્વજ ધરાવતા ઓઈલ ટેન્કરો પર થયેલા આ ઘાતક હુમલામાં ભારતીય નાગરિકો સહિત અન્ય લોકો પણ ઘાયલ થયા હતા. ભારત સરકારે ઈરાન સામે આકરો વિરોધ નોંધાવ્યો છે.