પોમ્પેઈ: સમયના ચક્રમાં થીજી ગયેલા, સમયની અજાયબી
પોમ્પેઈ: સમયના ચક્રમાં થીજી ગયેલા, સમયની અજાયબી
Published on: 10th June, 2026

ઈસવીસન 79માં માઉન્ટ વિસુવિયસ જ્વાળામુખી ફાટતાં રોમન સામ્રાજ્યનું સમૃદ્ધ શહેર પોમ્પેઈ લાવા અને રાખ હેઠળ જીવતું દફન થઈ ગયું. લોકો 'પાયરોક્લાસ્ટિક ફ્લો'ના અતિશય ગરમ તાપમાનને કારણે સેકન્ડના ભાગમાં મૃત્યુ પામ્યા, તેમના શરીરના ખાંચા પ્લાસ્ટર ભરીને પૂતળા સ્વરૂપે સચવાયા. 1748માં થયેલા ખોદકામમાં રંગીન ચિત્રો, ભીંતચિત્રો, વાસણો અને લોકોની તે સમયની સ્થિતિના પૂતળા મળ્યા. આ 'મેટ્રો સિટી'માં આલીશાન હવેલીઓ, બજારો, સાર્વજનિક સ્નાનાગારો, એમ્ફીથિયેટર, અને નાટ્યગૃહો હતા. અદ્યતન ટેકનોલોજીથી દીવાલો પરના અદ્રશ્ય લખાણો પણ હવે વાંચી શકાય છે.