પક્ષીઓને વીજ વાયર પર બેસવા છતાં કરંટ કેમ નથી લાગતો?
પક્ષીઓને વીજ વાયર પર બેસવા છતાં કરંટ કેમ નથી લાગતો?
Published on: 01st August, 2026

આપણે અનેક વાર પક્ષીઓને વીજ વાયર પર બેઠેલાં જોઈએ છીએ, છતાં તેમને ઇલેક્ટ્રિક શોક કે કરંટ લાગતો નથી. જ્યારે આપણે વાયરના સંપર્કમાં આવીએ તો આપણને કરંટ લાગે છે. આનું મુખ્ય કારણ વિદ્યુત પરિપથનો સિદ્ધાંત, વોલ્ટેજ તફાવત અને પોટેન્શિયલ, અને વિદ્યુત અવરોધ છે. પક્ષીઓ માત્ર એક જ વાયરને સ્પર્શ કરે છે, જેથી પરિપથ ખુલ્લો રહે છે. જ્યારે માણસ જમીન સાથે જોડાયેલો હોય અને વાયરને સ્પર્શે, ત્યારે ક્લોઝ્ડ પરિપથ બને છે.