FD રોકાણકારો માટે RBIનો નવો નિયમ
FD રોકાણકારો માટે RBIનો નવો નિયમ
Published on: 06th August, 2026

સ્મોલ ફાઇનાન્સ બેંકમાં FD ધરાવતા અથવા ખોલાવવા માંગતા ગ્રાહકો માટે RBIએ નવા નિયમો જાહેર કર્યા છે, જે 1 ઓક્ટોબર, 2026 થી અમલમાં આવશે. આ નિયમોનો ઉદ્દેશ્ય ગ્રાહકોની સુવિધા, સુરક્ષા વધારવા અને વ્યાજ દરોમાં પારદર્શિતા લાવવાનો છે. હવે, બધી સ્મોલ ફાઇનાન્સ બેંકોએ દરરોજ સવારે 10:00 વાગ્યા સુધીમાં (10:10 વાગ્યા સુધી ગ્રેસ પીરિયડ સાથે) તેમની વેબસાઇટ પર બલ્ક ડિપોઝિટ (₹૩ કરોડ કે તેથી વધુ) ના વ્યાજ દરો અપડેટ કરવા પડશે. આનાથી રોકાણકારોને સચોટ માહિતી મળશે અને બેંકો મનફાવે તેમ દર બદલી શકશે નહીં.