બેંક ખાતામાં કેટલા પૈસા જમા કરી શકાય?
બેંક ખાતામાં કેટલા પૈસા જમા કરી શકાય?
Published on: 07th September, 2026

બેંકમાં રોકડ જમા કરવાની એક ચોક્કસ મર્યાદા છે. નાણાકીય વર્ષ દરમિયાન એક કે તેથી વધુ બચત ખાતામાં કુલ 10 લાખ રૂપિયાથી વધુ રોકડ જમા કરાવવા પર બેંક તેની જાણકારી આવકવેરા વિભાગને આપે છે. આ નિયમનો હેતુ અઘોષિત આવક અને ટેક્સ ચોરી પર અંકુશ રાખવાનો છે. જો તમારી પાસે જમા રકમનો કાયદેસર સ્ત્રોત અને હિસાબ છે, તો ગભરાવાની જરૂર નથી. 50,000 રૂપિયાથી વધુ રોકડ જમા કરાવવા પર PAN કાર્ડ આપવું ફરજિયાત છે.