દિશા સાલિયન કેસમાં CBI દ્વારા FIR નોંધાઈ
દિશા સાલિયન કેસમાં CBI દ્વારા FIR નોંધાઈ
Published on: 14th September, 2026

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુના કેસમાં લગભગ છ વર્ષ બાદ CBIએ FIR નોંધી છે. દિશાના પિતા સતીશ સાલિયનના નિવેદનના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ગેંગ-રેપ અને હત્યા જેવા ગંભીર આરોપોનો સમાવેશ થાય છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ, આ FIRમાં આદિત્ય ઠાકરે, ડીનો મોરિયા, સૂરજ પંચોલી, રિયા અને શોવિક ચક્રવર્તી, તેમજ સચિન વાઝે જેવા અનેક જાણીતા વ્યક્તિઓના નામ સામેલ છે. CBI હવે આ તમામ વ્યક્તિઓની ભૂમિકાની તપાસ કરશે.