ગુજરાતને રૂપિયા 500 કરોડની કેન્દ્રીય આગોતરી મદદ
ગુજરાતને રૂપિયા 500 કરોડની કેન્દ્રીય આગોતરી મદદ
Published on: 02nd August, 2026

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પૂરગ્રસ્ત રાજ્યોને રાહત માટે SDRFના કેન્દ્રીય હિસ્સામાંથી કુલ રૂ. 2,117.85 કરોડની આગોતરી સહાય મંજૂર કરી છે. ગુજરાતને આ હેઠળ રૂ. 500 કરોડ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, પૂરગ્રસ્ત રાજ્યોને જરૂરી તમામ સહાય પૂરી પાડવાની પ્રતિબદ્ધતા છે. NDRF ટીમોની પૂર્વ તૈનાતી અને સંરક્ષણ મંત્રાલય દ્વારા લોજિસ્ટિક્સ સહાય પણ પુરી પાડવામાં આવી રહી છે. આ ઝડપી સહાય SDRFની પ્રથમ હપ્તાની આગોતરી રકમ તરીકે છે, જેમાં દસ્તાવેજી પ્રક્રિયામાં પણ છૂટ આપવામાં આવી છે.