જામનગર મનપાની સામાન્ય સભામાં પાણી-ગટરના મુદ્દા ગાજ્યા
જામનગર મનપાની સામાન્ય સભામાં પાણી-ગટરના મુદ્દા ગાજ્યા
Published on: 19th September, 2026

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પાણી અને ભૂગર્ભ ગટરના મુદ્દાઓ ચર્ચામાં રહ્યા હતા. ડામર-સીસી રોડના કામ સમયે નળ જોડાણ બદલવાનો ખર્ચ હવે જોડાણ ધારકે નહીં ચૂકવવો પડે, તે ખર્ચ ટેન્ડરમાં જ સમાવી લેવાશે અને મનપા ભોગવશે. આ દરખાસ્તને સર્વાનુમત્તે બહાલી આપવામાં આવી. મેયર મોનિકાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ એજન્ડાઓ મંજુર કરાયા હતા. શહેરના પીવાના પાણીની સમસ્યા, પાણીનો વેડફાટ અને તળેલા ખાદ્યપદાર્થોમાં દાઝીયા તેલના ઉપયોગ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી.