અમરનાથ યાત્રા 2026: ખરાબ હવામાન અને ભૂસ્ખલનને કારણે 9 ઓગસ્ટથી સ્થગિત
અમરનાથ યાત્રા 2026: ખરાબ હવામાન અને ભૂસ્ખલનને કારણે 9 ઓગસ્ટથી સ્થગિત
Published on: 09th August, 2026

જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે 2026ની અમરનાથ યાત્રા પર 9 ઓગસ્ટથી બ્રેક લગાવવાનો નિર્ણય લીધો છે. સતત ખરાબ હવામાન અને યાત્રા માર્ગ પર થયેલા ભૂસ્ખલનને કારણે યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. ચંદનવારી અને બાલતાલ બંને રૂટ પર યાત્રા સ્થગિત કરવામાં આવી છે. યાત્રા માર્ગના સમારકામ અને જાળવણી કાર્યને કારણે આ નિર્ણય લેવાયો છે. આ દરમિયાન, 4.8 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા અમરનાથના દર્શન કર્યા છે.