પાટણમાં દીપ પ્રગટાવી સેવા, સ્વચ્છતા, જનભાગીદારીનો સંદેશ
પાટણમાં દીપ પ્રગટાવી સેવા, સ્વચ્છતા, જનભાગીદારીનો સંદેશ
Published on: 19th September, 2026

પાટણ શહેરની ઐતિહાસિક રાણકી વાવ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 'આશિર્વાદનો દીવો' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું. સેવા, સ્વચ્છતા અને જનભાગીદારીનો સંદેશ આપવા માટે જિલ્લામાં અંદાજે 5.64 લાખ સ્થળોએ દિપ પ્રજ્વલિત કરાયા. રાણકી વાવમાં રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ સહિત મહાનુભાવોએ દિપ પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કર્યો, જેનાથી વાવ દિપમય બની. શહેરની ભદ્રકાળી માતાજી મંદિરે પણ 5000 દિવડા પ્રગટાવી ભવ્ય દિપોત્સવ યોજાયો.