જામનગરમાં ગણેશ મહોત્સવમાં 1508 મૂર્તિઓનું એક દિવસમાં વિસર્જન,
જામનગરમાં ગણેશ મહોત્સવમાં 1508 મૂર્તિઓનું એક દિવસમાં વિસર્જન,
Published on: 19th September, 2026

જામનગર શહેરમાં ગણેશ મહોત્સવ નિમિત્તે મૂર્તિ વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા બે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. ગણેશ વિસર્જનના પાંચમા દિવસે એક જ દિવસમાં શ્રદ્ધાળુઓએ કુલ 1508 મૂર્તિઓનું વિસર્જન કર્યું, જેમાં ખંભાળિયા બાયપાસ પાસેના કુંડ-1 માં 1236 અને રણજીતસાગર રોડ પાસેના કુંડ-2 માં 272 મૂર્તિઓનો સમાવેશ થાય છે. પર્યાવરણપ્રેમી અભિગમ અપનાવીને ભાવિકો આ કૃત્રિમ કુંડનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. મનપા દ્વારા સુરક્ષિત અને વ્યવસ્થિત વિસર્જન માટે ખાસ ટીમ અને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.