ભારતીય શેરબજારમાં વોલેટિલિટી વધી
ભારતીય શેરબજારમાં વોલેટિલિટી વધી
Published on: 19th September, 2026

શુક્રવારના સત્રમાં ભારતીય શેરબજારમાં સકારાત્મક શરૂઆત છતાં અસ્થિર વલણ જોવા મળ્યું. વૈશ્વિક બજારોમાં સુધારા, કાચા તેલના ભાવમાં નરમાઈ અને નીચલા સ્તરે ખરીદીએ બજારને પ્રારંભિક ટેકો આપ્યો. જોકે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી, પશ્ચિમ એશિયાનો ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક વ્યાજદર અંગેની અનિશ્ચિતતાને કારણે બજારમાં ઝડપી વધઘટ રહેવાની શક્યતા છે. તેથી, રોકાણકારોએ આજના સત્રમાં ખરીદી સાથે ઊંચા સ્તરે નફાવસૂલી પર પણ ધ્યાન આપવું જોઈએ.