શેરબજારમાં તેજીનો માહોલ
શેરબજારમાં તેજીનો માહોલ
Published on: 20th July, 2026

ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં વૈશ્વિક અનિશ્ચિતતા અને નફાવસૂલી છતાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી, સારા કોર્પોરેટ પરિણામોના આશાવાદ અને બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, પાવર સેક્ટરમાં મજબૂતીને કારણે સકારાત્મક તેજી જોવા મળી. મુખ્ય સૂચકાંકો મહત્વના આધાર સ્તરો પર ટકી રહ્યા, જે રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે. જોકે, ઉપરના સ્તરે નફાવસૂલી અને વોલેટિલિટી યથાવત્ રહી. SIP દ્વારા સતત નાણાંપ્રવાહ, સરકારના ખર્ચમાં વધારો અને અનુકૂળ ચોમાસાએ બજારને ટેકો આપ્યો.