શું ચીન પૂરના વિનાશને છુપાવી રહ્યું છે?
શું ચીન પૂરના વિનાશને છુપાવી રહ્યું છે?
Published on: 30th August, 2026

નેપાળ અને તિબેટમાં આવેલ ભીષણ પુરથી 676 લોકોના મૃત્યુ અને 3,000 લોકો લાપતા થયા છે. ચીન પર પૂર સંબંધિત સમાચાર અને વીડિયો સેન્સર કરવાનો આરોપ છે. લોકો મુખ્યત્વે સરકારી મીડિયા પર નિર્ભર છે, જે રાહત કાર્ય પર ભાર મૂકે છે. The New York Times ના રિપોર્ટ મુજબ, સ્થાનિક લોકોએ શેર કરેલા પૂર અને ભૂસ્ખલનના વીડિયો ચીનના સોશિયલ મીડિયા પરથી દૂર કરવામાં આવ્યા છે. The Telegraph મુજબ, ચીનના સરકારી મીડિયાએ વીડિયોને બદલે માત્ર ફોટોનો ઉપયોગ કર્યો છે. વિદેશી પત્રકારોને તિબેટ જવામાં અને સ્થાનિક લોકો સાથે વાત કરવામાં મુશ્કેલી પડી રહી છે.