ઈરાનમાં આંતરિક વિખવાદ: અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે તખ્તાપલટના સંકેત
ઈરાનમાં આંતરિક વિખવાદ: અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે તખ્તાપલટના સંકેત
Published on: 19th July, 2026

ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના અવસાન બાદ દેશમાં રાજકીય અસ્થિરતા વધી રહી છે. નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈની જાહેર ગેરહાજરીને કારણે સત્તા સંઘર્ષની અટકળો તેજ બની છે. કટ્ટરપંથી જૂથો રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન, સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પર અમેરિકા સાથે સમજૂતી કરીને ખામેનેઈની નીતિઓ સાથે સમાધાન કરવાનો આરોપ લગાવી રહ્યા છે. અલી ખામેનેઈની અંતિમ યાત્રા દરમિયાન પણ વિરોધ જોવા મળ્યો, જેમાં અરાઘચી પર પથ્થરમારો થયો. આંતરિક ખેંચતાણ દેશની સત્તા વ્યવસ્થામાં અનિશ્ચિતતા વધારી રહી છે.