રાણાવાવ ITI ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 200 વૃક્ષોનું વાવેતર
રાણાવાવ ITI ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 200 વૃક્ષોનું વાવેતર
Published on: 12th June, 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદર જિલ્લામાં પર્યાવરણીય સુધારણાના કાર્યો હાથ ધરાયા છે. રાણાવાવ રેન્જ, સામાજિક વનીકરણ વિભાગે સરકારી ITI ખાતે 200 ઓક્સિજનયુક્ત વૃક્ષોનું વાવેતર કર્યું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગ્લોબલ વોર્મિંગ ઘટાડવો, હરિયાળી વધારવી અને ભાવિ પેઢીને શુદ્ધ વાતાવરણ પ્રદાન કરવાનો છે. રાણાવાવ તાલુકા અને નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ છોડ રોપી યોગદાન આપ્યું. ITI સ્ટાફ અને વિદ્યાર્થીઓને રોપાઓના જતનની જવાબદારી સોંપાઈ છે. 14 જૂન સુધી વૃક્ષારોપણ સપ્તાહ ચાલશે.