દાહોદના દેવગઢબારીયામાં વૃક્ષો માટે લગાવેલા ટ્રી-ગાર્ડ ભંગાર બન્યા
દાહોદના દેવગઢબારીયામાં વૃક્ષો માટે લગાવેલા ટ્રી-ગાર્ડ ભંગાર બન્યા
Published on: 08th June, 2026

દાહોદના દેવગઢબારીયા શહેરમાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ યોજના હેઠળ વાવેલા સેંકડો વૃક્ષોની યોગ્ય માવજત ન થતાં અનેક જગ્યાએ વૃક્ષો સુકાઈ ગયા છે. માનસરોવર, બળિયાદેવ મંદિર, જૂના પોલીસ સ્ટેશન પાસે, ટાવર શેરી, ચંદન તલાવડી પાસે લગાવેલા ટ્રી-ગાર્ડ પણ તૂટી ગયા છે. હાલ ઉનાળાની ગરમીમાં પાણીના અભાવે વૃક્ષો મરણ પથારીએ છે. તૂટેલા ટ્રી-ગાર્ડનું સમારકામ ન થાય તો ચોમાસામાં પવન-વરસાદથી નુકસાન થશે. રખડતા પશુઓથી બચાવવા ફેન્સિંગની પણ જરૂર છે. કેટલીક સામાજિક સંસ્થાઓ સ્વખર્ચે વૃક્ષોને બચાવી રહી છે.