દાહોદના મોટી બાંડીબાર ગામે "એક પેડ મા કે નામ" અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન
દાહોદના મોટી બાંડીબાર ગામે "એક પેડ મા કે નામ" અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન
Published on: 11th June, 2026

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલા મોટી બાંડીબાર ગામની આશ્રામશાળા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના "એક પેડ મા કે નામ" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ ભાભોર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે લીમખેડા તાલુકા પંચાયત પ્રમુખ નરવતભાઈ ડાંગી, તાલુકા-જિલ્લા પંચાયત સભ્યો, સ્થાનિક સરપંચો અને ભાજપ સંગઠનના હોદ્દેદારો પણ જોડાયા હતા. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સૌએ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ કર્યો.