'Race 3' માટે આમિરખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને ટાઇગર શ્રોફ વચ્ચે ચર્ચા
'Race 3' માટે આમિરખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને ટાઇગર શ્રોફ વચ્ચે ચર્ચા
Published on: 29th August, 2026

રેસ ફ્રેન્ચાઇઝની આગામી ફિલ્મ માટે આમિરખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને ટાઇગર શ્રોફે રસ દાખવ્યો છે. આમિરખાને નિર્માતા રમેશ તૌરાણી સાથે ફિલ્મની પટકથા અંગે વાતચીત શરૂ કરી છે, જે તેમને ખૂબ ગમી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને ટાઇગર શ્રોફે પણ પટકથા સાંભળી છે અને બંનેને તે પસંદ આવી છે. આમિરખાન પટકથા ડેવલપમેન્ટમાં પણ સહયોગ કરી રહ્યા છે. વિજય કૃષ્ણ આચાર્ય આ ફિલ્મનું નિર્દેશન કરશે. હાલ ફિલ્મ પ્રિ-પ્રોડક્શનના તબક્કામાં છે અને કાસ્ટની જાહેરાત યોગ્ય સમયે કરવામાં આવશે.