રાજકિરણને શોધી આપનારને સોમી અલી ૫૦૦૦ ડોલરનું ઇનામ આપશે
રાજકિરણને શોધી આપનારને સોમી અલી ૫૦૦૦ ડોલરનું ઇનામ આપશે
Published on: 29th July, 2026

ભૂતપૂર્વ અભિનેત્રી સોમી અલી દિવંગત અભિનેતા ઋષિ કપૂરને આપેલું વચન નિભાવવા માટે વર્ષોથી ગુમ થયેલાં અભિનેતા રાજકિરણને શોધી રહી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી છે કે જે પણ રાજકિરણનું સાચું સરનામું, મેન્ટલ હેલ્થ કેર, અથવા એપાર્ટમેન્ટનું સરનામું આપશે, તેને ૫૦૦૦ ડોલરનું ઇનામ આપવામાં આવશે. સોમી અલી સોળ વર્ષથી રાજકિરણની શોધ કરી રહી છે અને ખાનગી તપાસકર્તાઓ દ્વારા મળેલા સરનામાં પર જઈને પણ કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. ઋષિ કપૂરના મૃત્યુ સુધી તેમણે રાજકિરણની શોધ ચાલુ રાખી હતી.